SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૬૧-૧૩૬૨ * “વાવીન'માં ‘માર' પદથી પાત્રાદિ ઉપકરણો, વસતિ, શિષ્યાદિનો સંગ્રહ છે. * “ ધ્યાતી''માં ‘માવિ' પદથી અલબ્ધિનો સંગ્રહ છે. ટીકાર્ય : સ્વલબ્ધિક સાધુને પણ મૂલ ગુરુ કહે છે : આ કાળથી પૂર્વે તારી ગુરથી પરીક્ષા કરાયેલી હતી. શું? અર્થાત ગુરુથી પરીક્ષા કરાયેલી શું હતી? એથી કહે છે – ગુરુને પરતંત્રપણું હોવાથી નિયમથી એકાંતથી નિર્દોષ વસ્ત્રાદિની લબ્ધિ પ્રાપ્તિ હતી, એ પ્રમાણે ગાથાર્થ છે. સ્વલબ્ધિની અનુજ્ઞાથી તને સ્વલબ્ધિની અનુજ્ઞા અપાયેલી હોવાથી, હવે તું આ વસ્ત્રાદિની લબ્ધિ આદિ વસ્તુમાં શ્રતને આયત્ત શ્રુતને આધીન, થયેલો છે. તે કારણથી જે રીતે આ=વસ્ત્રાદિની લબ્ધિ આદિ, બહુ ગુણતરવાળું થાય, તે રીતે જ કરવું જોઈએ=સર્વત્ર સૂત્રથી પ્રવર્તવું જોઈએ=વસ્ત્રાદિના ગ્રહણમાં કે અગ્રહણમાં સર્વ સ્થાને સૂત્રમાં કહેલ વિધિ પ્રમાણે પ્રવૃત્તિ કરવી જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : મૂલ ગુરુ સ્વલબ્ધિને યોગ્ય ગુણોવાળા સાધુને સ્વલબ્ધિની અનુજ્ઞા આપ્યા પછી અનુશાસ્તિ આપતાં કહે છે કે અત્યાર સુધી તું ગુરુથી પરીક્ષિત વસ્ત્રાદિની પ્રાપ્તિવાળો હતો, તેથી અત્યાર સુધી તે જે વસ્ત્રપાત્ર, વસતિ આદિ ઉપકરણોનો પરિભોગ કર્યો, તે સર્વ ગીતાર્થ ગુરુ પાસેથી મેળવ્યા હોવાથી નિયમથી એકાંતે નિર્દોષ હતાં, અર્થાત્ તે વસ્ત્રાદિ ક્યારેક ઉત્સર્ગથી તો ક્યારેક અપવાદથી શાસ્ત્રવચનાનુસારે ગુરુ દ્વારા પરીક્ષા કરાયેલ હોવાથી, કર્મબંધનું કારણ બને તેવા દોષથી સર્વથા રહિત હતાં; કેમ કે ગુણવાન ગુરુને પરતંત્રપણું હતું. આશય એ છે કે ગીતાર્થ ગુરુ સાધુઓને ધર્મના ઉપકરણરૂપે જ વસ્ત્રાદિ આપે છે અને ગ્રહણ કરાયેલ વસ્ત્રાદિનો સંયમની વૃદ્ધિ થાય તે રીતે જ પરિભોગ કરવાનું સાધુઓને કહે છે. તેથી ગુણવાન ગુરુને પરતંત્ર સાધુઓને, ગુરુથી પરીક્ષિત એવા ઉત્સર્ગથી સર્વ દોષોથી રહિત કે અપવાદથી યતનાપૂર્વક બાહ્ય રીતે દોષોથી યુક્ત પણ પ્રાપ્ત થયેલા વસ્ત્રાદિ, સંયમના કંડકોની વૃદ્ધિનું કારણ બને છે, માટે ગુરુના પારતંત્ર્યથી પ્રાપ્ત થયેલા વસ્ત્રાદિ અત્યાર સુધી નક્કી એકાંતે નિર્દોષ હતાં. વળી તે સાધુને સ્વલબ્ધિની અનુજ્ઞા અપાઈ છે, તેથી હવે તે સાધુ શ્રતને આધીન થયેલ છે. અર્થાત્ મૂલ ગુરુ તે સ્વલબ્ધિવાળા સાધુને કહે છે કે તું શ્રુતને આધીન થયેલો હોવાથી સ્વયં શ્રુતાનુસાર પરીક્ષા કરીને વસ્ત્રાદિ ઉપકરણો ગ્રહણ કરવા સમર્થ થયો છે, તેથી તારે વસ્ત્રાદિનું ગ્રહણ કે અગ્રહણ તે રીતે કરવું જોઈએ, જેથી તે વસ્ત્રાદિ અધિક ગુણોવાળાં થાય; કેમ કે વસ્ત્રાદિનું ગ્રહણ સંયમના કંડકોની વૃદ્ધિનું કારણ હોવાથી ઘણાં ગુણોવાળું છે અને શાસ્ત્રાનુસારે સમ્યગ્નનાપૂર્વક ગ્રહણ કરાયેલ વસ્ત્રાદિનો પરિભોગ વિશેષ પ્રકારના ગુણોવાળો છે. વળી આનાથી શું ફલિત થાય? તે બતાવતાં કહે છે કે વસ્ત્રાદિના ગ્રહણ કે અગ્રહણરૂપ સર્વ પ્રવૃત્તિમાં શાસ્ત્રઅનુસાર પ્રવર્તવું જોઈએ, પરંતુ પોતાની બુદ્ધિઅનુસારે પ્રવર્તવું જોઈએ નહીં. આ પ્રકારની હિતશિક્ષા મૂલ ગુરુ નવા સ્વલબ્ધિવાળા સાધુને આપે છે. ૧૩૬૧/૧૩૬રી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy