SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૦૬૩ ૩૧ ગાથા : एयाओ विसेसेणं परिहरई चरणविग्घभूआओ । एअनिरोहाओ च्चिअ सम्मं चरणं पि पावेइ ॥१६६३॥ અવયાર્થ : (ભક્તપરિજ્ઞા અનશન સ્વીકારવા તત્પર થયેલા સાધુ) રર વિઘમૂનાગો અથાગો ચરણમાં વિજ્ઞભૂત એવી આમને=આ અપ્રશસ્ત ભાવનાઓને, વિલેસેજું વિશેષથી પરિહર પરિકરે છે ત્યજે છે, નિરોણા વિક=આના નિરોધથી જ=આ અપ્રશસ્ત ભાવનાઓના નિરોધથી જ, સમું વરdi fપ પાવે સમ્યફ ચરણને પણ પ્રાપ્ત કરે છે. ગાથાર્થ : ભક્તપરિજ્ઞા અનશન સ્વીકારવા તત્પર થયેલા સાધુ ચારિત્રમાં વિજ્ઞભૂત એવી આ અપ્રશસ્ત ભાવનાઓનો વિશેષથી પરિહાર કરે છે. આ અપ્રશસ્ત ભાવનાઓના નિરોધથી જ સમ્યફ ચારિત્રને પણ પ્રાપ્ત કરે છે. ટીકાઃ __एता भावना विशेषेण परिहरति, चरणविघ्नभूताः एता इति एतन्निरोधादेव कारणात् सम्यक् चरणमपि प्राप्नोति प्रस्तुतानशनीति गाथार्थः ॥१६६३॥ ટીકાર્ય : આ ભાવનાઓને વિશેષથી પરિહરે છે–પૂર્વે શીતલ અને પાછળથી સંવેગ પામેલા ભક્તપરિજ્ઞા અનશન કરવા તત્પર થયેલા સાધુ આ કાંદપિંકી આદિ અપ્રશસ્ત ભાવનાઓનો વિશેષથી પરિહાર કરે છે. આ ચરણમાં વિદનભૂત છે=સંક્લિષ્ટ ભાવનાઓ ચારિત્રમાં અંતરાયરૂપ છે, એથી આના નિરોધરૂપ જ કારણથી=સંક્લિષ્ટ ભાવનાઓના નિરોધરૂપ જ કારણથી, પ્રસ્તુત અનશની=ભક્તપરિજ્ઞા અનશન કરનારા સાધુ, સમ્યક ચરણને પણ પ્રાપ્ત કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ભક્તપરિજ્ઞા અનશન કરનારા જે સાધુઓ પૂર્વે સંવેગવાળા ન હતા, તેથી ભગવાનના વચનનું સ્મરણ કરીને મન-વચન-કાયાના યોગોને દઢ રીતે પ્રવર્તાવતા ન હતા, તેમણે નિમિત્તને પામીને કાંદપિકી આદિ ભાવનાઓ સંયમજીવનમાં પણ વારંવાર સેવી હોય છે; છતાં કોઈક નિમિત્તને પામીને પાછળથી જેઓ સંસારના પરિભ્રમણના ભયથી સંવેગવાળા થયેલા હોવાથી આલોચના કરીને ભક્તપરિજ્ઞા અનશન સ્વીકારે છે, તેઓ અનશન સ્વીકારતા પૂર્વે સંયમજીવનમાં પ્રમાદવશ સેવેલી સંક્લિષ્ટ ભાવનાઓને અત્યંત સ્મૃતિમાં લાવીને તેના પ્રત્યે અત્યંત જુગુપ્સા કરે છે અને વિચારે છે કે “સંસારના અંતના પ્રબળ કારણભૂત એવા ચારિત્રને નિષ્ફળ કરનાર કે વિપરીત કરનાર આ અશુભ ભાવનાઓ છે, માટે અત્યંત વજર્ય છે.” આ પ્રકારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy