SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૫૧-૧૩૫૨ ગાથાર્થ : જેકે સંયમજીવનમાં અજ્ઞાનરૂપી વ્યાધિથી ગ્રહણ કરાયેલા સાધુઓ વ્યાધિનો નાશ કરવા માટે ચિકિત્સા કરવામાં સમ્યફ તત્પર થતા નથી, તોપણ વળી ભાવધો અજ્ઞાનવ્યાધિવાળા સાધુઓના તે વ્યાધિને દૂર કરે છે. ટીકા : ___ अज्ञानव्याधिगृहीताः सन्तो यद्यपि न सम्यगिहाऽऽतुरा भवन्ति, व्याधिदोषात्, तथापि पुनर्भाववैद्यास्तात्त्विकास्तेषामपनयन्ति व्याधि-अज्ञानलक्षणमिति गाथार्थः ॥१३५१॥ ટીકાર્યઃ જોકે અહીં=સંયમજીવનમાં, અજ્ઞાનરૂપી વ્યાધિથી ગ્રહણ કરાયેલા છતા સાધુઓ, સમ્યગુ આતુર=વ્યાધિનો નાશ કરવા માટે ચિકિત્સા કરવામાં સમ્યગુ તત્પર, થતા નથી, કેમ કે વ્યાધિનો દોષ છે. તોપણ વળી તાત્ત્વિક એવા ભાવવૈદ્યો તેઓના=અજ્ઞાનરૂપી વ્યાધિવાળા સાધુઓના, અજ્ઞાનસ્વરૂપ વ્યાધિને દૂર કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : વળી મૂલ ગુરુ નવા ગણધરને અનુશાસ્તિ આપતાં કહે છે કે ગચ્છના આ સાધુઓએ ભાવરોગ મટાડવા માટે સંયમ ગ્રહણ કર્યું છે; આમ છતાં અજ્ઞાનરૂપી વ્યાધિથી ગ્રહણ કરાયેલા આ સાધુઓ સમ્યગુ આતુર થતા નથી અર્થાત્ ભાવરોગ મટાડવા માટે કેવી ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ ? તેનો બોધ નહીં હોવાથી વારંવાર મોહની વૃદ્ધિ થાય તેવી પ્રવૃત્તિ કરે છે; કેમ કે તેઓમાં અજ્ઞાનરૂપી વ્યાધિનો દોષ છે; તોપણ તાત્વિક એવા ભાવવૈદ્યો તે ભાવરોગ મટાડવાના અર્થી સાધુઓનો અજ્ઞાનરૂપી વ્યાધિ દૂર કરે છે, જેથી તેઓ સમ્યગુ ક્રિયારૂપી ઔષધનું સેવન કરીને ભાવરોગથી મુક્ત થાય છે. આથી ભાવવૈદ્ય એવા તારે આ ગચ્છના જીવોની અજ્ઞાનરૂપી વ્યાધિનો નાશ કરવો જોઈએ અને તેઓ સંયમની ક્રિયાઓ સમ્યફ કરનારા થાય તે રીતે તેઓને યોગમાર્ગમાં પ્રવર્તાવવા જોઈએ, જેથી તેઓ પોતાની અજ્ઞાનરૂપી વ્યાધિને દૂર કરીને સમ્યફ ચિકિત્સારૂપી ઉચિત પ્રવૃત્તિ કરવા દ્વારા ક્રમે કરીને સંપૂર્ણ ભાવરોગનો ઉચ્છેદ કરી શકે. આ પ્રકારનો ઉપદેશ મૂલ ગુરુ નવા ગણધર આચાર્યને આપે છે. ll૧૩૫૧ ગાથા : ता तंऽसि भावविज्जो भवदुक्खनिवीडिया तुहं एए । हंदि सरणं पवण्णा मोएअव्वा पयत्तेणं ॥१३५२॥ અન્વયાર્થ : તા તે કારણથી તે માવવિજ્ઞો મણિકતું ભાવવૈદ્ય છે. વિદુનિવરિયા પ્રભવના દુઃખોથી નિપીડિત =સાધુ આદિ, તુરં સરVi-તારા શરણને પવUOT=પ્રપન્ન છેઃપ્રાપ્ત થયેલા છે, જે પ્રય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy