SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા / કુભાવના | ગાથા ૧૯૨૯-૧૯૩૦ વન્યપ્ન ... ભાવનીયમ્ કંદર્પાદિની આ=કંદર્પ આદિની ચેષ્ટા સંબંધી ભાવના, એ કાંદર્પ આદિ. એ પ્રકારે સર્વત્ર ભાવન કરવું-પાંચેય ભાવનાઓમાં યોજન કરવું. અષા તુ ..... માતા વળી આ=કાંદર્પ આદિ, સંક્લિષ્ટ એવી પાંચ પ્રકારની ભાવના કહેવાઈ છે. અહીં પ્રશ્ન થાય કે ભાવના એટલે શું? એથી કહે છે – તત્તત્ ..... માથાર્થ: તે તે સ્વભાવનો અભ્યાસ ભાવના છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૬૨૭માં કહ્યું કે પૂર્વે શીતલ પણ પાછળથી ઉત્પન્ન થયેલા સંવેગવાળા મહાત્મા આલોચનાને કરે છે અને પૂર્વગાથામાં કહ્યું કે તેઓ વિશેષથી સંક્લિષ્ટ ભાવનાનું વર્જન કરે છે. તેથી હવે પ્રથમ તે વર્જન કરવા યોગ્ય પાંચ પ્રકારની ભાવનાનાં નામ બતાવે છે – (૧) કાંદર્પ, (૨) દેવકૅલ્બિષિકી, (૩) આભિયોગિકી, (૪) આસુરી અને (૫) સંમોહન : એ પાંચ સંક્લિષ્ટ ભાવના છે. વળી ભાવના એટલે શું? તે સ્પષ્ટ કરતાં કહે છે – ભાવના એટલે તે તે સ્વભાવનો અભ્યાસ. તેથી એ પ્રાપ્ત થાય કે મોહથી વાસિત એવા આરાધક પણ સાધુઓ પ્રમાદને વશ થઈને કાંદપિકી આદિ ભાવનાનું આગળમાં જે સ્વરૂપ કહેવાશે તે તે પ્રકારના સ્વભાવનો અભ્યાસ કરે છે, તે કાંદર્પ આદિ ભાવના છે; જે ભાવના શિથિલપરિણામવાળા સાધુઓએ વિશેષથી સેવી હોય છે, તેમ જ અપ્રમાદી સાધુઓએ પણ પ્રમાદને વશ થઈને તે તે નિમિત્તને પામીને ક્યારેક સેવી હોય છે, જેથી તે તે ભાવનાના આત્મા પર પડેલા અનાદિના દઢ સંસ્કારોનું પોષણ મહાત્માઓથી પણ ક્યારેક થઈ જાય છે. આથી તે સંસ્કારોનું વર્જન કરવા અર્થે અનશન કરતી વખતે મહાત્માઓ આ ભાવનાના સ્વરૂપનું અત્યંત પર્યાલોચન કરીને તેનાથી વિપરીત એવો દઢ સંયમવ્યાપાર કરે છે, જેથી અંત સમયે પણ તે ભાવનાના સંસ્કારથી સંયમજીવન મલિનતાને પામે નહીં અને દેવદુર્ગતત્વથી આત્માનું રક્ષણ થાય. ૧૬૨લા ગાથા : जो संजओ वि एआसु अप्पसत्थासु वट्टइ कहंचि । सो तविहेसु गच्छइ सुरेसु भइओ चरणहीणो ॥१६३०॥ અન્વયાર્થ : સંગો વ નો સંયત પણ જે કવિ અધ્યક્ષસ્થાનું પણું વદ્દ કોઈક રીતે અપ્રશસ્ત એવી આમાં કાંદર્પ આદિ ભાવનાઓમાં, વર્તે છે, તો તે તત્રિદેણુ સુસુ છતેવા પ્રકારવાળા સુરોમાં જાય છે. રાહીનો મોકચરણહીન ભાજ્ય છે ચારિત્રથી રહિત સાધુ સુરોમાં જાય પણ કે ન પણ જાય. ગાથાર્થ : સંગત પણ જે સાધુ કોઈક રીતે અપ્રશસ્ત એવી કાંદપ આદિ ભાવનાઓમાં વર્તે છે, તે સાધુ તેવા પ્રકારના સુરોમાં જાય છે. ચારિત્રથી રહિત સાધુ સુરોમાં જાય પણ કે ન પણ જાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy