SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૯૦ અવતરણિકા : ગાથા ૧૨૭૮-૧૨૭૯માં ગ્રંથકારે સ્થાપન કરેલ કે પૂર્વમાં કહ્યું એ સર્વ કથન સર્વજ્ઞવચન હોવાથી સંભવતા સ્વરૂપવાળું છે અને વેદવચન સંભવતા સ્વરૂપવાળું નથી; કેમ કે મીમાંસકમતમાં વેદવચન અપૌરુષેય મનાયું છે, અને વચન અને અપૌરુષેય એ અત્યંત વિરુદ્ધ છે. વળી ગાથા ૧૨૮૦થી ૧૨૮૨માં ગ્રંથકારે વચન અને અપૌરુષેય એ અત્યંત વિરુદ્ધ કેમ છે ? એનું જ ભાવન કર્યું; અને ગાથા ૧૨૮૪થી ૧૨૮૮માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે વેદવાક્યથી પ્રાયઃ કોઈ વસ્તુમાં નિશ્ચય પણ થતો નથી. વળી વેદવચનને અપૌરુષેય સ્વીકારવાથી ગ્રંથકારે ગાથા ૧૨૮૯માં સ્થાપન કર્યું કે કથિત આગમના પ્રયોગથી થયેલો ગુરુસંપ્રદાયનો ભાવ પણ વેદવચનમાં ઘટતો નથી. હવે વેદવચનને અપૌરુષેય માનનારા મીમાંસકો કહે કે, વેદવચનો અપૌરુષેય હોવાને કારણે મીમાંસકમતમાં જૈનમતની જેમ કથિત આગમપ્રયોગથી થયેલો ગુરુસંપ્રદાયનો ભાવ ભલે ઘટતો નથી; પરંતુ જેમ જૈનદર્શનમાં સર્વજ્ઞ પુરુષ અર્થોનું પ્રકાશન કરે છે, તેમ મીમાંસકમતમાં પણ વૈદિક આચાર્યો વેદવચનોના અર્થોનું પ્રકાશન કરે છે. તેથી જેમ આગમના અર્થોના નિર્ણયમાં જૈનદર્શનમાં સર્વજ્ઞ પ્રમાણભૂત છે, તેમ વેદવચનના અર્થોના નિર્ણયમાં વૈદિક આચાર્યો પ્રમાણભૂત છે. આ પ્રકારના પૂર્વપક્ષીના કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે ગાથા : અન્વયાર્થ: ૨૩૯ — ण कयाइ इओ कस्सइ इह णिच्छ्य मो कहिंचि वत्थुम । जाओ त्ति कहइ एवं जं सो तत्तं स वामोहो ॥१२९०॥ ફદ્દઅહીં=સંસારમાં, ફો-આનાથી–વેદવચનથી, વાડ઼-ક્યારેય ક્ષફ-કોઈને હિંચિ વહ્યુમ્મિ= કોઈ વસ્તુમાં ળિય મો-નિશ્ચય જ ન ખાઓ=થયો નથી, ત્તિ=એ પ્રમાણે (વેદને માનનારાઓ) જ્ઞ=કહે છે. =આમ હોતે છતે=વેદવચનથી ક્યારેય કોઈ વસ્તુમાં નિશ્ચય થયો નથી એમ હોતે છતે, નં સો તાં-જે આ તત્ત્વ છે=જે આ વૈદિક આચાર્ય પ્રમાણ છે, (એમ મીમાંસકો કહે છે,) F વામોદ્દો-તે વ્યામોહ છે. ગાથાર્થ સંસારમાં વેદવચનથી ક્યારેય કોઈને કોઈ વસ્તુમાં નિશ્ચય જ થયો નથી, એ પ્રમાણે વેદને માનનારાઓ કહે છે. એમ હોતે છતે જે આ વૈદિક આચાર્ય પ્રમાણ છે એમ મીમાંસકો કહે છે, તે વ્યામોહ છે. Jain Education International ટીકા न कदाचिद् अतो-वेदवचनात् कस्यचिदिह निश्चय एव क्वचिद्वस्तुनि जात इति कथयति, एवं सति यदसौ वैदिकस्तत्त्वं स व्यामोहः, स्वतोऽप्यज्ञत्वादिति गाथार्थः ॥१२९० ॥ * “સ્વતોપિ’માં ‘અપિ'થી એ જણાવવું છે કે વૈદિક આચાર્ય જેઓ પાસે વેદના અર્થોનું વ્યાખ્યાન કરે છે, તે શિષ્યોનું તો અજ્ઞપણું છે, પરંતુ સ્વયં પણ=વૈદિક આચાર્યનું પોતાનું પણ, અજ્ઞપણું છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy