SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ અવતરણિકા ઃ હવે વૃદ્ધ થયેલા ગણિ અભ્યઘત વિહારને ક્યારે સ્વીકારે છે ? તે બતાવે છે ગાથા: સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ગાથા ૧૩૦૮ सयमेव आउकालं गाउं पुच्छित्तु वा बहुं सेसं । सुबहुगुणलाभकंखी विहारमब्भुज्जयं भयइ ॥१३७८॥ અન્વયાર્થ: સયમેવ પુચ્છિન્નુ વા=સ્વયં જ અથવા પૂછીને વહું સેસ=બહુ-શેષ એવા આડાŕ=આયુકાળને ખાવુંજાણીને સુવહુ'મુળનામહી=સુબહુ ગુણોના લાભના કાંક્ષી એવા સાધુ અમુજ્ઞયં વિહાર=અભ્યઘત વિહારને મયજ્ઞ=ભજે છે=સ્વીકારે છે. ગાથાર્થ સ્વયં જ અથવા બીજાને પૂછીને બહુ-શેષ એવા આયુષ્યના કાળને જાણીને સુબહુ ગુણોના લાભના કાંક્ષી એવા સાધુ અભ્યધત વિહારને સ્વીકારે છે. ટીકા : - स्वयमेवायुःकालं ज्ञात्वा बहु शेषं श्रुतातिशयेन, पृष्ट्वा वा श्रुतातिशययुक्तमन्यं बहु शेषं ज्ञात्वा, सुबहुगुणलाभकाङ्क्षी सन् साधुः विहारं - क्रियारूपमभ्युद्यतं भजते प्रधानमिति गाथार्थः ॥ १३७८॥ ટીકાર્ય શ્રુતના અતિશયથી સ્વયં જ બહુ-શેષ એવા આયુકાળને જાણીને અથવા શ્રુતના અતિશયથી યુક્ત એવા અન્યને પૂછીને બહુ-શેષ એવા આયુકાળને જાણીને, સુબહુ ગુણોના લાભના કાંક્ષી છતા સાધુ=ઘણા ગુણોને પ્રાપ્ત કરવાના અભિલાષવાળા એવા સાધુ, અભ્યુદ્યત પ્રધાન એવા ક્રિયારૂપ=સંયમની આચરણારૂપ, વિહારને ભજે છે=સ્વીકારે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: Jain Education International ગણધર આચાર્ય જીવનના અંતકાળે શ્રુતના અતિશયથી સ્વયં અથવા શ્રુતના અતિશયવાળા અન્ય સાધુને પૂછીને આયુષ્યને બહુ શેષ જાણવા પ્રયત્ન કરે છે અર્થાત્ જીવનનું શેષ રહેલ આયુષ્ય સાવ ઓછું છે કે કાંઈક વધારે છે ? તેનો નિર્ણય કરવા પ્રયત્ન કરે છે; અને પોતાનું આયુષ્ય બહુ શેષ હોય તો તેઓ અભ્યઘત વિહાર સ્વીકારે છે, પરંતુ અભ્યઘત મરણ સ્વીકારતા નથી. તેઓ અભ્યઘત વિહાર જ કેમ સ્વીકારે છે ? તે બતાવતાં કહે છે કે તેઓ ઘણા ગુણોના લાભના આકાંક્ષી છે, તેથી તેઓ પોતાનું દીર્ઘ આયુષ્ય જાણીને અભ્યાત પ્રધાન એવો ક્રિયારૂપ વિહાર સ્વીકારે છે અર્થાત્ વીતરાગભાવની પ્રાપ્તિ પ્રત્યે પરંપરાએ કારણ એવો પૂર્વે જે સંયમની ક્રિયારૂપ વિહાર હતો તેના કરતાં વીતરાગભાવની પ્રાપ્તિ પ્રત્યે પ્રધાન કારણ એવો આ સંયમની ક્રિયારૂપ વિહાર સ્વીકારે છે. I૧૩૭૮॥ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy