SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ સંલેખનાવસ્તક / અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદિ / ગાથા ૧૪૬૦-૧૪૬૧ ટીકાર્ય : વળી અટન કરતા એવા આમને કર્મ કઈ રીતે થાય?=ભિક્ષા માટે ફરતા એવા આ જિનકલ્પિકને આધાકર્મ દોષ કઈ રીતે પ્રાપ્ત થાય? અહીં=જિનકલ્પિકને આધાકર્મ દોષની પ્રાપ્તિ થાય એ વિષયમાં, પ્રસંગથી આની વક્તવ્યતાગત જ કાંઈક શેષને માસકમ્ભદ્વારની વક્તવ્યતાવિષયક જ કાંઈક બાકી રહેલ કથનને, સમાસથી= સંક્ષેપથી, હું કહીશ. શા માટે હું કહીશ? એથી કહે છે – શિષ્યજનના વિબોધન અર્થે=શિષ્યના સમૂહને વિબોધ કરાવવા માટે, હું કહીશ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: - જિનકલ્પી જે ક્ષેત્રમાં માસકલ્પ કરે છે, તે ક્ષેત્રમાં આધાકર્માદિના વર્જન માટે ઘરોની પંક્તિરૂપ છે વીથીઓની કલ્પના કરે છે, એમ પૂર્વગાથામાં કહ્યું. ત્યાં કોઈને પ્રશ્ન થાય કે ભિક્ષા માટે જતા એવા જિનકલ્પિકને આધાકર્મદોષની પ્રાપ્તિ કઈ રીતે થાય? તેથી હવે પ્રસંગથી માસક·દ્વારવિષયક જ કાંઈક શેષ કથન ગ્રંથકારશ્રી સંક્ષેપથી કરશે, જેથી જિનકલ્પિકને આધાકર્મની પ્રાપ્તિ કઈ રીતે થાય છે? તેનો શિષ્યજનને બોધ થાય. અહીં “પા ” શબ્દથી એ પ્રાપ્ત થાય કે પૂર્વે ત્રણેય દ્વારગાથાઓનાં સર્વ દ્વારોનું વર્ણન સામાન્યથી કરેલ છે, પરંતુ તેઓમાં કંઈ વિશેષ કહેલ નથી; આમ છતાં ત્રીજી દ્વારગાથાના છેલ્લા “માસકલ્પ' દ્વારનું પૂર્વગાથામાં સામાન્યથી વર્ણન કરીને તેમાં ગ્રંથકારશ્રી કંઈક વિશેષ કહે છે, જે પ્રાસંગિક કથનરૂપ છે અને તે પ્રાસંગિક કથન ગ્રંથકારશ્રી શિષ્યો પર ઉપકાર કરવા માટે કરે છે. ૧૪૬oll ગાથા : आभिग्गहिए सद्धा भत्तोगाहिमग बीइ तिअ पूई । चोअग निव्वयणं ति अ उक्कोसेणं च सत्त जणा ॥१४६१॥[सरछोडगाहा ]॥ અન્વયાર્થ : (૧) મf૫ િસદ્ધ=આભિગ્રહિક હોતે છતે શ્રદ્ધા થાય છે=ગાથા ૧૪૬૨ થી ૧૪૬૪માં બતાવાશે એ પ્રમાણે આભિગ્રહિક એવા જિનકલ્પિક પ્રાપ્ત થયે છતે કોઈક સ્ત્રીને ભક્તિની રુચિ થાય છે. (૨) મિત્તો હિમ=ભક્ત-ઉગ્રાહિમક=ગાથા ૧૪૬૬માં બતાવાશે એ પ્રમાણે તે સ્ત્રી જિનકલ્પિક માટે ભક્ત અને ઉગ્રાહિમક બનાવે છે. (૩) વી તિમ પૂ=બીજો દિવસ થયે છતે ત્રણ દિવસ પૂતિ થાય છે=ગાથા ૧૪૬૭ થી ૧૪૬૯માં બતાવાશે એ પ્રમાણે તે સ્ત્રી જે દિવસે જિનકલ્પિક માટે ભક્ત-ઉમ્રાહિમક બનાવે છે, તેની અપેક્ષાએ બીજા દિવસથી ત્રણ દિવસ સુધી તે સ્ત્રીનું ઘર પૂતિ બને છે. (૪) રોગ નિવ્રયા આ તિ=ચોદક અને નિર્વચન એ પ્રકારે (દ્વાર) છે ગાથા ૧૪૭૩-૧૪૭૪માં બતાવાશે એ પ્રમાણે શિષ્ય પ્રશ્ન પૂછે છે અને ગુરુ જવાબ આપે છે. (૫) ડોળ સ નVT=અને ઉત્કૃષ્ટથી સાત જનો હોય છે=ગાથા ૧૪૭૯માં બતાવાશે એ પ્રમાણે એક વસતિમાં ઉત્કૃષ્ટથી સાત જિનકલ્પિકો રહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy