SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાસ્તુક | ગાથા ૧૩૬૮-૧૩૬૯ તે અતિપ્રસંગના નિવારણ અર્થે ગ્રંથકારશ્રી કહે છે કે સંલેખના દ્વારમાં દેહ, કષાયાદિને કૂશ કરવા સ્વરૂપ જે તપ-ક્રિયા કહેલ છે, તે વિશિષ્ટ પ્રકારની તપ-ક્રિયા ગ્રહણ કરાય છે, જે વિશિષ્ટ એવી તપ-ક્રિયા જીવનના ચરમકાળમાં દેહનો ત્યાગ કરવા માટે થાય છે. આનાથી એ ફલિત થાય કે સાધુ સંયમજીવનના પ્રારંભથી જે જે તપ અને જે જે ક્રિયાઓ કરે છે, તે પણ દેહ, કષાયો અને યોગોના અસ્થર્યને કૃશ કરવા અર્થે જ છે; તોપણ શાસ્ત્રોથી સંપન્ન થયેલા ઋષિ સંયમજીવનનાં સર્વ ઉચિત કૃત્યો કરીને જીવનના ચરમકાળે વિશિષ્ટ પ્રકારના ઉત્તરભવની પ્રાપ્તિ માટે જે વિશિષ્ટ પ્રકારે તપ અને ક્રિયાઓ કરે છે, તે દેહાદિને સર્વથા કૃશ કરીને દેહનો ત્યાગ કરવા અર્થે છે. તેથી તેને અહીં “સંલેખના” કહેલ છે. વળી તે સંલેખનામાં વીર્યના પ્રકર્ષથી ઉદ્યમ કરવામાં આવે તો સંલેખનકાળમાં જ જીવને કેવળજ્ઞાનની પ્રાપ્તિ દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે અથવા વીર્યના પ્રકર્ષથી ઉદ્યમ કરવા છતાં સંસારના કારણભૂત એવા સર્વ કર્મોનો નાશ નહીં થવાથી મોક્ષ પ્રાપ્ત ન થાય, તોપણ તે જીવને યોગમાર્ગ માટે અત્યંત ઉપકારક એવો ઉત્તરભવ પ્રાપ્ત થાય છે. આથી વીર્યના પ્રકર્ષ અર્થે ચરમ સમયે કરાતી વિશિષ્ટ તપ-ક્રિયાને પ્રસ્તુતમાં “સંલેખના” કહેલ છે. ૧૩૬૮ અવતરણિકા: વેવાઈ – અવતરણિતાર્થ : આને જ કહે છે – ભાવાર્થ : ગાથા ૧૩૬૭માં “સંલેખના' શબ્દનું વ્યુત્પત્તિ અર્થને આશ્રયીને કરેલ લક્ષણ સાધુની સંયમજીવનની સર્વ જ તપ-ક્રિયામાં અતિવ્યાપ્ત થતું હતું, તે અતિવ્યાપ્તિના નિવારણ અર્થે ગ્રંથકારશ્રીએ પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે જીવનના ચરમકાળમાં કરાતી એવી વિશિષ્ટ તપ-ક્રિયા જ સંલેખનારૂપે ગ્રહણ કરાય છે. તેથી ગણિ આદિ પદનું પાલન કર્યા પછી સાધુઓ જે વિશિષ્ટ તપ-ક્રિયારૂપ સંખના કરે છે, એને જ કહે છે – ગાથા : परिपालिऊण विहिणा गणिमाइपयं जईणमिअमुचिअं । अब्भुज्जओ विहारो अहवा अब्भुज्जयं मरणं ॥१३६९॥ અન્વયાર્થ: મgિયંકગણિ આદિ પદને વિશિTI=વિધિથી રિપબ્લિકા=પરિપાલન કરીને નાં યતિઓને ફમં આ=ગાથાના ઉત્તરાર્ધમાં બતાવે છે એ, રિગં ઉચિત છે : મુક્ત વિહારો અભ્યત વિહાર, ગવા=અથવા અમુwથે મર=અભ્યદ્યત મરણ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy