SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુકગણાનુજ્ઞા દ્વાર / ગાથા ૧૩૬૦, ૧૩૬૧-૧૩૬૨ ગાથાર્થ : જે રીતે મૂલ ગુરુ ગણધરને અને ગચ્છને અનુશાસ્તિ આપે છે, એ રીતે જ પ્રવર્તિનીપદ આપવાના પ્રસંગમાં મૂલ ગુરુ સાધ્વીઓને અનુશાસ્તિ આપે છે અને આ ચંદના-મૃગાવતીના પરમ ગુણોને કહે છે. ટીકાઃ ___ एवमेव व्रतवतीनां साध्वीनामनुशास्ति करोत्यत्र व्यतिकरे आचार्यः मौलः, तथा आर्यचन्दनामृगावत्योः सम्बन्धिनः कथयति परमगुणानिति, अत्र कथानकं प्रतीतमेवेति गाथार्थः ॥१३६०॥ ટીકાર્થ : આ રીતે જ=જે રીતે મૂલ ગુરુ ગણધરની અને ગચ્છની અનુશાસ્તિને કરે છે એ રીતે જ, આ વ્યતિકરમાં= પ્રવર્તિનીપદના પ્રદાનના પ્રસંગમાં, મૌલ આચાર્ય=મૂલ ગુરુ, વ્રતવતીઓની=સાધ્વીઓની, અનુશાસ્તિને કરે છે અને આર્યા ચંદના અને મૃગાવતીના સંબંધવાળા પરમ ગુણોને કહે છે. અહીં કથાનક પ્રતીત જ છે=આર્યા ચંદના અને આર્યા મૃગાવતી સાધ્વીનું કથાનક પ્રસિદ્ધ જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે રીતે મૂલ આચાર્ય ગણધરપદના પ્રદાન પ્રસંગે ગણધરને અને ગચ્છના સાધુઓને અનુશાસન આપે છે, એ રીતે જ પ્રવર્તિનીપદના પ્રદાન પ્રસંગે મૂલ આચાર્ય પ્રવર્તિનીને અને તેમની નિશ્રામાં રહેલ સાધ્વીઓને અનુશાસન આપે છે. વળી તેઓને દષ્ટાંત આપે છે કે જેમ પ્રવર્તિની એવી આર્યા ચંદનાએ પોતાની શિષ્યાઓને સમ્યગુ અનુશાસન આપીને કેવળજ્ઞાનરૂપ પરમ ગુણોને પ્રાપ્ત કર્યા અને ગુરુના અનુશાસનને સમ્યગૂ ઝીલનારા તેઓના શિષ્યા આર્યા મૃગાવતી, જેમણે પોતાના પ્રમાદ દોષથી થયેલ અપરાધના ઠપકાને સંવેગપૂર્વક ગ્રહણ કરીને કેવળજ્ઞાનરૂપ પરમ ગુણોને પ્રાપ્ત કર્યા; તેમ આ નવા પ્રવર્તિની સાધ્વીએ પોતાની નિશ્રામાં રહેલ સાધ્વીઓને સમ્યગુ અનુશાસન આપવું જોઈએ અને સાધ્વીઓએ પણ ગુણવાન એવી પ્રવર્તિનીએ આપેલા અનુશાસનને સંવેગપૂર્વક ઝીલવું જોઈએ. આથી સંયમજીવનના ઉચિત કૃત્યોમાં કોઈક સ્કૂલના થઈ હોય અને તે અલનાવિષયક પ્રવર્તિનીએ ઠપકો આપ્યો હોય, તો તે ઠપકાને સંવેગનું કારણ બને તે રીતે સર્વ સાધ્વીઓએ ઝીલવો જોઈએ, તો જ તમને સંયમની શુદ્ધિ પ્રાપ્ત થશે. - આ પ્રકારની હિતશિક્ષા મૂલ આચાર્ય ગુણવાન સાધ્વીને પ્રવર્તિનીપદ આપ્યા પછી તે પ્રવર્તિનીને અને તે પ્રવર્તિનીની નિશ્રામાં રહેલા સાધ્વીઓને આપે છે. વળી ચંદના અને મૃગાવતી સાધ્વીનું દષ્ટાંત પ્રસિદ્ધ હોવાથી ગ્રંથકારે અહીં બતાવેલ નથી. ./૧૩૬૦ના અવતરણિકા: ગાથા ૧૩૪૮થી ૧૩૫૪માં નવા ગણધર આચાર્યની અનુશાસ્તિનું અને ગાથા ૧૩૫૫થી ૧૩૫૯માં ગચ્છના સાધુઓની અનુશાસ્તિનું સ્વરૂપ બતાવ્યું; તેમ જ ગાથા ૧૩૬૦માં નવા પ્રવર્તિની સાધ્વીની અને તેમના નિશ્ચિત સાધ્વીઓની અનુશાસ્તિનું સ્વરૂપ બતાવ્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy