SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૧ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૧૬-૧૩૧૦ संग्रहोपग्रहनिरतः सङ्ग्रहः उपदेशादिना उपग्रहो वस्त्रादिना, व्यत्यय इत्यन्ये, कृतकरण:अभ्यस्तक्रियः, प्रवचनानुरागी च-प्रकृत्या परार्थप्रवृत्तः, एवंविध एव भणित:=प्रतिपादितो गणस्वामी गच्छधरो जिनवरेन्द्रैः भगवद्भिरिति गाथार्थः ॥१३१७॥ * “ ક વિતા”માં “મર' પદથી દીક્ષા આપવી, અનુશાસન આપવું વગેરેનું ગ્રહણ છે. * “વત્રવિના'માં ‘મર' પદથી પાત્ર, વસતિ વગેરે સંયમના ઉપકરણોનું ગ્રહણ છે. ટીકાર્ય : સૂત્રાર્થમાં નિર્માત અર્થાત્ નિષ્ઠિત=સૂત્ર-અર્થમાં પાર પામેલા, પ્રિય-દઢ ધર્મવાળા=ઉભયથી યુક્તક પ્રિયધર્મથી યુક્ત અને દઢધર્મથી યુક્ત, અનુવર્તનામાં કુશલ=ઉપાયને જાણનારા, જાતિ-કુલથી સંપન્ન=આના દયથી સમન્વિત=જાતિ અને કુલથી યુક્ત, ગંભીર=મહાન આશયવાળા, અને ઉપકરણાદિને આશ્રયીને લબ્ધિવાળા, સંગ્રહ-ઉપગ્રહમાં નિરત–ઉપદેશાદિ દ્વારા સંગ્રહ-વસ્ત્રાદિ દ્વારા ઉપગ્રહ=ઉપદેશાદિ દ્વારા શિષ્યોનો સંગ્રહ કરનારા અને વસ્ત્રાદિ દ્વારા સંગૃહીત શિષ્યોનો ઉપગ્રહ કરનારા, “વ્યત્યય' એ પ્રકારે અન્યો કહે છે અર્થાત્ અન્ય આચાર્યોના મત પ્રમાણે વસ્ત્રાદિનો સંગ્રહ કરનારા અને ઉપદેશાદિ દ્વારા શિષ્યો પર ઉપગ્રહ કરનારા, કૃત કરણવાળા=અભ્યસ્ત ક્રિયાઓવાળા, અને પ્રવચનના અનુરાગી=પ્રકૃતિથી પરાર્થમાં પ્રવૃત્તઃ આવા પ્રકારના જ જિનવરેન્દ્ર વડે=ભગવાન વડે, ગણના સ્વામી=ગચ્છના ધર, કહેવાયા છે–પ્રતિપાદન કરાયા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે આચાર્ય સૂત્ર-અર્થમાં નિર્માણ થયેલ હોય અર્થાત્ તે દેશ-કાળને ઉચિત સર્વ આગમના સૂત્રો ભણેલા હોય અને તે તે સૂત્રના પારમાર્થિક અર્થોને જાણનારા હોય, આથી જ વ્યાખ્યાન કરતી વખતે ઉચિત દેશના આપવા દ્વારા શિષ્યો પર અનુગ્રહ કરવા સમર્થ હોય. વળી જે આચાર્ય પ્રિયધર્મથી અને દઢધર્મથી યુક્ત હોય અર્થાત્ જેઓને નિર્લેપતારૂપ સંયમધર્મ અત્યંત પ્રિય હોય અને પોતાનો નિર્લેપતારૂપ સંયમધર્મનો પરિણામ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે તેવા દઢ યત્નવાળા હોય. વળી જે આચાર્ય અનુવર્તન કરવામાં કુશળ હોય અર્થાત્ કયા શિષ્યમાં કેવા પ્રકારની યોગ્યતા છે ? તેનો નિર્ણય કરીને, કયા કૃત્યથી આ શિષ્ય નિર્જરા પ્રાપ્ત કરી શકશે? તે પ્રકારના ઉપાયને જાણનારા હોય, અને તે ઉપાય અનુસાર વિવિધ પ્રકારે અનુવર્ય એવા શિષ્યોને વિવિધ પ્રકારની અનુવર્તના દ્વારા યોગમાર્ગમાં પ્રવર્તાવીને, તેઓના સંયમની વૃદ્ધિ કરાવી શકે તેવા હોય. વળી જે આચાર્ય જાતિથી અને કુળથી યુક્ત હોય અર્થાત્ માતૃપક્ષીય જાતિ અને પિતૃપક્ષીય કુળ એ બંને અતિ ઉત્તમ હોવાથી, ઉત્તમ કુળના સંસ્કારને કારણે જેઓ ગચ્છના ભારને સમ્યગૂ વહન કરી શકે તેવા સમર્થ હોય. વળી જે આચાર્ય ગંભીર હોય અર્થાત્ જિનશાસનના પરમાર્થને પામેલા હોવાથી એકાંતે સ્વ-પરનું કલ્યાણ કરવાના મહાન આશયવાળા હોય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy