SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ સંલેખનાવતુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ | ગાથા ૧૫૧૪-૧૫૧૫, ૧૫૧૬ તેનો ઉત્તર આપતાં ગુરુ કહે છે કે પ્રવજ્યા પછી મુંડન થાય જ છે એવો નિયમ નથી. અને એવો નિયમ કેમ નથી ? તે જણાવવા ખુલાસો કરે છે કે ગીતાર્થે કોઈક જીવને યોગ્ય જાણીને દીક્ષા આપી હોય અને પાછળથી કોઈક લિંગોથી તે પ્રવ્રયા માટે અયોગ્ય જણાય તો ગુરુ પ્રવ્રયા આપ્યા પછી પણ તેનું મુંડન કરતા નથી. આથી નક્કી થાય કે પ્રવ્રયા આપ્યા પછી મુંડન થાય જ એવો નિયમ નથી. અહીં પ્રશ્ન થાય કે પ્રવ્રયા આપ્યા પછી અયોગ્યનું ભલે મુંડન થતું ન હોય, પરંતુ પ્રવ્રજ્યા આપ્યા પછી યોગ્યનું તો અવશ્ય મુંડન થાય જ છે ને ! અને જિનકલ્પિક યોગ્યને પણ પ્રવ્રયા આપતા નથી, તેથી યોગ્યનું મુંડન પણ કરતા નથી, એમ અર્થથી નક્કી થાય છે. માટે મુંડનદ્વારને સ્વતંત્ર ગ્રહણ કરવાનું કોઈ પ્રયોજન નથી. તેથી ગ્રંથકારશ્રી કહે છે – જે કારણથી અતિશયધારી મહાત્મા પ્રતિભગ્નાદિનું પણ મુંડન કરે છે. આશય એ છે કે કોઈક પુરુષ પ્રવ્રજ્યા ગ્રહણ કરવા માટે તત્પર હોય, પરંતુ કોઈક નિમિત્તે ચારિત્રના પરિણામથી ભગ્ન થયેલ હોય, તોપણ દીક્ષા આપવાથી લાભ જણાતો હોય તો અતિશયવાળા સાધુ તેને દીક્ષા આપીને મુંડન પણ કરે છે; અને મારિ' પદથી કોઈ પુરુષ દીક્ષા લીધા પછી ચારિત્રના પરિણામથી ભગ્ન થનાર હોય છતાં લાભ થતો હોય તો તેને પણ અતિશયવાળા સાધુ દીક્ષા આપીને મુંડન કરે છે, એમ ગ્રહણ કરવાનું છે. વળી, અતિશયવાળા જિનકલ્પિક ભલે કોઈને પ્રવ્રયા ન આપે, તોપણ જેમ અતિશયવાળા ગૌતમસ્વામીએ ચારિત્રના પરિણામથી ભગ્ન થનાર છતાં ખેડૂતને પ્રવ્રયા આપીને મુંડન કર્યું, તેમ અતિશયવાળા જિનકલ્પિક કોઈક પ્રતિભગ્નાદિનું મુંડન તો કરે ને ! એવી કોઈને શંકા થાય, તેના સમાધાન માટે મુંડનદ્વારને પ્રવ્રાજનદ્વારથી પૃથ ગ્રહણ કરેલ છે. તેથી ફલિત થાય કે જિનકલ્પિક જેમ કોઈને પ્રવ્રયા આપતા નથી તેમ લાભ દેખાતો હોય તો પણ કોઈનું મુંડન પણ કરતા નથી. વળી ગાથા ૧૫૧૪માં શિષ્યએ પ્રશ્ન કરેલ કે મુંડનદ્વારનો પૃથર્ ઉપન્યાસ કેમ છે? તેનો ઉત્તર ગ્રંથકારશ્રીએ ગાથા ૧૫૧૫માં હોદ્દ નો સુધી આપેલ છે. અને કહેલ કે આથી મુંડનદ્વારનો પૃથ ઉપન્યાસ છે, પરંતુ નો પછી પ્રાસના હિસાબે ગાથા પૂર્ણ થાય છે, માટે ‘મ પુલો' આ શબ્દને ગાથાની બહાર મૂકેલ છે, અને ત્યારપછી અહીં “મુંડન દ્વારની સમાપ્તિ થતી હોવાથી ત્યારે શબ્દ મૂકેલ છે. /૧૫૧૪/૧૫૧પો અવતરણિકા : ___मनसाऽऽपन्नस्यापीत्यादिद्वारमधिकृत्याह - અવતરણિતાર્થ : મનથી આપજ્ઞને પણ ઇત્યાદિ દ્વારને આશ્રયીને કહે છે–ગાથા ૧૪૮૫ના બીજા પાદમાં મનથી આપન્ન પણ દોષમાં જિનકલ્પિકને ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત' એ પ્રકારનું દ્વાર બતાવેલ, તેને આશ્રયીને કહે છે – ગાથા : आवण्णस्स मणेण वि अइआरं निअमओ उ सुहुमं पि । पच्छित्तं चउगुरुगा सव्वजहण्णं मुणेअव्वं ॥१५१६॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy