SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ સંખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ | ગાથા ૧૪૯૪-૧૪લ્પ, ૧૪-૧૪૯૭ એવો યતિપર્યાય વશ વર્ષો જાણવો. આ રીતે=જિનકલ્પિકનો જઘન્ય પર્યાય બતાવ્યો એ રીતે, ગૃહી અને યતિના ભેદરૂપ બંનેમાં પણ ઉત્કૃષ્ટ પર્યાય દેશથી ઊન એવી પૂર્વકોટિ છે કંઈક ન્યૂન એવાં પૂર્વક્રોડ વર્ષો છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જિનકલ્પ સ્વીકારનારા સાધુ ગૃહસ્થપણામાં જઘન્યથી ર૯ વર્ષ રહેલા હોય છે, માટે ગૃહસ્થપણાનાં તેટલાં વર્ષથી પૂર્વે જેઓએ સંયમ ગ્રહણ કર્યું હોય તેઓ જિનકલ્પ સ્વીકારતા નથી, એમ અર્થથી પ્રાપ્ત થાય; એ રીતે સંયમ ગ્રહણ કર્યા પછી જેઓ સાધુપણામાં જઘન્યથી ૨૦ વર્ષ રહેલા હોય તેઓ જિનકલ્પ સ્વીકારે છે, તે પૂર્વે નહીં. આથી નક્કી થાય કે જિનકલ્પ સ્વીકારનાર સાધુએ ગૃહસ્થપર્યાયમાં ૨૯ વર્ષ અને દીક્ષાપર્યાયમાં ૨૦ વર્ષ : એમ જીવનના ૪૯ વર્ષ પસાર કરેલાં હોય છે, તે પહેલાં કોઈ સાધુ જિનકલ્પ સ્વીકારી શકે નહીં. વળી જિનકલ્પ સ્વીકારનારા સાધુ ગૃહસ્થપણામાં ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વકોટિ વર્ષો રહેલા હોય છે, એ રીતે સાધુપણામાં પણ ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વકોટિ વર્ષો રહેલા હોય. તેથી ફલિત થાય કે પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા કોઈક પુરુષ ઘણો કાળ ગૃહસ્થપણામાં રહ્યા હોય અને પાછળથી સંયમ ગ્રહણ કરીને ૨૦ વર્ષ કે તેથી કંઈક અધિક વર્ષ પછી જિનકલ્પ સ્વીકારે તો, તે વખતે તે જિનકલ્પીને કંઈક ન્યૂન એવા પૂર્વક્રોડ વર્ષનો સંયમ ગ્રહણની પૂર્વેનો ઉત્કૃષ્ટ ગૃહસ્થપર્યાય પ્રાપ્ત થાય; એ રીતે પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા કોઈક પુરુષે ૨૯ વર્ષ કે તેથી કંઈક અધિક વર્ષ ગૃહસ્થપણામાં રહીને સંયમ ગ્રહણ કર્યું હોય અને સંયમજીવનના ચરમકાળમાં તે સાધુ જિનકલ્પ સ્વીકારે તો, તે વખતે તે જિનકલ્પીને કંઈક ન્યૂન એવાં પૂર્વક્રોડ વર્ષનો જિનકલ્પસ્વીકારની પૂર્વેનો ઉત્કૃષ્ટ યતિપર્યાય પ્રાપ્ત થાય. /૧૪૯૪/૧૪૫ અવતરણિકા: आगमद्वारमधिकृत्याह - અવતરણિકાર્ય : આગમ દ્વારને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિને કહે છે – ગાથા : अप्पुव्वं णाहिज्जइ आगममेसो पडुच्च तं जम्मं । जमुचिअपगिट्ठजोगाराहणओ चेव कयकिच्चो ॥१४९६॥ અન્વચાઈ: | | આ=જિનકલ્પિક, તે ગમ્મતે જન્મને=જિનકલ્પિકના વર્તમાન ભવને, પપુષ્ય આશ્રયીને મહુવં મામામં=અપૂર્વ આગમને દિmg=ભણતા નથી; ગં=જે કારણથી વિટ્ટનો IIRE વ-ઉચિત એવા પ્રકૃષ્ટ યોગના આરાધનથી જ વિખ્યો=કૃતકૃત્ય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy