SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તક “ગણાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૩૨૫-૧૩૨૬ ગુણો ન હોય, તેવા આચાર્યને ગુરુ ગણધર પદવી આપે તો, તે આચાર્ય તે પદને અનુરૂપ ઉચિત પ્રવૃત્તિ કરી શકે નહીં, તેથી ગણધર પદવીમાં રહેલા ઘણા ગુણોની મલિનતા થાય છે, જેથી તે આચાર્યને ઘણો કર્મબંધ થાય છે. અને આ રીતે પદવીનું પ્રદાન કરીને તે ગુરુ દ્વારા તે આચાર્ય જે કલ્યાણમાર્ગમાં સ્થપાયેલા હતા, તેમાંથી તેઓનો પરિત્યાગ કરાયો; કેમ કે તે ગુરુએ તે આચાર્યમાં અનર્થનું યોજન કર્યું. આશય એ છે કે જેઓ સંસારથી વિરક્ત થઈને સંયમ ગ્રહણ કરીને કાલોચિત સકલ સૂત્રાર્થો ભણીને સંપન્ન થયા હોય, તેવા સાધુ અનુયોગઅનુજ્ઞાને યોગ્ય છે, તેથી તેવા સાધુને ગુરુ અનુયોગની અનુજ્ઞા આપવારૂપ આચાર્યપદ પર સ્થાપે છે; અને તે આચાર્યમાં ગચ્છનો ભાર વહન કરવાની પણ ક્ષમતા હોય, તો ત્યારપછી ગુરુ તે આચાર્યને ગણની અનુજ્ઞા આપવારૂપ ગણધરપદ પર સ્થાપે છે; પરંતુ જો તે આચાર્યમાં ગચ્છનો ભાર વહન કરવાની ક્ષમતા ન હોય તો, ગુરુ તે આચાર્યથી અન્ય જે કોઈ આચાર્ય ગચ્છનો ભાર વહન કરવા સમર્થ હોય, તેઓને ગણની અનુજ્ઞા આપવારૂપ ગણધરપદ પર સ્થાપે છે; કેમ કે જેઓ ગચ્છને સારણા-વારણા આદિ દ્વારા યોગમાર્ગમાં પ્રવર્તાવવા સમર્થ હોય, તેઓ જ ગચ્છની ધુરાનું સમ્યગુ વહન કરીને ગચ્છમાં વર્તતા સાધુઓ અને સાધ્વીઓનો સંસારથી નિસ્તાર કરાવી શકે છે. આથી કાલોચિત ગુણોવાળા આચાર્યને જ ગણધર પદ આપવું જોઈએ; છતાં કાલોચિત ગુણોથી રહિત આચાર્યને ગણધરપદ આપવામાં આવે તો, તે આચાર્ય ગણધર પદવી પ્રાપ્ત કરીને ગણધરપદને અનુરૂપ જે ગુરુતર ગુણો છે, તેની મલિનતા કરે છે, જેના કારણે તે આચાર્યને ગુરુતર કર્મબંધ થાય છે, અર્થાત્ સંયમની આચરણા કરવાથી કે શાસ્ત્રોનું અધ્યયન કરવાથી જે ગુણો પ્રાપ્ત થાય છે, તે ગુણો કરતાં જે મહાન ગુણો ગણધરપદમાં રહેલા છે તે ગુણોની હલના કરવાથી, અન્ય ગુણોની હીલના કરવાથી જે કર્મબંધ થાય તેના કરતાં અધિક કર્મબંધ થાય છે. આમ, તે આચાર્ય સંયમના આચારો પાળીને આત્માનું હિત સાધીને સદ્ગતિમાં જવાના હતા, તેના બદલે પદવી માટે અયોગ્ય હોવા છતાં પદવી આપવા દ્વારા ગુરુએ, તે આચાર્યનું અનર્થ સાથે યોજન કરીને તેઓને દુર્ગતિમાં લઈ જવારૂપ વિનાશ કર્યો. વળી અયોગ્ય હોવા છતાં ગણધરપદ પર સ્થાપીને ગુરુએ તે આચાર્યનો વિનાશ કર્યો, એ રીતે તેઓમાં અહિતનું યોજન કરવાથી અને ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી, તે ગુરુ સંયમની આચરણાઓ સમ્યગુ રીતે કરતા હોય, તોપણ તેઓએ પોતાના આત્માને સદ્ગતિમાં જતો અટકાવીને દુર્ગતિમાં લઈ જવારૂપ પોતાનો પણ વિનાશ કર્યો; કેમ કે અયોગ્યને પદપ્રદાનની પ્રવૃત્તિથી થયેલા મહાપાપના ફળરૂપે તે ગુરુ પણ દીર્ઘ સંસારમાં પરિભ્રમણ કરે છે. જે રીતે અપાત્ર આચાર્યને ગણધર પદવી આપવાથી સ્વ-પરનો પરિત્યાગ થાય છે, તે રીતે અપાત્ર સાધ્વીને પ્રવર્તિની પદવી આપવાથી પણ સ્વ-પરનો પરિત્યાગ થાય છે, તે ઉપરમાં બતાવ્યું તેમ સ્વયં યોજન કરી લેવું. ll૧૩૨પા. અવતરણિકા : ગણધરપદને યોગ્ય આચાર્યના અને પ્રવર્તિનીપદને યોગ્ય સાધ્વીના ગુણો ગાથા ૧૩૧૬થી ૧૩૧૮માં બતાવીને, તે ગણધરાદિ પદને યોગ્ય ગુણોથી રહિતને તે તે પદવી આપવાથી પ્રાપ્ત થતાં અનર્થો ગાથા ૧૩૧૯થી ૧૩૨૫માં બતાવ્યા. હવે આ સર્વ કથનનું નિગમન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy