SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૧૧ માત્ર કષ-છેદ-તાપથી શુદ્ધ આગમ જ છે ? કે આવા આગમ સિવાય બીજું પણ કોઈ છે ? તેથી ગ્રંથકાર કહે છે કે ઉત્તમશ્ચંત માત્ર કષ-છેદ-તાપથી શુદ્ધ આગમ જ નથી, પણ આગમ વગેરે છે, અને તે ‘વગેરે’ શબ્દથી ગાથા ૧૦૨૧માં કહેવાયેલા સ્તવપરિજ્ઞા આદિ પ્રાકૃતવિશેષો ગ્રહણ કરવાના છે. વળી, ૧૦૨૧મી ગાથાને ‘દ્વારગાથા’ કહેવાનું પ્રયોજન એ છે કે ગાથા ૧૦૧૯થી ૧૦૨૧માં વ્યાખ્યેય નામનું દ્વાર બતાવ્યું છે, અને ગાથા ૧૦૧૯-૧૦૨૦માં કહ્યું કે અભિનવ આચાર્ય શિષ્યો પાસે નંદી આદિનું વ્યાખ્યાન કરે, અથવા દૃષ્ટિવાદાદિનું વ્યાખ્યાન કરે, અથવા દષ્ટિવાદાદિમાંથી ઉદ્ધૃત એવા શેષ શ્રુતનું વ્યાખ્યાન કરે; અને દૃષ્ટિવાદાદિમાંથી ઉદ્ધૃત એવું શેષ શ્રુત કયું છે ? તે બતાવવા ગાથા ૧૦૨૧માં ખુલાસો કર્યો, તેથી એ પ્રાપ્ત થયું કે અભિનવ આચાર્ય માટે વ્યાખ્યેય નંદીસૂત્ર આદિ છે, દૃષ્ટિવાદાદિ છે અને દૃષ્ટિવાદાદિમાંથી નિર્મૂઢ એવા સ્તવપરિક્ષાદિ છે. માટે આ ત્રણ ગાથા વ્યાધ્યેય દ્વારની ગાથા છે. આથી ટીકામાં કહ્યું કે ‘આર્િ’ શબ્દથી દ્વારગાથામાં કહેવાયેલ સ્તવપરિજ્ઞા આદિ ગ્રહણ કરાય છે. વળી, ત્યાં જિજ્ઞાસા થાય કે સ્તવપરિક્ષા શું છે ? એથી ગ્રંથકાર કહે છે કે જે ગ્રંથરચનામાં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ ગૌણ-પ્રધાનભાવથી વર્ણન કરાયો હોય, તે ગ્રંથરચના સ્તવપરિજ્ઞા છે. આનાથી એ ફલિત થયું કે સ્તવપરિજ્ઞા નામના ગ્રંથમાં કેટલાંક સ્થાને પ્રધાનભાવથી દ્રવ્યસ્તવ બતાવ્યો છે અને ગૌણભાવથી ભાવસ્તવ બતાવ્યો છે, તો વળી બીજાં કેટલાંક સ્થાને પ્રધાનભાવથી ભાવસ્તવ બતાવ્યો છે અને ગૌણભાવથી દ્રવ્યસ્તવ બતાવ્યો છે, અને આ સ્તવપરિક્ષા ગ્રંથ પણ નંદી આદિ અને દૃષ્ટિવાદાદિ આગમોની જેમ ઉત્તમશ્રુતરૂપ છે. પરિપૂર્ણ સુખમય મોક્ષ આત્મા માટે ઉત્તમાર્થ છે, અને તે ઉત્તમાર્થની પ્રાપ્તિનો ઉપાય જે બતાવે તેને પણ ઉત્તમાર્થ કહેવાય, અને જે આગમ કષ-છેદ-તાપથી પરિશુદ્ધ હોય તે આગમ જ ખરેખર મોક્ષનો યથાર્થ ઉપાય બતાવનાર છે. તેથી ત્રિકોટિથી પરિશુદ્ધ એવા આગમને અહીં ઉત્તમશ્રુત કહેલ છે. વળી, દ્રવ્યસ્તવમાં દ્રવ્ય મુખ્ય હોય છે અને ભાવ ગૌણ હોય છે, અને ભાવસ્તવમાં ભાવ મુખ્ય હોય છે અને દ્રવ્ય ગૌણ હોય છે. તે બતાવવા માટે કહ્યું કે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ ગુણાદિભાવથી જેમાં વર્ણન કરાયેલ હોય તે સ્તવપરિજ્ઞા છે. દ્રવ્યસ્તવમાં ભગવાનની ભક્તિની સામગ્રીરૂપ દ્રવ્ય પ્રધાન હોય છે, અને તે સામગ્રી દ્વારા ભગવાનની પૂજા કરતી વખતે વધતો જતો ભગવાન પ્રત્યેનો બહુમાનભાવ ગૌણ છે; કેમ કે ભાવની નિષ્પત્તિ માટે દ્રવ્યસામગ્રીમાં યત્ન કરાય છે. તેથી શ્રાવકને ભક્તિની સામગ્રી દ્વારા પૂજા કરવારૂપ દ્રવ્યસ્તવ પ્રધાન છે. ભાવસ્તવમાં ભગવાનની આજ્ઞાના પાલનરૂપ ભાવ પ્રધાન હોય છે, અને આ ભાવસ્તવ મુનિ કરે છે; કેમ કે મુનિનો યત્ન નિર્લેપદશા તરફ જવાનો હોય છે; છતાં મુનિ દ્રવ્યસ્તવની અનુમોદના પણ કરે છે, અને દ્રવ્યસ્તવની અનુમોદના ભાવરૂપ છે, તોપણ તે અનુમોદનાનો વિષય દ્રવ્યસ્તવ છે, તેથી મુનિને અનુમોદનાના વિષયભૂત એવો દ્રવ્યસ્તવ ગૌણ છે. ।।૧૧૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy