SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન | ગાથા ૧૫૬૪ ૨૩૦ . ગાથાર્થ: નનુથી કોઈ શંકા કરે છે – જે ગાથા ૧૫૫૦થી ૧૫૬૩માં સ્થાપન કર્યું એ રીતે અભ્યધત વિહારથી વિરવિહાર પ્રધાન છે, તો ગીતાર્થ પણ મુનિઓ સ્થવિરવિહારને છોડીને જિનકલ્પને કેમ સ્વીકારે છે? તેનો ઉત્તર આપે છે – કાલોચિત અનશન સમાન છે. ટીકા : यद्येवं किमिति मुनयः स्थविरविहारं विहाय गीतार्था अपि सन्तः प्रतिपद्यन्ते एनं-जिनकल्पं ननु, कालोचितमनशनसमानं तद्, आज्ञाऽभङ्गादिति गाथार्थः ॥१५६४॥ ટીકાઈ: નનુથી કોઈ શંકા કરે છે – જો આમ છે=ગાથા ૧૫૫૭થી ૧૫૬૩માં સ્થાપન કર્યું એ રીતે અભ્યદ્યતવિહારથી સ્થવિરવિહાર પ્રધાન છે એમ છે, તો ગીતાર્થ છતા પણ મુનિઓ સ્થવિરવિહારને છોડીને આને જિનકલ્પને, કયા કારણથી સ્વીકારે છે ? તેનો ઉત્તર આપે છે – તે કાલોચિત અનશનસમાન છે=ગીતાર્થો સ્થવિરવિહારને છોડીને જિનકલ્પને સ્વીકારે છે તે ચરમકાળમાં ઉચિત એવા અનશન જેવો છે; માટે ગીતાર્થો વિરવિહારને છોડીને જિનકલ્પને સ્વીકારે છે, એમ અન્વય છે; કેમ કે આજ્ઞાનો અભંગ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગાથા ૧૫૫૭થી ૧૫૬૩ સુધી ગ્રંથકારશ્રીએ અન્ય આચાર્યોનો મત બતાવીને સ્થાપન કર્યું કે અભ્યદ્યત વિહાર સ્થવિરવિહારથી પ્રધાન નથી. ત્યાં શંકા થાય કે જો અભ્યઘત વિહાર સ્થવિરવિહારથી પ્રધાન ન હોય તો, કદાચ અગીતાર્થ મુનિઓ અજ્ઞાનને કારણે અભ્યત વિહાર સ્વીકારે તેવું બને, પરંતુ ગીતાર્થ પણ મુનિઓ પોતાને પ્રાપ્ત થયેલા શ્રેષ્ઠ એવા સ્થવિરવિહારને છોડીને જિનકલ્પ આદિ સ્વરૂપ અભ્યદ્યત વિહારને કેમ સ્વીકારે છે? અર્થાત્ તેઓએ અભ્યદ્યત વિહાર સ્વીકારવો જોઈએ નહીં; કેમ કે વિવેકી પુરુષો નીચલી ભૂમિકાની પ્રવૃત્તિનો ત્યાગ કરીને ઉપરની ભૂમિકાની પ્રવૃત્તિ જ સ્વીકારે, જેથી અધિક હિતની પ્રાપ્તિ થાય. તેનું સમાધાન કરતાં ગાથા ૧૫૫૭માં સ્વમતનો પ્રારંભ કરનારા એવા અન્ય આચાર્યો કહે છે કે જેમ ઉચિત કાળે અનશન કરવું હિતાવહ છે, તેમ ઉચિત કાળે જિનકલ્પ સ્વીકારવો પણ હિતાવહ છે. માટે ગીતાર્થ પણ મુનિઓ સ્થવિરવિહારને છોડીને અભ્યદ્યત વિહાર સ્વીકારે છે. વળી ભગવાનની આજ્ઞા છે કે જે કાળે જે પ્રવૃત્તિ ઉચિત હોય, તે કાળે તે પ્રવૃત્તિ કરવી એ કલ્યાણનું કારણ છે, પરંતુ માત્ર શ્રેષ્ઠ હોવાથી કોઈ પ્રવૃત્તિ કલ્યાણનું કારણ બનતી નથી. આથી સ્થવિરવિહાર સ્વપરના ઉપકારનું કારણ હોવા છતાં ઉત્તમ ભાવોની નિષ્પત્તિ માટે જેમ મહાત્માઓ ઉચિત કાળે અનશન કરે છે, તેમ વિરવિહારને સેવીને પરોપકારાદિ કૃત્યો કરીને સંપન્ન થયેલા ગીતાર્થ પણ મહાત્માઓ પોતાનો અંતિમકાળ અત્યંત અપ્રમાદવાળો બને તદર્થે ઉચિત કાળે સ્થવિરવિહારને છોડીને અભ્યત વિહાર સ્વીકારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy