SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તક “ગણાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૩૨૦-૧૩૨૧, ૧૩૨૨-૧૩૨૩ સ્થપાયેલા પણ ગણધર શબ્દને, વિષ્ણુદ્ધમાવો વિશુદ્ધ ભાવવાળા (જે આચાર્ય) સત્તપસ્વશક્તિથી સમંસમ્યગ્નો અનુપાનફુ=અનુપાલન કરતા નથી, તે પણ મહાપાપવાળા છે.) ગાથાર્થ : અને કાલોચિત ગુણોથી રહિત એવા જે આચાર્ય, ગુરુ પાસે ગણધર શબ્દને પોતાનામાં સ્થપાવે છે, અને ગુરુ વડે પોતાનામાં સ્થપાયેલા પણ ગણધર શબ્દનું વિશુદ્ધ ભાવવાળા જે આચાર્ય રવશક્તિથી સખ્ય અનુપાલન કરતા નથી, તે પણ મહાપાપી છે. ટીકાઃ कालोचितगुणरहितः सन् यश्च स्थापयति गणधरशब्दं, तथा निविष्टमपि सन्तं नाऽनुपालयति सम्यगेनमेव विशुद्धभावः सन् स्वशक्त्या, सोऽपि महापाप इति गाथार्थः ॥१३२१॥ ટીકાર્થ: અને કાલોચિત ગુણોથી રહિત છતા જે, ગણધર શબ્દને સ્થપાવે છે=જે આચાર્ય ગુરુ પાસેથી પોતાનામાં ગણધર પદવીને સ્થપાવે છે, અને નિવિષ્ટ પણ છતા આને જ=ગુરુ વડે પોતાનામાં સ્થપાયેલા પણ છતા ગણધર શબ્દને જ, વિશુદ્ધ ભાવવાળા છતા સ્વશક્તિથી સમ્યગુ અનુપાલન કરતા નથી, તે પણ મહાપાપવાળા છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગૌતમપ્રમુખ મહાપુરુષોએ “ગણધર” શબ્દ વહન કર્યો છે, તેવા ગણધર શબ્દને આપવા માટે યોગ્ય ગુણો આ અનુયોગી આચાર્યમાં નથી એવું જાણવા છતાં જે ગુરુ, ગણધર પદવી આપવા માટે અપાત્ર આચાર્યમાં ગણધરપદનું સ્થાપન કરે છે, તે ગુરુ મહાપાપી છે. વળી, કાલોચિત ગુણોથી રહિત હોવા છતાં જે આચાર્ય, કોઈક રીતે આગ્રહ કરીને ગુરુ પાસેથી ગણધરપદ પોતાનામાં સ્થાપન કરાવે છે, તે આચાર્ય પણ મહાપાપી છે. વળી, આચાર્યમાં ગણધરપદને યોગ્ય ગુણો જાણીને ગુરુએ તેઓને ગણધરપદ પર સ્થાપન કરેલ હોય, પરંતુ પાછળથી તે આચાર્ય, “આ ગણધરપદનું ગૌતમપ્રમુખપુરુષસિંહોએ વહન કર્યું છે, માટે આ પદને વહન કરવા માટે પણ મારા શિષ્યોને સમ્ય અનુશાસન આપીને, તેઓના યોગમાર્ગની વૃદ્ધિ થાય તે પ્રકારનો યત્ન કરવો જોઈએ” એવા વિશુદ્ધ ભાવવાળા થઈને તે ગણધરપદનું પોતાની શક્તિઅનુસાર સમ્યમ્ અનુપાલન કરે નહીં અને તે પદની હીલના કરે, તો તે આચાર્ય પણ મહાપાપી છે. ./૧૩૨૦/૧૩૨૧al અવતરણિકા : ગાથા ૧૩૨૦-૧૩૨૧માં અપાત્ર અનુયોગી આચાર્યને ગણધરપદ આપનારને અને લેનારને પ્રાપ્ત થતો દોષ બતાવ્યો. એ રીતે અપાત્ર સાધ્વીને પ્રવર્તિનીપદ આપનારને અને લેનારને પ્રાપ્ત થતો દોષ બતાવે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy