SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા | કુભાવના | ગાથા ૧૬૩૬-૧૬૩૦ ૩૨૫ યોગ્ય જીવને આશ્રયીને તત્ત્વમાર્ગને અનુકૂળ કરાયેલી શુભભાવવાળી પ્રવૃત્તિ છે, પરંતુ તેવા પ્રકારના બાલિશ જનને ઇન્દ્રજાલાદિ જોઈને વિસ્મય થાય છે, તેથી તે રીતે લોકોને વિસ્મય કરાવનારા સાધુ કાંદર્પ ભાવના કરે છે. /૧૬૩૬ll અવતરણિકા : उक्ता कान्दीभावना, किल्बिषिकीमाह - અવતરણિકાર્ય : કાંદર્પ ભાવના કહેવાઈ, કિલ્બિષિકીને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૯૨૯માં પાંચ પ્રકારની સંક્લિષ્ટ ભાવનાનાં નામ બતાવેલ, તેમાંથી ગાથા ૧૬૩૧થી ૧૬૩૬માં કાંદર્પ ભાવનાનું સ્વરૂપ બતાવ્યું. હવે ગાથા ૧૬૪૨ સુધી કૈલ્બિષિકી ભાવનાનું સ્વરૂપ બતાવે છે – ગાથા : नाणस्स केवलीणं धम्मायरिआण सव्वसाहूणं । भासं अवण्ण माई किव्विसियं भावणं कुणइ ॥१६३७॥ (पडिदारगाहा)॥ અન્વયાર્થ : નાપસં=જ્ઞાનના, વત્ની કેવલીઓના, થાયરિ=ધર્માચાર્યોના, સવ્યસાદૂi=સર્વસાધુઓના અવUST બાસં અવર્ણને બોલતો (અને) મા માયી શિબ્રિસિથે માવUT Mટ્ટ કૅલ્બિષિકી ભાવનાને કરે છે. ગાથાર્થ : જ્ઞાનના, કેવલીઓના, ધર્માચાર્યોના, સર્વ સાધુઓના અવર્ણને બોલતા અને માયાવાળા સાધુ કૅલ્બિષિકી ભાવનાને કરે છે. ટીકા : ज्ञानस्य-श्रुतरूपस्य केवलिनां-वीतरागाणां धर्माचार्याणां-गुरूणां सर्वसाधूनां, सामान्येन भाषमाणोऽवर्णम्-अश्लाघारूपं, तथा मायी सामान्येन यः, स कैल्बिषिकी भावनां तद्भावाभ्यासरूपां करोतीति गाथार्थः ॥१६३७॥ ટીકાર્ય : શ્રુતરૂપ જ્ઞાનના, કેવલીઓના વીતરાગોના, ધર્માચાર્યોના=ગુરુઓના, સર્વ સાધુઓના સામાન્યથી અશ્લાઘારૂપ અવર્ણને બોલતા અને સામાન્યથી માયાવાળા જે છે તે, તે ભાવના=કિલ્બિષિકભાવના, અભ્યાસરૂપ કૈલ્બિષિકી ભાવનાને કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy