SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સલેખનાવતુક | ગાથા ૧૩૬૦-૧૩૬૮ ક્રિયા પUUત્તા પ્રજ્ઞપ્ત છે; =જે કારણથી તપ-તેના વડેeતપ-ક્રિયા વડે, ૩િ નિયમથી દેસાવાડું દેહ, કષાયાદિ સિંિહwટ્ટ સંલેખાય છે કૃશ કરાય છે. * “રાજુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : સંલેખના નામની પાંચમી વસ્તુના પ્રક્રમમાં જિનવર વડે સંલેખના તપ-ક્રિયા પ્રજ્ઞપ્ત છે; જે કારણથી તપ-ક્રિયા વડે નિયમથી દેહ, કષાયાદિ કુશ કરાય છે. ટીકા : संलेखना इह खलु प्रक्रमे तपःक्रिया विचित्रा जिनवरैः प्रज्ञप्ता, किमित्याह-यद्-यस्मात्तया संलिख्यते कृशीक्रियते देहकषायादि बाह्यमान्तरं च नियमेनेति गाथार्थः ॥१३६७॥ ટીકાર્ય : - આ પ્રક્રમમાં=સંલેખના નામની પાંચમી વસ્તુના પ્રક્રમમાં, જિનવર વડે વિચિત્ર એવી તપ-ક્રિયા=વિવિધ પ્રકારની તપ અને ક્રિયા, સંલેખના પ્રજ્ઞપ્ત છે–પ્રરૂપાયેલ છે. કેમ? અર્થાત્ વિચિત્ર એવી તપ-ક્રિયારૂપ સંલેખના જિનવર વડે કેમ પ્રજ્ઞપ્ત છે? એથી કહે છે – જે કારણથી તેના વડે=વિચિત્ર એવી તપ-ક્રિયા વડે, નિયમથી બાહ્ય અને આંતર એવા દેહ, કષાયાદિ સંલેખાય છેઃકુશ કરાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: સાધુએ જીવનના ચરમ સમયે સંલેખના કરવાની હોય છે, તેથી પ્રસ્તુત ગ્રંથમાં પ્રવ્રયાવિધાન આદિનું વર્ણન કરતાં હવે ક્રમથી સંલેખનાનો પ્રક્રમ ચાલી રહ્યો છે. ત્યાં ભગવાને વિવિધ પ્રકારની તપ-ક્રિયાને સંલેખના” કહેલ છે. અહીં પ્રશ્ન થાય કે સંલેખનાને વિવિધ પ્રકારની તપ-ક્રિયા સાથે શું સંબંધ છે? કે જેથી તપ-ક્રિયાને સંલેખના કહી? તેથી કહે છે – સંખના એટલે કૃશ કરવાની ક્રિયા. જીવનના ચરમ સમયે જે તપ-ક્રિયા કરવામાં આવે છે, તેનાથી નક્કી બાહ્ય એવું શરીર કૃશ થાય છે અને અંતરંગ એવા કષાય વગેરે કૃશ થાય છે. આથી જે તપ-ક્રિયાથી નિયમથી દેહ, કષાયાદિ કૃશ થાય, તે તપ-ક્રિયાને સંલેખના કહેવાય છે. I૧૩૬૭ અવતરણિકા : अतिप्रसङ्गपरिहारमाह - અવતરણિયાર્થ: અતિપ્રસંગના પરિહારને કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy