SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૦૪-૧૨૦૫ ૨૧૯ ટીકા : ___ उपकाराभावेऽपि विषयादेः चिन्तामणिज्वलनपूजनादिभ्यः(? चन्दनादिभ्यः) सकाशात् विधिसेवकस्य पुंसः जायते तेभ्य एव स-उपकारः, प्रसिद्धमेतल्लोक इति गाथार्थः ॥१२७४॥ ___ एवं कृतकृत्येभ्यः पूज्येभ्यः सकाशात् तद्भावे-उपकारभावे नास्ति कश्चिद्विरोध इति, अत एवकृतकृत्यत्वाद् गुणात् ते भगवन्तः पूज्याः, एवं च का खल्वाशातना तया-पूजयेति गाथार्थः ॥१२७५॥ * “વITમાવે વિ'માં ‘પ'થી એ કહેવું છે કે ચિંતામણિ આદિથી ઉપકાર થતો હોય તો તો વિધિસેવકને ઉપકાર થાય છે, પરંતુ ચિંતામણિ આદિથી ઉપકાર ન થતો હોય તોપણ વિધિસેવકને ચિંતામણિ આદિથી જ ઉપકાર થાય છે. નોંધ: ટીકામાં વિતાર્વિનનપૂગનવિષ્ય છે તેને સ્થાને મૂળગાવ્યા પ્રમાણે ચિત્તામણિદ્વૈત્રનવનવિષ્ય: હોવું જોઈએ. ટીકાર્ય : ચિંતામણિ, જ્વલન=અગ્નિ, ચંદન આદિથી ઉપકારનો અભાવ હોતે છતે પણ વિધિસેવક પુરુષને= ચિંતામણિ આદિનું વિધિપૂર્વક સેવન કરનાર પુરુષને તેઓથી જન્નચિંતામણિ આદિથી જ, તે=ઉપકાર, થાય છે, એ લોકમાં પ્રસિદ્ધ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. એ રીતે કૃતકૃત્યથી પૂજ્યથી, તેના ભાવમાં=ઉપકારના ભાવમાં, કોઈ વિરોધ નથી. આથી જ= કૃતકૃત્યપણારૂપ ગુણથી જ, તેઓ=ભગવાન, પૂજ્ય છે. અને આ રીતે તેના વડે પૂજા વડે, ખરેખર કઈ આશાતના થાય? એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે રીતે ચિંતામણિ આદિ “આ પુરુષ મારી પૂજા કરે છે, માટે હું એના પર ઉપકાર કરું” એ પ્રકારના યત્નથી વિધિસેવક પુરુષ પર ઉપકાર કરતા નથી, તોપણ ચિંતામણિ આદિનું વિધિપૂર્વક સેવન કરનાર પુરુષને ચિંતામણિ આદિથી જ ઉપકાર થાય છે, એ લોકમાં પ્રસિદ્ધ છે; એ રીતે કૃતકૃત્ય એવા ભગવાનથી ઉપકાર થવામાં કોઈ વિરોધ નથી અર્થાત્ ભગવાન યત્નથી કોઈના પર ઉપકાર કરતા નથી, તોપણ ભગવાનની વિધિપૂર્વક પૂજા કરનાર શ્રાવકને ભગવાનથી જ ઉપકાર થાય છે, એમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. વળી, જેમ ચિંતામણિ આદિમાં ચિંતામણિ આદિપણું હોવાથી જ ચિંતામણિ આદિ પૂજ્ય છે, તેમ ભગવાનમાં કૃતકૃત્યપણારૂપ ગુણ હોવાથી જ ભગવાન પૂજય છે; અને જેમ ચિંતામણિ આદિ સ્વયં કોઈનો ઉપકાર નહીં કરતા હોવા છતાં વિધિસેવક પુરુષને ઉપકાર થાય છે, તેમ ભગવાન સ્વયં કોઈના ઉપકાર માટે યત્ન નહીં કરતા હોવા છતાં વિધિસેવક શ્રાવકને ઉપકાર થાય છે. આથી ભગવાનની પૂજાથી આશાતના કઈ રીતે થાય? અર્થાત્ પૂજાથી ભગવાનની આશાતના તો થતી નથી, પરંતુ ભગવાન પ્રત્યે પૂજ્યભાવની વૃદ્ધિ થાય છે. ૧૨૭૪/૧૨૭પી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy