SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૯ સંલેખનાવતુક | અભ્યધત મરણ / ગાથા ૧૬૯૮ ભાવાર્થ: ગાથા ૧૬૯૫થી ૧૬૯૭માં લેશ્યા દ્વારા ત્રણ પ્રકારના આરાધક બતાવ્યા, તે આરાધક માત્ર શુભલેશ્યા દ્વારા થતા નથી, પરંતુ સમ્યક્તાદિ ત્રણ પરિણામોથી યુક્ત એવી શુભલેશ્યા દ્વારા થાય છે; કેમ કે કેવલ શુભ લેશ્યાવાળા જીવને આરાધક સ્વીકારવામાં આવે તો, દ્રવ્યસંયમ પાળીને દેવલોકમાં જનારા અભવ્ય જીવોને પણ આરાધક કહેવા પડે; કેમ કે તેઓ પણ સંયમપાલનકાળમાં શુભ લેશ્યાવાળા હોય છે. અહીં પ્રશ્ન થાય કે અભવ્ય જીવોને શુભ લેગ્યા પ્રાપ્ત થાય છે તે કઈ રીતે નક્કી થાય? તેથી સ્પષ્ટ કરે છે – જીવો જે લેગ્યામાં મરે છે તે લેગ્યામાં જ ઉત્પન્ન થાય છે એ પ્રકારનું શાસ્ત્રનું વચન છે. માટે જે અભવ્ય જીવો દ્રવ્યસંયમ પાળીને દેવલોકમાં જાય છે, તેઓને મરણકાળમાં ત્રણમાંથી કોઈ શુભ લેશ્યા હોય છે, પરંતુ તેઓની શુભ લેશ્યા સમ્યક્તાદિ ત્રણ ભાવોથી યુક્ત હોતી નથી, માટે તેઓને ભગવાને આરાધક કહ્યા નથી. અહીં વિશેષ એ છે કે, આરાધક એવા અનશની મહાત્માને બોધ હોય છે કે “વીતરાગનું વચન વીતરાગતાની પ્રાપ્તિના ઉપાયરૂપે સંયમના સર્વ આચારો બતાવે છે.” આવા બોધને કારણે વીતરાગતાના અર્થી એવા તે મહાત્માને વીતરાગના વચનાનુસાર સંયમની ક્રિયાઓ કરવામાં રુચિ વર્તે છે. આથી તે મહાત્મામાં સમ્યક્ત છે, શાસ્ત્રો ભણીને તેઓએ જે કંઈ બોધ પ્રાપ્ત કર્યો છે તે વિષયક સમ્યજ્ઞાન છે, તેમ જ વીતરાગભાવને અનુકૂળ અંતરંગ વીર્યવ્યાપારથી યુક્ત એવી છે શાસ્ત્રવચનાનુસાર ચારિત્રની ક્રિયા કરે છે અને તે ક્રિયા દ્વારા પોતાના ચિત્તનો જે અંશથી વીતરાગભાવમાં નિવેશ કરે છે, તે અંશથી તેઓમાં ચારિત્ર છે; અને વીતરાગતાને અનુકૂળ પરિણામ જે અંશથી વૃદ્ધિ પામે છે, તે અંશથી તેઓનું ચારિત્ર વૃદ્ધિ પામે છે. આમ, આ ત્રણ પરિણામોથી યુક્ત એવી કષાયોના અપ્રવર્તનરૂપ શુભ લેશ્યા તે મહાત્મામાં વર્તે છે, અર્થાત્ તેઓના કષાયો સાંસારિક પદાર્થોને અવલંબીને પ્રવર્તતા નથી, પરંતુ વિતરાગભાવને અવલંબીને રાગાદિ ભાવોના ઉચ્છેદને અનુકૂળ પ્રવર્તે છે, તેથી તે અનશની મહાત્મા રત્નત્રયીથી યુક્ત એવી શુભ લેશ્યાવાળા છે. વળી અભવ્ય જીવોને સાંસારિક ભોગો પ્રત્યે ઉત્કટ રાગ વર્તે છે, તેથી તેઓને તે ભોગપ્રવૃત્તિના અભાવસ્વરૂપ મોક્ષ અને વીતરાગતા અસાર જણાય છે. તેથી તેઓ કોઈક નિમિત્તને પામીને સંયમ ગ્રહણ કરે તોપણ વીતરાગતાના અર્થ નથી, ફક્ત આલોક કે પરલોકની આશંસાથી કે અનાભોગથી તેઓ સંયમ પ્રહણ કરે છે; કેમ કે તેઓને ચારિત્ર વીતરાગતાની પ્રાપ્તિના ઉપાયરૂપે રુચતું નથી, પરંતુ પોતાને ઈષ્ટ એવા ભોગાદિના ઉપાયરૂપે જ રુચે છે. આથી તેઓ પોતાને ઇષ્ટ એવા ભોગાદિની પ્રાપ્તિના ઉપાયરૂપે સંયમપાલનમાં યત્ન કરે છે ત્યારે, પોતાના રાગાદિ કષાયોને ભોગાદિ વિષયોમાંથી નિરુદ્ધ કરીને સંયમની ક્રિયાઓમાં પ્રવર્તાવે છે, આથી અભવ્યોને પણ સંયમપાલનકાળમાં કષાયોના અપ્રવર્તનરૂપ શુભ લેશ્યા વર્તે છે, પરંતુ તેઓની કષાયોના અપ્રવર્તનરૂપ શુભ લેશ્યા કષાયોના ઉચ્છેદ સાથે બોધથી, રુચિથી કે પ્રવૃત્તિથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy