SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ સંખનાવસ્તક અભ્યધત વિહાર | યથાલંદિકની સામાચારી/ ગાથા ૧૫૩૯-૧૫૪૦ ૨૦૫ ટીકા: लन्दं तु भवति कालः, समयपरिभाषेयं, स पुनः काल उत्कृष्टो मध्यमो जघन्यः, सामयिक एवायं द्रष्टव्यः, उदकाकरो यावदिह सामान्येन लोके शुष्यति, तावद्भवति तु जघन्य इह प्रक्रमे इति गाथार्थः ॥१५३९॥ ટીકાર્ય : વળી લંદ કાળ થાય છે. આ સમયની પરિભાષા છે= લંદ' એટલે કાળ એ શાસ્ત્રની પરિભાષા છે. વળી તે કાળ ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય છે. આ સામયિક જ જાણવોત્રકાળ સમયસંબંધી જ અર્થાત્ શાસ્ત્ર સંબંધી જ, જાણવો. અહીં લોકમાં, ઉદકથી આર્ટ્સ કર=પાણીથી ભીના હાથ, સામાન્યથી જ્યાં સુધી સુકાય છે, ત્યાં સુધી આ પ્રક્રમમાં=ચારિત્રના પ્રક્રમમાં, જઘન્ય કાળ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગ્રંથકારશ્રીને અભ્યઘત વિહારના વર્ણનમાં ક્રમથી પ્રાપ્ત એવા યથાલંદનું સ્વરૂપ બતાવવું છે. તેથી પ્રથમ “લંદ' શું છે? તે સ્પષ્ટ કરતાં કહે છે કે શાસ્ત્રીય પરિભાષાથી લંદ એટલે કાળ. તે કાળ જઘન્ય-મધ્યમઉત્કૃષ્ટના ભેદથી ત્રણ પ્રકારનો છે. આ ત્રણ પ્રકારનો કાળ શાસ્ત્ર સંબંધી જાણવો; કેમ કે પ્રસ્તુતમાં સંયમી સાધુના ચારિત્રનો જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ કાળ કહેવો છે, પરંતુ કોઈ વસ્તુનો કે કોઈ વ્યક્તિના આયુષ્યનો જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ કાળ કહેવો નથી. આથી ટીકામાં કહેલ છે કે આ કાળ સમયસંબંધી જ જાણવો. વળી તેમાં ચારિત્રનો જઘન્ય કાળ બતાવતાં કહે છે કે યથાસંદિકોના પ્રક્રમમાં જઘન્ય કાળ આ છે – લોકમાં પાણીથી ભીનો હાથ સામાન્યથી જેટલા કાળમાં સુકાય, તેટલો કાળ ચારિત્રનો જઘન્ય કાળ છે. અહીં ‘સામાજોન' શબ્દથી એ પ્રાપ્ત થાય કે અત્યંત ગરમીવાળા વાતાવરણમાં ભીનો હાથ તરત સુકાઈ જાય છે અને અત્યંત ભેજવાળા વાતાવરણમાં ભીનો હાથ દીર્ઘ કાળે સુકાય છે, તે રૂપ વિશેષ સંયોગોનું ગ્રહણ કર્યા વગર સામાન્ય સંયોગોમાં ભીનો હાથ જેટલા કાળમાં સુકાઈ જાય તેટલો કાળ ચારિત્રને આશ્રયીને જઘન્ય કાળ છે. આથી કોઈ સાધુ ભાવથી ચારિત્રના પરિણામમાં, ભીનો હાથ જેટલીવારમાં સુકાય તેટલો કાળ રહે તો તે સાધુને ચારિત્રના જઘન્ય કાળની પ્રાપ્તિ થાય. /૧૫૩ ગાથા : उक्कोस पुव्वकोडी मज्झे पुण होंति णेगठाणा उ । एत्थ पुण पंचरत्तं उक्कोसं होइ अहालंदं ॥१५४०॥ અન્વયાર્થ: કોણ પુષ્યોડી=ઉત્કૃષ્ટ (કાળ) પૂર્વકોટિ છે, મે પુછ નેતા હૉતિ વળી મધ્ય (કાળ) અનેક સ્થાનો થાય છે. પ્રત્યે પુ=વળી અહીં યથાલંદના પ્રક્રમમાં, પંચરત્ત પાંચ રાત્રિ ક્ષોનું મહાનંદું હો ઉત્કૃષ્ટ યથાલંદ થાય છે. » ‘' પાદપૂર્તિ અર્થે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy