SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા/ ગાથા ૧૬૦૯-૧૬૮૦, ૧૬૮૧ આનાથી અર્થથી એ ફલિત થાય છે, જે સાધુ શરીરની પીડાથી ઉદ્વિગ્ન હોય અને પોતાનું કૃત્ય સ્વયં કરવા માટે અસમર્થ હોવાથી દીનતા ધારણ કરે છે, અથવા સંયમવૃદ્ધિનો વિચાર કર્યા વગર માત્ર શરીરની શાતા અર્થે અન્ય પાસે પોતાના દેહનું ઉદ્વર્તનાદિ કરાવે છે, તેઓ ભગવાનના વચનમાં એકનિષ્ઠાવાળા નથી અને દેહની શાતા પ્રત્યે પ્રતિબદ્ધ માનસવાળા હોવાથી સંસારથી વિરક્ત નથી. આવા સાધુ અનશન કરતા હોય તોપણ પરમાર્થથી ભગવાને તેઓને આરાધક કહ્યા નથી; પરંતુ જે મહાત્મા પ્રતિક્ષણ ચિત્તને જિનવચનમાં સ્થાપિત કરીને વીતરાગભાવને અનુકૂળ નિર્લેપભાવ વૃદ્ધિ પામે તે પ્રકારે સતત ઋતથી આત્માને વાસિત કરતા હોય અને તેને ઉપષ્ટભક બને એવી કોઈ ક્રિયા અન્ય પાસે કરાવતા હોય, તેવા સાધુને ભગવાને પરમાર્થથી આરાધક કહ્યા છે. /૧૬૭૯/૧૬૮૭ll. અવતરણિકા : अत्रोपपत्तिमाह - અવતરણિકાઈ: અહીં=ગાથા ૧૬૨૭-૧૬૨૮માં ગ્રંથકારશ્રીએ કહેલ કે પૂર્વે પરલોક પ્રત્યે શીતલ પણ સાધુ અંતકાળે આરાધનાને પ્રાપ્ત કરે છે એ કથનમાં, ઉપપત્તિને પૂર્વે શીતલ હોવા છતાં અંત સમયે ચારિત્રની આરાધનાની પ્રાપ્તિરૂપ સંગતિને, કહે છે – ભાવાર્થ : ગાથા ૧૬ ૨૭-૧૬૨૮માં ભક્તપરિજ્ઞા અનશન સ્વીકારવાની વિધિનો પ્રારંભ કરતાં કહેલ કે પૂર્વે શીતલ પણ પાછળથી જીવનના ચરમકાળે સંવેગ પામેલા અનશન કરવા તત્પર થયેલા મહાત્મા પ્રવ્રજ્યાગ્રહણકાળથી માંડીને આલોચનાને કરે છે, સંક્લિષ્ટ ભાવનાનું વિશેષથી વર્જન કરે છે અને તે વર્જનથી આરાધનાને પ્રાપ્ત કરે છે. એ કથનમાં શીતલ પણ સાધુ અંત સમયે આરાધનાને પ્રાપ્ત કરે છે એ વચન કઈ રીતે સંગત થાય? તે ગાથા ૧૬૮૩ સુધી દર્શાવે છે – ગાથા : जं सो सया वि पायं मणेण संविग्गपक्खिओ चेव । इअरो उ विरइरयणं न लहइ चरमे वि कालम्मि ॥१६८१॥ અન્વયાર્થ : ગં=જે કારણથી તો આ=ગાથા ૧૬૨૭માં કહ્યા મુજબ પાછળથી સંવેગ પામેલા ભક્તપરિજ્ઞા અનશન કરવા તત્પર થયેલા મહાત્મા, સયા વિકસદા પણ આખા સંયમજીવનના કાળમાં હંમેશાં પણ, પા=પ્રાયઃ મને મનથી=ભાવથી, સંવિજાપવિમો વેવ સંવિગ્નપાક્ષિક જ હોય છે. (તે કારણથી તેઓ અંતકાળે આરાધનાને પ્રાપ્ત કરે છે, એમ ગાથા ૧૬૨૮ સાથે સંબંધ છે.) ફરી વળી ઇતર=અસંવિગ્નપાક્ષિક, ચર વિ શાસ્ત્રમ=ચરમ પણ કાળમાં વિરડ્રાય જ નહટ્ટ=વિરતિરત્નને પ્રાપ્ત કરતા નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy