SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / વપરિજ્ઞા / ગાથા ૧૨૦૦, ૧૨૬૮-૧૨૬૯ ટીકા: __ अत एव-यतनागुणात् निर्दोषं शिल्पादिविधानमपि जिनेन्द्रस्य आद्यस्य लेशेन सदोषमपि सन् (?सद्) बहुदोषनिवारणत्वेनाऽनुबन्ध:(?अनुबन्धतः) इति गाथार्थः ॥१२६७॥ નોંધઃ ટીકામાં સત્ છે તેને સ્થાને સત્ અને અનુવન્ધિઃ છે તેને સ્થાને અનુવસ્થતઃ હોવું જોઈએ. * “શિન્યવિધાન”માં “પિ'થી એ દર્શાવવું છે કે આધ જિનેન્દ્રનું યોગમાર્ગાદિનું વિધાન તો નિર્દોષ છે, પરંતુ શિલ્પાદિનું વિધાન પણ નિર્દોષ છે. * “એવો પિ'માં “પિ'થી એ દર્શાવવું છે કે જિનેન્દ્રનું શિલ્પાદિનું વિધાન દોષ વગરનું હોય તો તો નિર્દોષ છે; પરંતુ શિલ્પાદિનું વિધાન લેશથી સદોષ પણ=દોષવાળું હોવા છતાં પણ, નિર્દોષ છે. ટીકાર્ય : આથી જયતનાનો ગુણ હોવાથી જ, લેશથી સદોષ પણ છતું બહુ દોષનું નિવારણપણું હોવાથી અનુબંધથી ફળથી, આઘજિનેન્દ્રનું પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાનનું, શિલ્પાદિનું વિધાન પણ શિલ્પકલા વગેરેનું શિક્ષણ પણ, નિર્દોષ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પ્રથમ તીર્થકર ગૃહસ્થઅવસ્થામાં હતા, ત્યારે તેમણે લોકોને શિલ્પકળા વગેરે શીખવાડ્યું. અને તે શિલ્પકળા વગેરે લોકોના રાગાદિની વૃદ્ધિનું કારણ હોવાથી લેશથી દોષરૂપ છે, તો પણ જો ભગવાને શિલ્પકળા વગેરે લોકોને શીખવાડ્યા ન હોત, તો લોકો પરસ્પર કલહ કરીને અધિક દોષો પ્રાપ્ત કરત; જ્યારે શિલ્પકળા વગેરે શીખવાડવાથી લોકોને રાગાદિ થવારૂપ અલ્પ દોષ થવા છતાં, તે દોષ કરતાં અધિક દોષોનું નિવારણ થયું. આથી ભગવાને લોકોને તેવી જ કળા વગેરે શીખવાડ્યા કે જેનાથી લોકો પરસ્પર થતા ઉપદ્રવોમાંથી રક્ષણ પામે, પરંતુ ઘણો ક્લેશ પેદા કરાવે તેવી કળા વગેરે ભગવાને શીખવાડ્યા નહીં. માટે શિલ્પાદિના વિધાનમાં યતનાનો ગુણ હોવાથી ભગવાને બતાવેલ શિલ્પાદિ અધિક દોષોનું નિવારણ કરનાર છે, માટે લેશથી સદોષ હોવા છતાં પણ ફળથી નિર્દોષ છે. II૧૨૬૭ળા અવતરાણિકા : एतदेवाह - અવતરણિતાર્થ : આને જ કહે છે=પૂર્વગાથામાં કહ્યું કે યતનાનો ગુણ હોવાથી જ લેશથી સદોષ પણ જિનેન્દ્રનું શિલ્પાદિનું વિધાન પણ અનુબંધથી નિર્દોષ છે, એને જ કહે છે – ગાથા : वरबोहिलाभओ सो सव्वुत्तमपुण्णसंजुओ भयवं । एगंतपरहिअरओ विसुद्धजोगो महासत्तो ॥१२६८॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy