SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૬૧-૧૨૬૨ ૨૦૩ ભાવાર્થ : ગ્રંથકાર પૂર્વપક્ષીને કહે છે કે એકેન્દ્રિયાદિની હિંસા અને પંચેન્દ્રિયોની હિંસા પાપના ભેદનો હેતુ છે, તે સ્વીકારવા માટે તેના જેવું કથન તારા મતમાં સ્વીકારાયેલ છે; કેમ કે તારા મતમાં કહેલ છે કે હજાર શૂદ્રોનો ઘાત થાય, તોપણ એક બ્રાહ્મણના ઘાત જેટલું પાપ થતું નથી. આથી જેમ ઘણાં શૂદ્રોના ઘાતમાં થતા પાપ કરતાં એક બ્રાહ્મણના ઘાતમાં અધિક પાપ થાય છે, એમ તને સંમત છે; તેમ ઘણાં એકેન્દ્રિયાદિના ઘાતમાં થતા પાપ કરતાં એક પંચેન્દ્રિયના ઘાતમાં અધિક પાપ થાય છે, એમ તારા જ વચનથી સિદ્ધ થાય છે. આથી ગાથા ૧૨૩૩માં પૂર્વપક્ષીએ કહેલ કે યાગમાં પંચેન્દ્રિયનો વધ છે અને દ્રવ્યસ્તવમાં એકેન્દ્રિયાદિનો વધ છે, એવા ભેદના આગ્રહથી શું?; કેમ કે જિનભવનાદિમાં હણાતા એકેન્દ્રિયાદિ ઘણાં છે અને યાગમાં હણાતા પંચેન્દ્રિયો થોડાં છે, માટે બંનેમાં હિંસા તુલ્ય છે, તેથી જો દ્રવ્યસ્તવથી ધર્મ થઈ શકે એમ સ્વીકારીએ તો યજ્ઞથી પણ ધર્મ થઈ શકે એમ સ્વીકારવું પડે. આ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન અસંગત છે. ૧૨૬૧ અવતરણિકા : પૂર્વની બે ગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે એકેન્દ્રિયાદિની હિંસા અને પંચેન્દ્રિયની હિંસામાં ગુણ-દોષની વિચારણાવિષયક અલ્પ-બહુત્વ જાણવું. હવે દ્રવ્યસ્તવમાં થતી હિંસા એકેન્દ્રિયાદિની છે માટે અલ્પ છે એમ નહીં, પરંતુ હેતુ અને અનુબંધથી હિંસા નથી, ફક્ત સ્વરૂપથી હિંસા છે, માટે અલ્પ છે. એમ બતાવવા કહે ગાથા : अप्पा य होइ एसा एत्थं जयणाए वट्टमाणस्स । जयणा य धम्मसारो विन्नेआ सव्वकज्जेसु ॥१२६२॥ અન્વયાર્થ: ત્યં ચ અને અહીં=જિનભવનાદિમાં, નયUIC વાપIક્ષયતનાથી વર્તતા એવાને મMા=અલ્પ પણ આ=હિંસા, ડું થાય છે. બન્ને અને સર્વ કાર્યોમાં ગયUTIકયતના ઘસાર=ધર્મનો સાર વિજેમાં જાણવી. ગાથાર્થ : અને જિનભવનાદિમાં ચતનાથી વર્તતા પુરુષને અલ્પ હિંસા થાય છે. અને સર્વ કાર્યોમાં ચતના ધર્મનો સાર જાણવી. ટીકા : ___ अल्पा च भवत्येषा-हिंसाऽत्र यतनया वर्तमानस्य जिनभवनादौ, यतना च धर्मसारो-हृदयं विज्ञेया सर्वकार्येषु ग्लानादिष्विति गाथार्थः ॥१२६२॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy