SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ સંલેખનાવસ્તક / અભ્યધત વિહાર | યથાલંદકલ્પની મર્યાદા / ગાથા ૧૫૪૧-૧૫૪૨ દરમિયાન પ્રત્યેક વીથીમાં ઉત્કૃષ્ટથી પાંચ પાંચ દિવસ ભિક્ષાટન કરે તો છયે વીથીઓમાં ઉત્કૃષ્ટ યથાલંદની પ્રાપ્તિ થાય; અને તેવા ભિક્ષાટન નિમિત્તક ઉત્કૃષ્ટ યથાલંદને સામે રાખીને આ ત્રીજા પ્રકારનો અભ્યદ્યત વિહાર સ્વીકારનાર સાધુઓને “યથાલંદી' કહેવાય છે. વળી તે યથાલંદી સાધુઓનો સ્વકીય ગચ્છ ઉત્કૃષ્ટથી પાંચ સાધુઓના પરિમાણવાળો હોય છે, તેથી કોઈ કારણસર તેઓનો ગચ્છ પાંચથી ન્યૂન સાધુઓના પરિમાણવાળો પણ હોય, એમ પ્રાપ્ત થાય./૧૫૪૧il. અવતરણિકા : પૂર્વમાં “યથાલંદ' શબ્દની વ્યુત્પત્તિ કરીને ત્રીજા પ્રકારનો અભ્યત વિહાર સ્વીકારનારા સાધુઓને યથાલંદી કેમ કહેવાય છે? તેની સ્પષ્ટતા દ્વારા યથાલંદકલ્પની સામાચારી બતાવી, હવે યથાસંદિકોની મર્યાદા ગાથા ૧૫૫૩ સુધી બતાવે છે – ગાથા : जा चेव य जिणकप्पे मेरा स च्चेव लंदिआणं पि । णाणत्तं पुण सुत्ते भिक्खाचरि मासकप्पे अ ॥१५४२॥ અન્વયાર્થ : . ના વેવય નિવણે મેર=અને જે જ જિનકલ્પમાં મર્યાદા છે, સ ત્રેવ નંતિમ પિત્રુતે જ (મર્યાદા) નંદિકોની પણ છે. પત્ત પુ સુત્તે મિક્સવારિ બાપે ૩ વળી સૂત્રવિષયક, ભિક્ષાચર્યાવિષયક અને માસકલ્પવિષયક નાનાત્વ છે=જિનકલ્પિકોથી યથાસંદિકોને જુદાપણું છે. ગાથાર્થ : અને જે જ જિનકામાં મર્યાદા છે, તે જ મર્યાદા ચચાલંદિકોની પણ છે. વળી સૂત્રવિષયક, ભિક્ષાચચવિષયક અને માસકાવિષયક જિનકલ્પિકોથી યથાસંદિકોનું નાનાત્વ છે. ટીકાઃ __ यैव च जिनकल्पे मर्यादोक्ता भावनादिरूपा, सैव च यथालन्दिकानामपि प्रायशः, नानात्वं पुनस्तेभ्यः सूत्रे-सूत्रविषयं तथा भिक्षाचर्यायां मासकल्पे चेति गाथार्थः ॥१५४२॥ ટીકાઈ: અને જે જ જિનકલ્પમાં ભાવનાદિરૂપ મર્યાદા કહેવાઈ, અને તે જ મર્યાદા પ્રાયઃ યથાસંદિકોની પણ છે. વળી સૂત્રના વિષયવાળું, તથા ભિક્ષાચર્યાવિષયક અને માસકલ્પવિષયક તેઓથી નાનાત્વ છે=જિનકલ્પિકોથી યથાલંદિકોનું જુદાપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: જિનકલ્પ સ્વીકારતા પૂર્વે ભાવના આદિથી સંપન્ન થવાની જે મર્યાદા જિનકલ્પમાં પૂર્વે કહેવાઈ, તે સર્વ મર્યાદા પ્રાયઃ કરીને યથાસંદિકોને પણ સમાન જ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy