SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ સલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | યથાલંદકલ્પની મયદા / ગાથા ૧૫૪૪-૧૫૪૫ ૨૧૩ ટીકાર્ય : તેઓને= યથાસંદિકોને, તેને=અર્થશેષને, આપે છે. કયા કારણથી આ આમ છે? યથાસંદિકો આચાર્ય પાસે આવીને અર્થશેષ ગ્રહણ કરતા નથી પરંતુ આચાર્ય યથાસંદિકો પાસે જઈને અર્થશેષને આપે છે એ એમ કેમ છે? એથી કહે છે – તેના અર્થે ક્ષેત્રને વિષે આવતા એવા=અગૃહીત અર્થશેષને ગ્રહણ કરવા માટે જે ક્ષેત્રમાં આચાર્ય હોય તે ક્ષેત્રમાં આવતા એવા, તેઓને= યથાલંદિકોને, આ=વક્ષ્યમાણ, દોષો થાય છે. તે દોષો જ બતાવે છે – વિંદતા એવા સાધુઓને નહીં વંદતા એવા તેઓનો યથાસંદિકોનો, લોકમાં પરિવાદ થાય છે. જે પરિવાદ યાથી સ્પષ્ટ કરે છે – આ અલોકજ્ઞ છે= યથાસંદિકો લોકને નહીં જાણનારા છે,” એ પ્રકારનો લોકમાં પરિવાદ થાય છે. અથવા “પર શીલથી રહિત છે= યથાલંદિકો જેઓને વંદન કરતા નથી તે અધિક સંયમપર્યાયવાળા સાધુઓ ચારિત્રથી રહિત છે,” એ પ્રકારનો લોકમાં પરિવાદ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગાથા ૧૫૪૩માં કહ્યું કે અર્થનો સ્તોકમાત્ર દેશ અસમાપ્ત હોતે છતે યથાસંદિકોને ગચ્છમાં પ્રતિબંધ છે. ત્યાં પ્રશ્ન થાય કે તેટલો અર્થશેષ ભણ્યા પછી યથાલંદ સ્વીકારવાને બદલે પહેલાં કેમ સ્વીકારે છે? તેથી કહે છે – શુભ લગ્નાદિનો યોગ હોય અને નજીકના કાળમાં બીજા તેવા શુભ લગ્નાદિનો વિરહ હોય તો, પ્રાપ્ત થયેલા તે શુભ લગ્નાદિથી તેઓ યથાલંદ સ્વીકારે છે. તેથી તેટલો અર્થશેષ ભણવાનો તેઓને ગચ્છમાં અવકાશ નહીં રહેલ હોવાથી તેઓ યથાલંદ સ્વીકાર્યા પછી ગચ્છથી નીકળીને બહારના ક્ષેત્રમાં યથાલંદને ઉચિત વિશિષ્ટ ક્રિયાથી યુક્ત રહે છે, અને ત્યાં રહેલા જ પોતાને જે અર્થ ગ્રહણ કરવાના બાકી છે તે અર્થશેષને આચાર્ય પાસે ગ્રહણ કરે છે. સામાન્યથી યથાસંદિકોએ અર્થશેષ ગ્રહણ કરવા આચાર્ય પાસે જવું જોઈએ, તેને બદલે વિશેષ પ્રયોજનથી આચાર્ય સ્વયં તેઓ પાસે જઈને તેઓને અર્થશેષ આપે છે; કેમ કે અર્થશેષ ગ્રહણ કરવા યથાસંદિકો આચાર્ય પાસે જાય તો આ દોષો થાય છે – યથાસંદિકોએ અભ્યત વિહાર સ્વીકારેલ હોવાથી અન્ય સાધુઓ તેઓને વંદન કરે છે અને યથાસંદિકો પોતાનાથી અધિક સંયમપર્યાયવાળા સાધુઓને વંદન કરતા નથી, તે જોઈને લોકમાં પરિવાદ થાય. કેવા પ્રકારનો પરિવાદ થાય ? તે સ્પષ્ટ કરે છે – આ યથાસંદિકો અલોકજ્ઞ છે અર્થાત્ લોકનો ઉચિત વ્યવહાર પણ જાણતા નથી, માટે તેઓ આ સાધુઓને વંદન કરતા નથી; અથવા તો કેટલાક વિચારે કે આ સાધુઓ અધિક સંયમપર્યાયવાળા હોવા છતાં યથાસંદિકો તેઓને વંદન કરતા નથી, માટે નક્કી આ સાધુઓ ચારિત્રથી રહિત છે. આ પ્રકારે લોકમાં થતા પરિવારના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy