SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ સંલેખનાવતુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા/ ગાથા ૧૬૮૬ ગાથા : गुरुकम्मओ पमाओ सो खलु पावो जओ तओऽणेगे । चोद्दसपुव्वधरा वि हु अणंतकाए परिवसंति ॥१६८६॥ અન્વચાઈ: ગુરુગ્ગો પમ =ગુરુ કર્મથી પ્રમાદ થાય છે. તો વનુ પાવો વળી તે પ્રમાદ, પાપ છે; નો જે કારણથી તો=તેનાથી=પ્રમાદથી, મને ચોદલપુદ્ગથરા વિ=અનેક ચૌદ પૂર્વધરો પણ સર્જાતા, પરિવસંતિ અનંતકાયમાં વસે છે. * “દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : ગુરુ કર્મથી પ્રમાદ થાય છે. વળી પ્રમાદ પાપ છે; જે કારણથી પ્રમાદથી અનેક ચીદ પૂર્વધરો પણ અનંતકાયમાં વસે છે. ટીકા : गुरुकर्मणः सकाशात्प्रमादो भवति, स खलु पापः=अतिरौद्रः, यतस्ततः-प्रमादादनेके चतुर्दशपूर्वधरा अपि, तिष्ठन्त्वन्ये, अनन्तकाये परिवसन्ति वनस्पताविति गाथार्थः ॥१६८६॥ ટીકાર્થ: ગુરુ કર્મથી પ્રમાદ થાય છે. વળી તે=પ્રમાદ, પાપ છે=અતિરૌદ્ર છે, જે કારણથી તેનાથી=પ્રમાદથી, અનેક ચૌદ પૂર્વધરો પણ અનંતકાય વનસ્પતિમાં નિગોદમાં, વસે છે, અન્ય જીવો તો દૂર રહો, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૬૮૪માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે સંક્લિષ્ટ ચિત્તાદિ દોષોવાળા સાધુ ચરમકાળમાં પણ વિરતિરત્નને પ્રાપ્ત કરતા નથી. તેથી ૧૬૮૫માં કોઈક વિચારકે પ્રશ્ન કર્યો કે શ્રમણ સંક્લિષ્ટ ચિત્તાદિ દોષોવાળા કઈ રીતે સંભવે? તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે પ્રાયઃ ગુરુ કર્મની પરિણતિથી શ્રમણ સંક્લિષ્ટ ચિત્તાદિ દોષોવાળા થાય છે. તે કથનને જ સ્પષ્ટ કરતાં કહે છે – યોગમાર્ગમાં પ્રમાદઆપાદક ભારે કર્મ હોય તો, કલ્યાણના અર્થી સાધુને પણ પ્રમાદ થાય છે અને તે પ્રમાદ અતિરૌદ્ર છે; કેમ કે સંયમજીવનમાં પ્રમાદને કારણે જ અનેક ૧૪ પૂર્વધરો પણ નિગોદમાં વસે છે. આથી ફલિત થાય કે સંસારી જીવોની જેમ ભોગવિલાસ નહીં કર્યા હોવા છતાં, સંયમ પ્રત્યેના નિરપેક્ષ પરિણામથી ચૌદ પૂર્વધરો પણ સૌથી જઘન્ય એવી નિગોદઅવસ્થાને પામે છે. તેથી પ્રમાદદોષથી સાધુઓ સંક્તિચિત્તવાળા થઈને અનર્થદંડ આદિને સેવે છે, અને દુરંત સંસારમાં ભમે છે. આથી આવા પ્રકારના સંક્લિચિત્તાદિ દોષોવાળા સાધુ ચરમકાળમાં પણ ચારિત્રને પ્રાપ્ત કરી શકતા નથી. II૧૬૮૬ll Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy