SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ‘અવ્યવચ્છિત્તિમન' દ્વાર | ગાથા ૧૩૦૬ ગાથાર્થ : જીવનના ચરમકાળમાં ઉચિત કરવાથી પ્રારબ્ધની અવ્યવચ્છિત્તિ થાય છે. વળી ઉચિત નહીં કરવામાં પ્રારબ્ધની અવ્યવચ્છિત્તિ થતી નથી; કેમ કે સંયમજીવનનો અંતકાળ વિરસ ભાવવાળો છે. ગાથા ૧૩૦૩થી ૧૩૦૬ના પૂર્વાર્ધ સુધીના કથનમાં અભ્યધત વિહારના “અવ્યવચ્છિત્તિમન' નામના પ્રથમ દ્વારની પ્રાપ્તિ છે. ટીકા : ___ प्रारब्धाव्यवच्छित्तिःप्रव्रज्यानिर्वहणमखण्डं इदानीमुचितकरणाद्भवति, इतरथा तु-तदकरणे विरसावसानतः कारणात् न प्रारब्धाव्यवच्छित्तिः, तन्न्यूनत्वादिति । अत्र द्वारस्य-अव्यवच्छित्तिमनःसंज्ञितस्य સાત રૂતિ યથાર્થ: રૂ૭દ્દા (તારમ્) || ટીકાર્ય : અત્યારે=મૃત્યુ સમય નજીક આવે ત્યારે, ઉચિતના કરણથી–ઉચિત કૃત્ય કરવાથી, પ્રારબ્ધની અવ્યવચ્છિત્તિ=અખંડ એવું પ્રવ્રજ્યાનું નિર્વહણઃગ્રહણ કરેલ પ્રવ્રજ્યાનો અસ્મલિત નિર્વાહ, થાય છે. વળી ઇતરથા–તેના અકરણમાં=જીવનના ચરમકાળમાં ઉચિત કૃત્ય નહીં કરવામાં, વિરસ અવસાનરૂપ કારણથી પ્રારબ્ધની અવ્યવચ્છિત્તિ થતી નથી, કેમ કે તેનું ન્યૂનપણું છે=પ્રારબ્ધ એવી પ્રવ્રજ્યામાં જીવનના અંતકાળના કૃત્યનું ન્યૂનપણું છે. અહીં અવ્યવચ્છિત્તિમન સંશિત દ્વારનો સંપાત છે=ગાથા ૧૩૭૩થી ૧૩૭૬ના પૂર્વાર્ધ સુધીના કથનમાં અભ્યદ્યત વિહારના “અવ્યવચ્છિત્તિમન” નામના પ્રથમ દ્વારની પ્રાપ્તિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં વૃદ્ધ થયેલા ગણધર આચાર્યનું ચિંતવન બતાવ્યું કે “શું હું અચુદ્યત વિહારથી વિચરું કે અભ્યઘત શાસનથી વિધિપૂર્વક મૃત્યુને અનુસરું?” એનાથી શું પ્રાપ્ત થાય? તે દર્શાવતા ગ્રંથકારશ્રી કહે છે – જીવનના ચરમકાળમાં અભ્યદ્યત વિહાર કે અચુત મરણના સ્વીકારમાં ઉચિતનું કરણ થાય છે અને ઉચિતના કરણથી તે મહાત્માએ પ્રવ્રયા ગ્રહણ કરીને પ્રવ્રજયાનો જે ઉત્તરોત્તર વૃદ્ધિરૂપ નિર્વાહ કર્યો, તે નિર્વાહ અખંડ થાય છે. જો જીવનના ચરમકાળે અભુદ્યત વિહાર કે અભ્યદ્યત મરણ સ્વીકારવામાં ન આવે અને ગચ્છનું પાલન જ કરવામાં આવે તો, ઉચિતનું કરણ થાય નહીં, જેથી સંયમજીવનનો અંતિમકાળ વિરસ પ્રાપ્ત થાય, જેના કારણે પ્રારબ્ધની અવ્યવચ્છિત્તિ થતી નથી. આશય એ છે કે જિનાજ્ઞાનું પાલન કરવા અર્થે પ્રવ્રયાગ્રહણકાળથી માંડીને મહાત્માએ વીતરાગભાવની આસન્ન જવાના ઉદ્યમરૂપે સંયમજીવનમાં જે ઉચિત કૃત્યો કર્યા હોય, શાસ્ત્રાધ્યયન કર્યું હોય, અનુયોગ અને ગચ્છનું અનુપાલન કર્યું હોય; આમ છતાં જીવનના અંત સમયે અભ્યદ્યત વિહાર કે અભ્યદ્યત મરણરૂપ ઉચિત કૃત્ય કરવામાં ન આવે તો, ભગવાનની આજ્ઞાના પાલનમાં તેટલું ન્યૂનપણું થવાથી વીતરાગભાવની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy