SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ - ૫૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૫૩-૧૧૫૪ છે જીવને જ્યારે જ્યારે અભિમ્પંગ થાય છે ત્યારે ત્યારે વ્યાકુળતા થાય છે તે પ્રકારનો અનુભવ છે. તેનાથી દૂષિતનો=અભિવૃંગથી દૂષિત થયેલા જીવનો, સર્વ જ યોગ તત્ત્વથી=પરમાર્થથી, વિષથી ઘારિત યોગ તુલ્ય છે=અશુદ્ધ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે સર્વત્ર નિરભિવૃંગપણું હોવાને કારણે દ્રવ્યસ્તવ કરતાં યતિનો યોગ જ મહાન છે, અને અભિવૃંગ હોવાને કારણે દ્રવ્યસ્તવ અલ્પ જ છે, તેથી ઉચિત અનુષ્ઠાન હોવા છતાં પણ શ્રાવકોનો શુભયોગ યતિઓના યોગ કરતાં અલ્પ કેમ છે? તે સ્પષ્ટ કરે છે – જે કારણથી જીવમાં વર્તતો અભિન્કંગનો પરિણામ પ્રકૃતિથી જ જીવને મલિન કરે છે; કેમ કે શરીરમાં જેમ વિષ ફેલાયેલું હોય તો જીવને આકુળતાનો અનુભવ થાય છે, તેમ આત્મામાં બાહ્ય પદાર્થો પ્રત્યેના રાગાંશરૂપ અભિવૃંગનો પરિણામ વર્તતો હોય તો જીવની ચેતનાને આકુળતાનો અનુભવ થાય છે; અને શ્રાવકોને પણ કુટુંબાદિ પ્રત્યેનો અભિન્કંગ સર્વથા નાશ પામ્યો નહીં હોવાથી, તેઓનો ભગવાનની ભક્તિકાલીન શુભ વ્યાપાર પણ અભિવૃંગરૂપી વિષથી સિંચાયેલા વ્યાપાર જેવો હોય છે, માટે અશુદ્ધ છે. આથી ભગવાનની ભક્તિમાં લીન થયેલા પણ શ્રાવકનો શુભ વ્યાપાર સાધુના શુભ વ્યાપારથી હીન છે. માટે ભાવસવની જેમ દ્રવ્યસ્તવ પણ ઉચિત અનુષ્ઠાન હોવા છતાં અલ્પ શુભભાવવાળો હોવાથી ભાવસ્તવ બનતો નથી. માટે ગાથા ૧૧૫૧માં કહ્યું કે યતિયોગ કરતાં દ્રવ્યસ્તવ તુચ્છ છે, તે સિદ્ધ થાય છે. ૧૧૫૩ અવતરણિકા : ગાથા ૧૧૫રમાં કહ્યું કે યતિયોગ મહાન છે અને દ્રવ્યસ્તવ તુચ્છ છે, તેથી પૂર્વગાથામાં દ્રવ્યસ્તવ યતિયોગ કરતાં તુચ્છ કેમ છે? તે બતાવ્યું. હવે દ્રવ્યસ્તવ કરતાં યતિયોગ મહાન કેમ છે? તે સ્પષ્ટ કરતાં કહે છે – ગાથા : जइणो अदूसिअस्सा हेआओ सव्वहा णिअत्तस्स । सुद्धो अ उवादेए अकलंको सव्वहा सो उ ॥११५४॥ અન્વયાર્થ: મસિસ અદૂષિત (અને) ફેમ સવ્ય મિત્ત હેયથી સર્વથા નિવૃત્ત એવા ગફળો યતિનો તો તે જ યતિયોગ જ, વાલે સુધી ઉપાદેયમાં શુદ્ધ છે, સત્ર મ ન્ત્રો અને સર્વથા અકલંક છે. ગાથાર્થ : અભિવૃંગથી અષિત અને હેયથી સર્વથા નિવૃત એવા ચતિનો અતિયોગ જ ઉપાદેયમાં શુદ્ધ છે અને સર્વથા અકલંક છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy