SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ સંલેખનાવતુક | અભ્યધત મરણ/ દ્રવ્યસંલેખના / ગાથા ૧૫૯૧-૧૫૯૨ યોગોને જેમ તેમ સેવવાની પ્રકૃતિ દઢ થયેલી છે. તેથી તેઓ મરણયોગ સ્વીકારે તોપણ, જિનવચનાનુસાર શુભભાવોની વૃદ્ધિ કરી શકે નહીં. માટે જેમણે પૂર્વે અસપત્ન યોગો સેવ્યા છે, તેઓ ઉચિત કાળે મરણયોગ સ્વીકારવાના અધિકારી છે, અન્ય નહીં. અહીં “પ્રાયઃ' શબ્દથી એ પ્રાપ્ત થાય કે, અત્યંત આરાધક પણ મહાત્માએ પ્રમાદના વશથી ક્યારેક ઔચિત્યથી અસપત્ન એવા શુભયોગો સેવ્યા ન હોય, તોપણ તેઓ મરણયોગને સ્વીકારવા ઉચિત છે; છતાં મોટાભાગે તે પ્રકારનો અભ્યાસ કર્યો હોય તેવા મહાત્મા જ મરણયોગને સ્વીકારવા ઉચિત છે. વળી અમરણધર્મવાળા વીતરાગ વડે” એ પ્રકારના વિશેષણથી એ કહેવું છે કે, વીતરાગે અનંતમરણની પરંપરાનો ઉચ્છેદ કર્યો છે, ફક્ત આ ભવના અંતે એક વાર જ મરવાનું બાકી છે, તેથી તેઓ અમરણધર્મવાળા છે; અને વીતરાગે સાધુઓને પણ પોતાના જેવા અમરણધર્મવાળા થવાનો ઉપદેશ આપ્યો છે. તેથી જે મહાત્મા અભ્યઘત મરણ સ્વીકારે છે અને જેટલા વીતરાગભાવની આસન્ન થાય છે, તેઓ તેટલા અંશથી અનંતા મરણોની પરંપરાનો ઉચ્છેદ કરે છે, અને જ્યારે તેઓ વીતરાગ બને છે ત્યારે અમરણધર્મવાળા બને છે. આથી અમરણધર્મવાળા વીતરાગે અમરણધર્મની પ્રાપ્તિના ઉપાયરૂપે સાધુઓને ઉચિત કાળે આ મરણયોગ સ્વરૂપ સંલેખના બતાવેલ છે. ૧૫૯૧ અવતરણિકા: यतश्चैवम् - અવતરણિકાર્ય : અને જે કારણથી આમ છે, તે કારણથી શું? તે બતાવે છે – ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે જેઓને પ્રાયઃ અસપત્ન એવા શુભયોગો અભ્યસ્ત છે, તેઓને મરણયોગનો સમય ઉચિત નિર્દિષ્ટ છે. તેથી શું પ્રાપ્ત થાય? તે પ્રસ્તુત ગાથામાં સ્પષ્ટ કરે છે – ગાથા : ता आराहेमु इमं चरमं चरमगुणसाहगं सम्मं ।। सुहभावविवड्डी खलु एवमिह पवत्तमाणस्स ॥१५९२॥ અન્વચાઈ: =તે કારણથી ચરમસીદ વર નં-ચરમ ગુણના સાધક ચરમ એવા આને=શુભયોગને, સમ્પ મારે =અમે સમ્યમ્ આરાધીએ, વં=એ પ્રકારના સુમાવવી=શુભભાવની વિવૃદ્ધિ રૂદ પવત્તમા અહીં પ્રવર્તતાને=સંલેખનામાં પ્રવર્તતા એવા મહાત્માને, થાય છે. * “' વાક્યાલંકારમાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy