SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર /.સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૩૦-૧૧૩૮ 33 (૨) તીર્થકર વડે પૂજાયેલ એવા તીર્થની લોક પૂજા કરનાર છે. અર્થાત્ પોતાનાથી પૂજાયેલ એવા તીર્થકરથી પણ પૂજાતા ચતુર્વિધ શ્રીસંઘને જોઈને લોક તે શ્રીસંઘની પૂજા કરે છે, જેના બળથી લોક કલ્યાણ પામે છે. તેથી તીર્થકર તીર્થને નમસ્કાર કરે છે. (૩) કૃતજ્ઞતા ધર્મ છે ગર્ભમાં જેના એવું વિનયકર્મ કરાયેલ થાય છે અર્થાતુ પોતે જે તીર્થના પ્રભાવે તીર્થકર થયા તે તીર્થને કૃતજ્ઞતાભાવથી નમસ્કાર કરતા ભગવાનને જોઈને લોકોને થાય કે “ભગવાન જેવા ભગવાન વીતરાગ થયા પછી પણ આ તીર્થને કૃતજ્ઞતાથી નમસ્કાર કરે છે, તેથી ધર્મની પ્રાપ્તિ કૃતજ્ઞતાના ગર્ભવાળા વિનયથી જ થઈ શકે.” આવો લોકોને બોધ કરાવવા અર્થે તીર્થકર તીર્થને નમસ્કાર કરે છે. આ પ્રકારનાં ત્રણ કારણોથી તીર્થકર તીર્થને નમસ્કાર કરે છે. ત્યાં પ્રશ્ન થાય કે નમસ્કાર કરવાનું પ્રયોજન એ છે કે નમસ્કરણીય વ્યક્તિમાં રહેલા ગુણો પોતાનામાં પ્રગટ થાય, જ્યારે તીર્થકર તો પૂર્ણ ગુણોવાળા છે, માટે તેમને તીર્થને નમસ્કાર કરવાનું કોઈ પ્રયોજન નથી, છતાં તેઓ તીર્થને કેમ નમસ્કાર કરે છે? તેના સમાધાનરૂપે કહે છે – ભગવાન પોતે કૃતકૃત્ય હોવા છતાં પણ તીર્થંકર નામકર્મના ઉદયથી જ ઉચિત પ્રવૃત્તિ કરનારા હોવાથી તેઓ જે રીતે ધર્મની દેશના આપે છે તે રીતે તીર્થને નમસ્કાર કરે છે. આશય એ છે કે ભગવાન કૃતકૃત્ય હોવાથી તેમને ધર્મદેશના આપવાનું કોઈ પ્રયોજન નથી, છતાં તીર્થકરનામકર્મના ઉદયથી તેઓ જેમ ધર્મદેશના આપવારૂપ ઉચિત પ્રવૃત્તિ કરે છે, તેમ તીર્થને નમસ્કાર કરવારૂપ ઉચિત પ્રવૃત્તિ કરે છે. I/૧૧૩૭ ગાથા : एअम्मि पूइअम्मी णत्थि तयं जं न पूइ होइ । भुवणे वि पूयणिज्जं न गुणट्ठाणं तओ अण्णं ॥११३८॥ અન્વયાર્થ: પરમ પૂરૂખી આ પૂજાયે છતે શ્રીસંઘ પૂજાયે છતે, તથં પત્વિ=તે વસ્તુ) નથી, સંપૂ રહડું જે પૂજિત ન થાય, મુવા વિં ભુવનમાં પણ તમો મuતેનાથી અન્ય શ્રીસંઘથી બીજું, મુદ્દા પૂNિi Reગુણસ્થાનરૂપ પૂજનીય નથી. ગાથાર્થ : શ્રીસંઘની પૂજા કરાવે છતે જગતમાં તેવી કોઈ વસ્તુ નથી જે પૂજાયેલી ન થાય, ત્રણ ભુવનમાં પણ શ્રીસંઘથી અન્ય ગુણસ્થાનરૂપ કંઈ પૂજવા યોગ્ય નથી. ટીકા : ___एतस्मिन्-सङ्के पूजिते नास्ति तद् वस्तु, यत् न पूजितम्-अभिनन्दितं भवति, किमित्यत आहभुवनेऽपि सर्वत्र पूज्यं-पूजनीयं न गुणस्थानं कल्याणतः ततः सङ्घादन्यदिति गाथार्थः ॥११३८॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy