SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ too ભાવાર્થ: પ્રસ્તુતમાં ૧૮૦૦૦ શીલાંગોના અંગભૂત ‘યોગ' શબ્દથી પાપને અનુકૂળ વ્યાપારનું ગ્રહણ છે, તેથી મન-વચન-કાયાનો જે પાપને અનુકૂળ વ્યાપાર છે તે યોગો છે, અને તે ત્રણેય યોગોની નિવૃત્તિથી શીલાંગો નિષ્પન્ન થાય છે. તેથી આ ‘યોગ’ શબ્દનો અર્થ કરતાં ગાથા ૧૧૬૫માં કહેશે કે કૃત-કારિત-અનુમતિરૂપ કરણ-ક૨ાવણ-અનુમોદન એ યોગ છે. તેથી એ પ્રાપ્ત થાય કે મન-વચન-કાયાને અવલંબીને આરંભની પ્રવૃત્તિના કરણ-કરાવણ-અનુમોદનરૂપ વ્યાપાર એ ત્રણેય યોગો છે. વળી પ્રસ્તુતમાં ‘કરણ’ શબ્દથી મન-વચન-કાયાનું ગ્રહણ છે, પરંતુ ‘કરવું’ એ અર્થમાં ‘કરણ’ શબ્દનું ગ્રહણ નથી; કેમ કે સાધતાં જતાં અથવા વ્યાપારવવું અસાધારળ વારનું નળ એ પ્રકારે પણ કરણ શબ્દનો અર્થ છે. અને પાપ કરવાનું અસાધારણ કારણ મન-વચન-કાયા છે, માટે અહીં ‘કરણ' શબ્દથી મન-વચન-કાયા ગ્રહણ કરેલ છે, પરંતુ મન-વચન-કાયાનો વ્યાપાર ગ્રહણ કરેલ નથી. આથી એ ફલિત થયું કે, કૃત-કારિત-અનુમતિરૂપ ત્રણ યોગોની નિવૃત્તિથી, મન-વચન-કાયારૂપ ત્રણ કરણોના સંયમથી, આહાર-ભય-મૈથુન-પરિગ્રહરૂપ ચાર સંજ્ઞાઓની નિવૃત્તિથી, સ્પર્શન-રસન-પ્રાણ-ચક્ષુશ્રોત્રરૂપ પાંચ ઇન્દ્રિયોના સંયમથી, પૃથ્વી-અપ-તેજો-વાયુ-વનસ્પતિ-બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચરિન્દ્રિય-પંચેન્દ્રિય જીવો અને પુસ્તક-ચર્મ-તૃણ-શુષિરપંચકરૂપ અજીવ એમ દશ ભૂમિ આદિના રક્ષણથી, ક્ષાંતિ આદિરૂપ દશ યતિધર્મના પાલનથી : અઢાર હજાર શીલાંગોની પ્રાપ્તિ થાય છે. ૧૧૬૪॥ અવતરણિકા : અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૬૪, ૧૧૬૫-૧૧૬૬ व्यासार्थं त्वाह અવતરણિકાર્ય : ભાવાર્થ: વળી વ્યાસથી અર્થને કહે છે . ગાથા : - પૂર્વગાથામાં યોગાદિને આશ્રયીને સંક્ષેપથી અઢાર હજાર શીલાંગોની નિષ્પત્તિ બતાવી. તે નિષ્પત્તિનો વિસ્તૃત અર્થ ગાથા ૧૧૬૫-૧૧૬૬માં બતાવે છે Jain Education International - करणाइ तिणि जोगा मणमाइणि उ हवंति करणाई । आहाराई सन्ना चउ सोत्ताई इंदिआ पंच ॥११६५ ॥ भोमाई णव जीवा अजीवकाओ अ समणधम्मो उ । खंताइ दसपगारो एव ठिए भावणा एसा ॥११६६ ॥ અન્વયાર્થઃ જરાફ તિળિ ખોળા-કરણાદિ ત્રણ યોગો છે, મળમાપ્તિ ૩ રળારૂં વંતિ-વળી મન આદિ કરણો થાય છે. આહાારૂં થડ સન્ના-આહારાદિ ચાર સંજ્ઞાઓ છે, મોત્તારૂં પંચ કૃમિ-શ્રોત્રાદિ પાંચ ઇન્દ્રિયો છે, For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy