SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞાગાથા ૧૨૨૫-૧૨૨૬ ભાવાર્થ : - શ્રાવકો સંપૂર્ણ સંયમવાળા હોતા નથી, પરંતુ કાંઈક વિરતિના અને કાંઈક અવિરતિના પરિણામવાળા હોય છે. આથી શ્રાવકો ધનાદિ રાખે છે અને ભગવાનની ભક્તિ અર્થે સ્નાનાદિ કરે છે. વળી ભગવાનની ભક્તિ કરતી વખતે શ્રાવકોને શુભ ભાવ થાય છે કે “ભગવાનની ભક્તિ અર્થે હું સ્નાનાદિ કરું છું, અને મેં જે ધનાદિનો સંચય કર્યો છે તેને ભગવાનની ભક્તિમાં વાપરીને હું મારા આત્મહિતને સાધુ” આ પ્રકારનો તેઓનો શુભ ભાવ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને સંયમની પ્રાપ્તિનું કારણ બને છે. માટે દેશવિરતિધર શ્રાવકો દ્વારા કરાતો દ્રવ્યસ્તવ તેઓનો સંસાર અલ્પ કરવાનું કારણ બને છે. આથી શ્રાવકોને સાક્ષાત્ જ દ્રવ્યસ્તવ ઇષ્ટ છે. વળી દ્રવ્યસ્તવમાં કૂવાનું દષ્ટાંત લોકમાં પ્રસિદ્ધ કથાનકથી જાણવું. ૧૨૨૫ll અવતરણિકા : સ્તવપરિજ્ઞાના વર્ણનમાં સૌ પ્રથમ દ્રવ્યસ્તવનું સ્વરૂપ બતાવતાં કહેલ કે જિનભવનાદિનું વિધાન એ દ્રવ્યસ્તવ છે. ત્યારપછી જિનભવનકારણની વિધિ બતાવી, અને ત્યારપછી દ્રવ્યસ્તવ ભાવસ્તવનું કારણ કઈ રીતે બને છે? તે બતાવ્યું. ત્યાં કોઈ આક્ષેપ કરે કે દ્રવ્યસ્તવ પુષ્પાદિરૂપ હોઈ શકે, જિનભવનકારાદિરૂપ નહીં. આ પ્રકારના આક્ષેપનું ઉદ્ભાવન કરીને તેનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે – ગાથા : सो खलु पुष्फाईओ तत्थुत्तो ण जिणभवणमाई वि । आईसद्दा वुत्तो तयभावे कस्स पुष्फाई ? ॥१२२६॥ અન્વયાર્થ: તત્ય વર્તુ-ખરેખર ત્યાં=આવશ્યકનિર્યુક્તિભાષ્યગાથા-૧૯૩માં, તો તે દ્રવ્યસ્તવ, પુષ્કાર્ફોપુષ્પાદિરૂપ સત્તા કહેવાય છે, નિમવામા વ ા=જિનભવનાદિરૂપ પણ નહીં. (આ પ્રમાણે કહેતા પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે –) માસી વૃત્તિ િશબ્દથી કહેવાયો છે=“પુષ્પારિ''માં રહેલ “મરિ' શબ્દથી જિનભવનાદિરૂપ પણ દ્રવ્યસ્તવ કહેવાયો છે. તમારે 1 પુરૂં ? તેના અભાવમાં કોને પુષ્પાદિ?=જિનભવનાદિના અભાવમાં કોની પુષ્પાદિથી પૂજા કરવી ? ગાથાર્થ : ખરેખર આવશ્યકનિર્યુક્તિભાષ્યગાથા-૧૯૩માં દ્રવ્યસ્તવ પુપાદિરૂપ કહેવાયો છે, જિનભવનાદિરૂપ પણ નહીં. આમ કહેતા પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે-“પુષ્પારિ"માં રહેલ 'રિ' શબ્દથી જિનભવનાદિરૂપ પણ દ્રવ્યસ્તવ કહેવાયો છે; જિનભવનાદિના અભાવમાં કોની પુષ્પાદિથી પૂજા કરવી ? ટીકાઃ ___ स खलु द्रव्यस्तवः पुष्पादिः तत्रोक्तः 'पुप्फादीयं ण इच्छंति' प्रतिषेधप्रत्यासन्ने, न जिनभवनादिरपि, अनधिकारादित्याशङ्क्याह-आदिशब्दादुक्तो जिनभवनादिरपि, तदभावे-जिनभवनाद्यभावे कस्य पुष्पादिरिति गाथार्थः ॥१२२६॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy