SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | યથાલંદકાની મયદા/ ગાથા ૧૫૫૨-૧૫૫૩ ૨૨૧ ગાથા : पुव्वपडिवनगाण वि उक्कोसजहण्णओ परीमाणं । कोडिपुहत्तं भणिअं होइ अहालंदिआणं तु ॥१५५३॥ અન્વયાર્થ: પુત્રપકિવન્ના વિ તુ મહાનંદિમાdi=વળી પૂર્વપ્રતિપન્નક પણ યથાસંદિકોનું 100મો પરીમvi ઉત્કૃષ્ટ-જઘન્યથી પરિમાણ સોવિપુદત્ત દિગં રોફ કોટિપૃથક્ત કહેવાયેલું થાય છે. ગાથાર્થ : વળી પૂર્વપ્રતિપન્નક પણ યથાલંદિકોનું ઉત્કૃષ્ટ-જઘન્યથી પરિમાણ કોટિપૃથક્ત કહેવાયેલું થાય છે. ટીકાઃ पूर्वप्रतिपन्नानामपि सामान्येन उत्कृष्टजघन्यतः परिमाणं कोटिपृथक्त्वं भणितं भवति स्वस्थानविशेषवद्यथालन्दिकानां त्विति गाथार्थः ॥१५५३॥ ટીકાર્થ: વળી પૂર્વપ્રતિપન્ન પણ સ્વસ્થાનના વિશેષવાળા યથાસંદિકોનું-પૂર્વમાં જેમણે યથાલંદ સ્વીકારેલ છે તેવા પણ પોતાના જઘન્યસ્થાન અને ઉત્કૃષ્ટ સ્થાનના ભેદવાળા યથાસંદિકોનું, સામાન્યરૂપે ઉત્કૃષ્ટ-જઘન્યથી પરિમાણ કોટિપૃથક્ત કહેવાયેલું થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૫૫૧માં યથાલંદિકોનું ગણને અને પુરુષને આશ્રયીને સામાન્યથી સંખ્યાનું પ્રમાણ બતાવ્યું. હવે વિશેષથી સંખ્યાનું પ્રમાણ બતાવવા કહે છે કે પાંચ યથાસંદિકોના સમુદાયરૂપ ગચ્છમાંથી ક્યારેક ગ્લાનવાદિને કારણે એકાદિ યથાલંદિક ન્યૂન થયા હોય ત્યારે અન્ય કોઈ સાધુ યથાલંદ સ્વીકારવા તત્પર થાય તો તે ગચ્છમાં નવા યથાસંદિકનો પ્રક્ષેપ કરવા દ્વારા તે ન્યૂન થયેલો ગચ્છ પુરાય છે. તેથી એક ગણને આશ્રયીને પ્રતિપદ્યમાન યથાસંદિકો જઘન્યથી એકાદિ હોય. વળી, ક્યારેક યથાસંદિકોના ઘણાં ગણોમાં કોઈક નિમિત્તે એકાદિ યથાસંદિકો ન્યૂન થયા હોય ત્યારે અન્ય કેટલાક સાધુઓ યથાલંદ સ્વીકારવા તત્પર થાય, તો તે ગચ્છોમાં નવા યથાલંદિકોનો પ્રક્ષેપ કરવા દ્વારા તે ન્યૂન થયેલા ગચ્છો પુરાય છે. તેથી ઘણા ગણોને આશ્રયીને પ્રતિપદ્યમાન યથાસંદિકો ઉત્કૃષ્ટથી શતપૃથક્ત પણ હોય, વળી, જેમણે પૂર્વે યથાલંદ સ્વીકારેલ છે તેવા યથાસંદિકો જઘન્યથી પણ ક્રોડપૃથક્ત હોય અને ઉત્કૃષ્ટથી પણ ક્રોડપૃથક્ત હોય; ફક્ત પૂર્વપ્રતિપન્ન યથાસંદિકો ઉત્કૃષ્ટથી મોટી સંખ્યાવાળા કોટિપૃથક્વ હોય છે અને જઘન્યથી નાની સંખ્યાવાળા કોટિપૃથક્ત હોય છે, પરંતુ આવો ભેદ કર્યા વગર સામાન્યથી વિચારીએ તો જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વપ્રતિપન્ન યથાસંદિકો સદા કોટિપૃથક્ત પ્રાપ્ત થાય છે. તે દર્શાવવા જ ટીકામાં કહ્યું કે પૂર્વપ્રતિપન્ન પણ સ્વસ્થાનના ભેદવાળા યથાસંદિકો કોટિપૃથક્વ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy