SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક“અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૩૧૧ ર૦૩ ગાથાર્થ : અને દાનાદિ ચાર પ્રકારના ધર્મમાં દાનધર્મ દ્રવ્યસ્તવરૂપ જ ગ્રહણ કરવો. વળી સુપરિશુદ્ધ એવા શેષ ધર્મો ભાવતવરવરૂપ જાણવા. ટીકા? ____ अत्र च प्रक्रमे दानधर्मः द्रव्यस्तवरूप एव ग्राह्यः, अप्रधानत्वात्, शेषास्तु सुपरिशुद्धाः शीलधर्मादयो ज्ञेया भावस्तवस्वरूपाः, प्रधानत्वादिति गाथार्थः ॥१३११॥ ટીકાર્ય : અને આ પ્રક્રમમાં=દાનાદિ ચાર પ્રકારના ધર્મના પ્રક્રમમાં, દાનધર્મ દ્રવ્યસ્તવરૂપ જ ગ્રહણ કરવો; કેમ કે અપ્રધાનપણું છે દાનાદિ ચાર પ્રકારના ધર્મમાં દાનનું અને દ્રવ્યસ્તવાદિ બે પ્રકારના સ્તવમાં દ્રવ્યસ્તવનું અપ્રધાનપણું છે. વળી સુપરિશુદ્ધ એવા શેષ=શીલધર્મ આદિ, ભાવસ્તવસ્વરૂપ જાણવા; કેમ કે પ્રધાનપણું છે=આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવામાં શીલાદિ ધર્મનું અને ભાવવનું સાક્ષાત્ કારણપણું છે. ભાવાર્થ : પ્રસ્તુતમાં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનો અધિકાર ચાલી રહ્યો છે. દ્રવ્યસ્તવ એટલે ઉત્તમ દ્રવ્યો દ્વારા વીતરાગના ગુણોની સ્તુતિ કરીને આત્મામાં વીતરાગભાવની પ્રાપ્તિને અનુકૂળ શક્તિનો સંચય કરવો. ભાવસ્તવ એટલે બાહ્ય દ્રવ્યોના આલંબન વગર મન-વચન-કાયાને ગુપ્ત રાખીને આત્મામાં વીતરાગભાવ પ્રગટ કરવાને અનુકૂળ ઉદ્યમ કરવો. આવા દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનો દાનાદિ ધર્મ સાથેનો સંબંધ પ્રગટ કરતાં ગ્રંથકાર કહે છે – દાનધર્મ દ્રવ્યસ્તવરૂપ ગ્રહણ કરવો; કેમ કે દાનધર્મમાં અને દ્રવ્યસ્તવમાં, ભગવાનની અને સુસાધુઓની ભક્તિમાં ઉત્તમ સામગ્રી વાપરીને આત્માના શુદ્ધ ધર્મને પ્રગટ કરવાનો યત્ન થાય છે. માટે દાનધર્મ અને દ્રવ્યસ્તવ એ બંનેમાં આત્માથી ભિન્ન એવા બાહ્ય દ્રવ્યો પ્રધાનરૂપે છે, પરંતુ આત્માના ગુણો પ્રગટ કરવા માટેનો અંતરંગ યત્ન પ્રધાનરૂપે નથી, તેથી બંનેમાં અપ્રધાનપણું સમાન છે. આથી જ દાનધર્મ દ્રવ્યસ્તવરૂપ જાણવો. વળી, દાનધર્મથી શેષ એવા શીલાદિ ધર્મો ભાવખવરૂપ જાણવા; કેમ કે શીલાદિ ધર્મ જેમ આત્માના શુદ્ધ ભાવને પ્રગટ કરવાના યત્નરૂપ છે, તેમ ભાવસ્તવ પણ ત્રણ ગુપ્તિના બળથી આત્માને વીતરાગભાવમાં લઈ જવાના યત્નરૂપ છે, પરંતુ બાહ્ય ધનાદિ સામગ્રીથી ધર્મ નિષ્પન્ન કરવાના યત્નરૂપ નથી. માટે શીલાદિ ધર્મ અને ભાવસ્તવ એ બંનેમાં આત્માના શુદ્ધ ભાવને પ્રગટ કરવા માટેનો અંતરંગ યત્ન પ્રધાનરૂપે છે, તેથી બંનેમાં પ્રધાનપણું સમાન છે. આથી જ શીલાદિ ધર્મો ભાવતવરૂપ જાણવા. ll૧૩૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy