SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ સંલેખનાવતુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદા/ ગાથા ૧૪૫૯ ગાથાર્થ : જિનકલી એક ક્ષેત્રમાં એક મહિનો રહે છે અને છ વીવીઓ કરે છે. અને છ વીશીઓમાં પણ કમદિના વર્જન અર્થે વળી પ્રતિદિન એકેક વીથીમાં ભિક્ષા અર્થે અટન કરે છે. ટીકાઃ मासं निवसति क्षेत्रे एकत्र, षड् वीथी: करोति गृहपङ्क्तिरूपाः परिकल्प्य, तत्रापि च-वीथीकदम्बके एकैकामटति वीथीं कांदिवर्जनार्थम् अनिबद्धतया प्रतिदिनमिति गाथार्थः ॥१४५९॥ ટીકાર્થ: એક ક્ષેત્રમાં માસ વસે છે, પરિકલ્પીને છ વિભાગની કલ્પના કરીને, ગૃહની પંક્તિરૂપ છ વીથીઓને કરે છે. અને ત્યાં પણ=વીથીના અર્થાત્ શેરીના કદંબકમાં પણ= છ વીથીઓના સમૂહમાં પણ, કમદિના વર્જન અર્થે=ગૃહસ્થો દ્વારા કરાતા આધાકર્માદિ કૃત્યનો પરિહાર કરવા અર્થે, પ્રતિદિન અનિબદ્ધપણાથી છ વીથીઓમાં ક્રમનું નિબંધન કર્યા વગર, એકેક વીથીને વિષે અટન કરે છે–ભિક્ષા અર્થે ફરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : * જિનકલ્પિક મહાત્મા એક ક્ષેત્રમાં એક મહિનો રહે છે. અને જે ક્ષેત્રમાં રહે તે ક્ષેત્રમાં છ વિભાગોની કલ્પના કરીને ઘરની શ્રેણિરૂપ છ વથીઓ કરે છે, અને તે છ વીથીઓમાંથી પણ સાધુ પ્રત્યેની ભક્તિથી કોઈ ગૃહસ્થ આહારને આધાકર્માદિ દોષવાળો ન કરે તદર્થે, અનિબદ્ધપણાથી પ્રતિદિન એકેક વીથીમાં ભિક્ષા માટે અટન કરે છે. જોકે જિનકલ્પી શ્રુતના અતિશયવાળા હોવાથી કોઈ ગૃહસ્થ તેમના નિમિત્તે આધાકર્માદિ આહાર બનાવ્યો હોય તોપણ, તેઓ શ્રુતના બળથી તે ભિક્ષાને દોષિત જાણીને ગ્રહણ કરે નહીં; છતાં મહાત્મા પ્રત્યેની ભક્તિથી ગૃહસ્થ જે આધાકદિ આહાર બનાવ્યો તેમાં તે જિનકલ્પી મહાત્મા નિમિત્ત બને. આથી તેઓ તે આધાકર્માદિ કૃત્યમાં પોતે નિમિત્ત પણ ન બને તદર્થે, છ વિભાગોની કલ્પના કરીને પ્રતિદિન ક્રમ વગર જુદા જુદા વિભાગોમાં ભિક્ષા ગ્રહણ કરવા માટે જાય છે. આશય એ છે કે જો તે મહાત્મા છે વિભાગોમાંથી પ્રથમ વિભાગ સાથે નિબદ્ધ એવા બીજા વિભાગ આદિમાં ક્રમસર ભિક્ષાટન કરે, તો તેઓ પ્રત્યે ભક્તિવાળા ગૃહસ્થો નક્કી કરી લે કે આ મહાત્મા આજે આ વિભાગમાં આવેલ છે માટે કાલે આપણા વિભાગમાં આવશે, જેથી તેઓ સાધુના નિમિત્તે કંઈક આરંભાદિ કરે તેવી સંભાવના રહે. આથી તેના વર્જન અર્થે તે મહાત્મા છ વીથીઓમાં પણ કોઈ પ્રકારના ક્રમના નિબંધન વગર ભિક્ષાટન કરે છે, જેથી પોતાના નિમિત્તે આરંભાદિ થવાનો પ્રસંગ પ્રાપ્ત ન થાય. અહીં વિશેષ એ છે કે પોતે દોષિત ભિક્ષા ગ્રહણ ન કરે તોપણ, પોતાના નિમિત્તક થતા આરંભનો પરિહાર આ પ્રકારની મર્યાદાના પાલનથી થઈ શકે છે; જો આ પ્રકારની મર્યાદાનું પાલન કરવામાં ન આવે તો, પોતાના નિમિત્તક થતા આરંભ પ્રત્યે ઉપેક્ષા થવાથી, તે મહાત્માના સંયમમાં કંઈક મલિનતા પ્રાપ્ત થાય; અને જિનકલ્પિક તો પોતાની શક્તિના પ્રકર્ષથી સર્વ ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે. માટે તેઓ પોતાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy