SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૩૦-૧૨૩૧ ૧પ૦ પીડા કરે છે. માટે યાગમાં થતી હિંસા અધર્મરૂપ માન્ય હોય તો દ્રવ્યસ્તવમાં થતી હિંસા પણ અધર્મરૂપ જ માનવી પડે. વળી વૈદ્યની ચિકિત્સાથી રોગીને પીડા થાય છે તોપણ વૈદ્યને અધર્મ થતો નથી. માટે કોઈને પીડા કરવાથી અધર્મ જ થાય છે એવો એકાંતે નિયમ નથી. આથી વેદવિહિત યાગીય હિંસામાં અધર્મ છે એવું માનવું ઉચિત નથી, છતાં જો જૈનોને વેદવિહિત યાગીય હિંસા અધર્મરૂપે માન્ય હોય તો જૈનોએ જૈનદર્શનવિહિત દ્રવ્યસ્તવીય હિંસાને પણ અધર્મરૂપે માનવી જોઈએ. એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. ૧૨૩૦ ગાથા : अह तेसिं परिणामे सुहं तु तेसि पि सुव्वई एवं(? एयं)। तज्जणणे वि ण धम्मो भणिओ परदारगाईणं ॥१२३१॥ અન્વયાર્થ : મદદથી પૂર્વપક્ષીને કોઈ જૈનદર્શનવાળા કહે છે – તેસિંગતેઓને દ્રવ્યસ્તવમાં હણાતા જીવોને, પરિVારે સુદં તુ પરિણામમાં સુખ જ થાય છે. તેને પૂર્વપક્ષી કહે છે –) તે ઉપ-તેઓને પણ યાગમાં હણાતા જીવોને પણ, યંકઆ=પરિણામમાં સુખ જ થાય છે એ કથન, સુત્ર સંભળાય છે. તેના વિ=તેના જનનમાં પણ=પર જીવને સુખ થવામાં પણ, પરંવાર Iછુંvi પારદારિકાદિન=પરસ્ત્રીગમન કરનારા પુરુષોને, થમો માગો ધર્મ કહેવાયો નથી. ગાથાર્થ : મથ થી પૂર્વપક્ષીને કોઈ જેનદર્શનવાળા કહે છે - દ્રવ્યસ્તવમાં હણાતા જીવોને પરિણામમાં સુખ જ થાય છે. તેને પૂર્વપક્ષી કહે છે – ચાગમાં હણાતા જીવોને પણ પરિણામમાં સુખ જ થાય છે એ કથન સંભળાય છે. પર જીવને સુખ થવામાં પણ પરદારાગમન કરનારા વગેરે પુરુષોને ધર્મ કહેવાયો નથી. ટીકાઃ ____ अथ तेषां जिनभवनादौ हिंस्यमानानां परिणामे सुखमेवेत्यदोषः, एतदाशङ्क्याह-तेषामपि यागे हिंस्यमानानां श्रूयते एतत्, स्वर्गपाठात्, उपपत्त्यन्तरमाह-तज्जननेऽपि-सुखजननेऽपि न धर्मो भणितः पारदारिकादीनां, तस्मादेतदपि व्यभिचारीति गाथार्थः ॥१२३१॥ નોંધ: ગાથાના પૂર્વાર્ધના અંતે પર્વ છે તેને સ્થાને ટીકામાં કરેલ અર્થ પ્રમાણે પડ્યું હોય તેમ ભાસે છે. ટીકાર્ય : થથી પૂર્વપક્ષીને કોઈ જૈનદર્શનવાળા કહે છે – તેઓને=જિનભવનાદિમાં હણાતા એવા જીવોને, પરિણામમાં ફળમાં, સુખ જ થાય છે, એથી અદોષ છેઃજિનભવનાદિમાં થતી હિંસામાં કર્મબંધરૂપ દોષ નથી. આ કથનની આશંકા કરીને પૂર્વપક્ષી કહે છે – તેઓને પણ યાગમાં હણાતા એવા જીવોને પણ, આ= Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy