SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ સલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભાવસંલેખના / ગાથા ૧૬૦૦ ૨૯૧ અવતરણિકા : પોતાના સંયમની વૃદ્ધિ કરવા અર્થે સંલેખના કરનારા મહાત્મા, કેવા પ્રકારના સંયમના પરિશુદ્ધ અનુષ્ઠાન મહાકલ્યાણનું કારણ બને ? તેનું ભાવન કરે છે, તે બતાવે છે – ગાથા : परिसुद्धमणुट्ठाणं पुव्वावरजोगसंगयं जं तं । हेमघडत्थाणी सया वि णिअमेण इट्ठफलं ॥१६०७॥ અન્વચાઈ: પુત્રીવરનો સંપર્વ નં પરિશુદ્ધ મથુકાઈ=પૂર્વ-અપર યોગથી સંગત એવું જે પરિશુદ્ધ અનુષ્ઠાન, તે દેવસ્થામં તે હમઘટસ્થાનીય સયા વિ ળિમે રૂશ્વતં=સદા પણ નિયમથી ઇષ્ટ ફળવાળું છે. ગાથાર્થ : પૂર્વ-અપર યોગથી સંગત એવું જે પરિશુદ્ધ અનુષ્ઠાન, તે હેમઘટસ્થાનીય સદા પણ નિયમથી ઇષ્ટ ફળવાળું છે. ટીકાઃ परिशुद्धमनुष्ठानं समयशुद्ध्या पूर्वापरयोगसङ्गतं यत्रिकोटीशुद्धं, तत् हेमघटस्थानीयं वर्त्तते सदापि नियमेनेष्टफलम्-अपवर्गसाधनानुबन्धीति गाथार्थः ॥१६०७॥ ટીકાઈઃ સમયની શુદ્ધિથીકશાસ્ત્રની શુદ્ધિથી, પૂર્વ-અપર યોગથી સંગત, ત્રિકોટીથી શુદ્ધ એવું જે પરિશુદ્ધ અનુષ્ઠાન, તે તેમના ઘટસ્થાનીય=સુવર્ણના ઘડાતુલ્ય, સદા પણ નિયમથી ઈષ્ટફળવાળું છે=અપવર્ગના સાધનનું અનુબંધી વર્તે છે=મોક્ષને સાધનારા અનુબંધવાળું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંયમની સર્વ આચરણા શાસ્ત્રની શુદ્ધિથી પૂર્વ-અપર યોગથી સંગત હોય તો કલ્યાણનું કારણ બને છે અર્થાત્ જિનવચનનું દઢ અવલંબન લઈને સ્વશક્તિ અનુસાર સેવાયેલું અનુષ્ઠાન અવશ્ય ઉત્તરના અનુષ્ઠાનની નિષ્પત્તિનું કારણ બને છે. તેથી શાસ્ત્રોક્ત વિધિથી કરાતા સંયમના પૂર્વ પૂર્વના અનુષ્ઠાનો ઉત્તરના અપર અપર અનુષ્ઠાનનો યોગ કરાવવા દ્વારા અવશ્ય આત્મકલ્યાણનું કારણ બને છે; પરંતુ સ્વભૂમિકાને ઉચિત અનુષ્ઠાનનો વિચાર ર્યા વગર માત્ર સ્વરુચિ અનુસારે અનુષ્ઠાન સેવવામાં આવે તે પૂર્વના અનુષ્ઠાનો તો ઉત્તર-ઉત્તરના ઉચિત અનુષ્ઠાનની પ્રાપ્તિનું કારણ બનતું નથી, માટે તે અનુષ્ઠાન પરિશુદ્ધ બને નહીં. તેથી જે અનુષ્ઠાન શાસ્ત્રની શુદ્ધિથી પૂર્વ-અપર યોગથી સંગત હોય તે અનુષ્ઠાન પરિશુદ્ધ છે. વળી આવે પરિશુદ્ધ અનુષ્ઠાન ત્રિકોટીથી શુદ્ધ છે અર્થાત્ કષ, છેદ અને તાપપરીક્ષાથી શુદ્ધ છે, તેથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy