SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૪૬-૧૧૪૦ ૪૩ જ એવું જે કાંઈ રૂદ અહીં=લોકમાં, ચિત્તાકૂi=ચિત્ર અનુષ્ઠાન છે, તે સઘં તે સર્વ વ્રથમ દ્રવ્યસ્તવ અવે થાય. ગાથાર્થ : - જિનાજ્ઞાથી વિપરીત એવાં જિનભવનકારણાદિ અનુષ્ઠાનને દ્રવ્યસ્તવરૂપે સ્વીકારવામાં અતિવ્યાપ્તિ છે. જિનાજ્ઞાથી વિપરીત જ એવું જે કાંઈ લોકમાં વિવિધ પ્રકારનું અનુષ્ઠાન છે, તે સર્વ દ્રવ્યસ્તવ થાય. ટીકા : __ भावे-द्रव्यस्तवभावे च तस्य अतिप्रसङ्गः अतिव्याप्तिः, कथमित्याह-आज्ञाविपरीतं-आगमविपरीतमेव यत्किञ्चिदिह लोके चित्रानुष्ठानं गृहकरणादि, तद् द्रव्यस्तवो-यथोक्तलक्षणः भवेत् सर्वं, निमित्ताविशेषादिति गाथार्थः ॥११४६॥ ટીકાર્ય અને ભાવમાંeતેના દ્રવ્યસ્તવના ભાવમાં જિનાજ્ઞાથી વિપરીત એવાં જિનભવનકારાદિ અનુષ્ઠાનના દ્રવ્યસ્તવના સભાવમાં, અતિપ્રસંગ છે=અતિવ્યાપ્તિ છે. કઈ રીતે અતિપ્રસંગ છે? એથી કહે છે – આજ્ઞાથી વિપરીત=આગમથી વિપરીત જ, જે કાંઈ આ લોકમાં ગૃહકરણાદિ ચિત્ર અનુષ્ઠાન છે=ઘર કરવું વગેરે વિવિધ પ્રકારનું અનુષ્ઠાન છે તે સર્વ, યથોક્ત લક્ષણવાળો પૂર્વે જે પ્રકારે જિનભવનકારણાદિરૂપ દ્રવ્યસ્તવનું સ્વરૂપ બતાવ્યું તે પ્રકારના સ્વરૂપવાળો, દ્રવ્યસ્તવ થાય; કેમ કે નિમિત્તનું અવિશેષ છે=જિનભવનકારાદિ અનુષ્ઠાનમાં અને ગૃહકરણાદિ અનુષ્ઠાનમાં ભગવાનની આજ્ઞાથી વિપરીત પ્રવૃત્તિ કરવારૂપ નિમિત્ત સમાન છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ભગવાનની આજ્ઞાથી નિરપેક્ષ એવા જિનભવનકારણાદિ વીતરાગવિષયક અનુષ્ઠાનને દ્રવ્યસ્તવરૂપે સ્વીકારવામાં અતિવ્યાપ્તિ દોષ પ્રાપ્ત થાય છે, તે બતાવે છે – આ લોકમાં ભગવાનની આજ્ઞાવિરુદ્ધ એવાં જે કાંઈ ઘર બનાવવા વગેરે રૂપ અનુષ્ઠાન છે તે સર્વ દ્રવ્યસ્તવ બની જાય; કેમ કે નિમિત્ત વિશેષ નથી. આશય એ છે કે આજ્ઞાનિરપેક્ષ એવું ઘર કરવા વગેરે અનુષ્ઠાનનું નિમિત્ત જેમ આ લોકની આશંસાદિ છે, તેમ પ્રસ્તુત જિનમંદિર નિર્માણ કરવા વગેરે અનુષ્ઠાનનું નિમિત્ત પણ ભાવસ્તવ નથી, પરંતુ આ લોકની આશંસાદિ જ છે. આથી જિનભવનકારાદિમાં અને ગૃહકરણાદિમાં નિમિત્ત સમાન છે. તેથી જિનાજ્ઞાથી વિપરીત એવા જિનભવનકારણાદિ અનુષ્ઠાનને દ્રવ્યસ્તવ સ્વીકારીએ તો ગૃહકરણાદિ અનુષ્ઠાનને પણ દ્રવ્યસ્તવ સ્વીકારવાનો અતિપ્રસંગ પ્રાપ્ત થાય. ||૧૧૪૬ll અવતરણિકા : ભગવાનની આજ્ઞાથી નિરપેક્ષ એવા જિનભવનકારણાદિ અનુષ્ઠાનોને દ્રવ્યસ્તવ સ્વીકારીએ તો સંસારનાં અનુષ્ઠાનોને પણ દ્રવ્યસ્તવ સ્વીકારવાની આપત્તિ આવે, એમ પૂર્વગાથામાં ગ્રંથકારે કહ્યું, ત્યાં પૂર્વપક્ષની શંકાનું ઉલ્કાવન કરીને ગ્રંથકારશ્રી આજ્ઞાથી વિપરીત સર્વ અનુષ્ઠાનો દ્રવ્યસ્તવ નથી, એ બતાવવા માટે કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy