SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાસ્તુક | અભ્યધત વિહાર | જિનકભીની સામાચારી / ગાથા ૧૪૨૩ પ્રવેશ કરતી વખતે નધિકી'નો પ્રયોગ થાય છે, સ્વકાર્યની પ્રવૃત્તિમાં આપૃચ્છા થાય છે–પોતાના કાર્યની પ્રવૃત્તિ કરતી વખતે આપૃચ્છા થાય છે. તથા પ્રતિપૃચ્છા, છંદના અને નિમંત્રણા. ત્યાં આ ત્રણ સામાચારીમાં, આદિષ્ટના કરણકાલમાં પ્રતિપૃચ્છા થાય છે=ગુરુએ આજ્ઞા કરેલું કાર્ય કરતી વખતે પ્રતિપૃચ્છા થાય છે, પૂર્વગૃહીત એવા અનાદિ દ્વારા છંદના થાય છે=પૂર્વમાં ગ્રહણ કરેલા અશનાદિનું અન્ય સાધુઓને આમંત્રણ આપવા દ્વારા છંદના થાય છે, અગૃહીત દ્વારા નિમંત્રણા થાય છે=નહીં ગ્રહણ કરેલા અશનાદિ અન્ય સાધુઓને લાવવા વિષયક પૂછવા દ્વારા નિમંત્રણા' થાય છે. અને શ્રુતાદિન નિમિત્તે ઉપસંપદા થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: વિરકલ્પિક સાધુને પાલન કરવા યોગ્ય દશવિધ ચક્રવાલ સામાચારીને સંક્ષેપથી બતાવે છે – મૂળગાથામાંના પહેલા પાદમાં રહેલ રૂછામિછતehl'માં જે “વાર' શબ્દ છે, તે ઇચ્છા, મિથ્યા અને તથા : એ ત્રણેય સાથે જોડવાનો છે. તેથી ઈચ્છાકાર, મિથ્યાકાર અને તથાકાર : એમ પ્રાપ્ત થાય. (૧) ઇચ્છાકાર : પોતાનું કાર્ય બીજા સાધુ પાસે કરાવવા માટે પરને કહેવું અથવા બીજા સાધુનું કાર્ય પોતે કરવા માટે કહેવું એ સર્વમાં, “આ મારું કાર્ય તમે ઇચ્છાપૂર્વક કરો” અથવા “તમારું આ કાર્ય હું ઇચ્છાપૂર્વક કરું” એ પ્રકારે “ઇચ્છાકારનો પ્રયોગ કરવો, એ ઈચ્છાકાર નામની પ્રથમ સામાચારી છે. (૨) મિથ્યાકારઃ સંયમજીવનમાં ક્યાંય અલના થવાથી કોઈક દોષ લાગ્યો હોય, તો તેની શુદ્ધિ માટે “મિચ્છા મિ દુક્કડમ” એ પ્રકારે પ્રયોગ કરવો, એ મિથ્યાકાર નામની બીજી સામાચારી છે. (૩) તથાકારઃ ગુરુએ પોતાને કોઈ કાર્ય કરવાનો આદેશ કર્યો હોય ત્યારે “તદ ત્તિ” એ પ્રકારે પ્રયોગ કરવો, એ તથાકાર નામની ત્રીજી સામાચારી છે. (૪) આવશ્યકી : ભિક્ષાટનાદિ કોઈ કાર્ય અર્થે પોતાની વસતિમાંથી બહાર જતી વખતે “મવદ" એ પ્રકારે પ્રયોગ કરવો, એ આવશ્વિકી નામની ચોથી સામાચારી છે. (૫) ઐધિકીઃ બહારથી આવીને વસતિમાં પ્રવેશ કરતી વખતે “નિરીદિ' એ પ્રકારે પ્રયોગ કરવો, એ નૈધિક નામની પાંચમી સામાચારી છે. (૬) આપૃચ્છા : પોતાના કાર્યની પ્રવૃત્તિવિષયક ગુરુને પૃચ્છા કરવી, એ આપૃચ્છા નામની છઠ્ઠી સામાચારી છે. (૭) પ્રતિપૃચ્છાઃ ગુરુએ આજ્ઞા કરેલ કાર્યને કરતી વખતે ફરી તે કાર્ય કરવા વિષયક ગુરુને પૂછવું, એ પ્રતિપૃચ્છા નામની સાતમી સામાચારી છે. (૮) છંદના પૂર્વમાં લાવેલ અશનાદિ આહારનો લાભ આપવા માટે અન્ય સાધુઓને પૂછવું, એ છંદના નામની આઠમી સામાચારી છે. (૯) નિમંત્રણા: ભિક્ષા વહોરવા જતી વખતે “હું તમારી માટે ભિક્ષા લાવું?” એમ અન્ય સાધુઓને પૂછવું, એ નિમંત્રણા નામની નવમી સામાચારી છે. (૧૦) ઉપસંપદાઃ જ્ઞાન-દર્શનાદિન નિમિત્તે અન્ય આચાર્ય પાસે જવું, એ ઉપસંપદા નામની દશમી સામાચારી છે. /૧૪૨૩ll Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy