SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ સંલખનાવજીક | અભ્યધત વિહાર | યથાલંદકાની મર્યાદિા / ગાથા ૧૫૪૩ ટીકા : ___ प्रतिबद्धा गच्छे इतरेऽपि च अप्रतिबद्धाः, एकैकास्ते प्रतिबद्धाः अप्रतिबद्धाश्च जिनाश्च स्थविराश्चेति भूयो भिद्यन्ते, ये जिनकल्पं प्रतिपद्यन्ते ते जिनाः, ये तु स्थविरकल्पमेव ते स्थविरा इति, तत्रार्थस्यैव . न सूत्रस्य देशे असमाप्ते सति स्तोकमात्रे तेषां प्रतिबन्धो गच्छे जिनानाम्, अन्यथा जिना एव स्युरिति મથાર્થ: ૨૫૪રૂા ટીકાઈ: યથાસંદિકો ગચ્છમાં પ્રતિબદ્ધ અને ઇતર પણ અપ્રતિબદ્ધ, હોય છે. એકેક–પ્રતિબદ્ધ અને અપ્રતિબદ્ધ, એવા તેઓ= યથાસંદિકો, જિનો અને સ્થવિરો એ પ્રકારે ફરી ભેદાય છે=બે પ્રકારના છે. જેઓ જિનકલ્પને સ્વીકારે છે તેઓ જિન છે=જિનયથાલદિક છે, વળી જેઓ સ્થવિરકલ્પને જ સ્વીકારે છે તેઓ સ્થવિર છે=સ્થવિરયથાલદિક છે. ત્યાં=જિન અને સ્થવિર એ બે પ્રકારના પ્રતિબદ્ધ અને અપ્રતિબદ્ધ યથાલદિકમાં, સૂત્રનો નહીં અર્થનો જ સ્તોકમાત્ર દેશ અસમાપ્ત હોતે છતે જિન એવા તેઓને યથાસંદિકોને, ગચ્છમાં પ્રતિબંધ છે, અન્યથા જિનો જ થાત=અર્થનો જ સ્તોકમાત્ર દેશ સમાપ્ત થયો હોત તો જિનયથાલંદિકો જિન જ થાત, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જિનકલ્પિકો કરતાં યથાસંદિકોનો સૂત્રવિષયક ભેદ બતાવવા પ્રથમ યથાસંદિકો કેટલા પ્રકારના છે? તે બતાવે છે – યથાસંદિકો બે પ્રકારના છે : (૧) પ્રતિબદ્ધ (૨) અપ્રતિબદ્ધ. તેમાં ગચ્છ સાથે સંબંધની બુદ્ધિ ધરાવનારા યથાસંદિકો પ્રતિબદ્ધ છે અને બીજા અપ્રતિબદ્ધ છે. વળી તે પ્રતિબદ્ધ અને અપ્રતિબદ્ધ યથાસંદિકો પણ બે પ્રકારના છે : (૧) જિન (૨) સ્થવિર. તેમાં જે યથાસંદિકો જિનકલ્પને સ્વીકારશે તેઓ જિનયથાલદિક છે અને જે યથાસંદિકો સ્થવિરકલ્પને સ્વીકારશે તેઓ સ્થવિરયથાલદિક છે. આ રીતે યથાસંદિકોના ચાર પ્રકાર બતાવ્યા પછી તેઓનો જિનકલ્પિકોથી સૂત્રવિષયક ભેદ બતાવતાં કહે છે – જેમ જિનકલ્પિકો નવ પૂર્વથી અધિક શ્રુત ભણેલા હોય છે તેમ યથાસંદિકો પણ સૂત્રથી નવ પૂર્વથી અધિક શ્રુત ભણેલા હોય છે, ફક્ત કોઈક યથાલંદિકને અર્થથી શ્રુતનો થોડોમાત્ર ભાગ અસમાપ્ત હોય તેવું બને; અને જેઓને શ્રુતનો સ્ટોકમાત્ર અર્થ ભણવાનો બાકી હોય તેવા યથાસંદિકોને તે અર્થશેષની સમાપ્તિ કરવા માટે ગચ્છમાં પ્રતિબંધ હોય છે, આથી તેઓ પ્રતિબદ્ધજિનયથાસંદિક છે. વળી સૂત્રના અર્થનો તેટલો ભાગ તેઓને સમાપ્ત થયો હોત તો તેઓ સર્વત્ર અપ્રતિબંધવાળા જિનો જ થાત. આશય એ છે કે જિનયથાલંદિકો પ્રતિબદ્ધ અને અપ્રતિબદ્ધ : એમ બે પ્રકારે હોય છે. તેમાં પ્રતિબદ્ધજિનયથાસંદિકો પોતાને જે અર્થનું અધ્યયન બાકી છે તેની પરિસમાપ્તિ માટે ગચ્છમાં પ્રતિબંધ રાખે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy