SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૨૨૩-૧૨૨૪ સાધુ સંયમના ઉપકરણોથી અતિરિક્ત દ્રવ્ય રાખતા નથી. આમ બ્રહ્મચર્યનું પાલન કરવા અર્થે સ્નાનાદિ નહીં કરતા હોવાને કારણે અને પરિગ્રહ નહીં રાખતા હોવાને કારણે, મુનિ ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની ભક્તિ કરવારૂપ દ્રવ્યસ્તવ સાક્ષાત્ કરતા નથી, પરંતુ વીતરાગ થવાને અનુકૂળ નિરપેક્ષ થવાની ભગવાનની આજ્ઞાના પાલનમાં યત્ન કરવારૂપ ભાવસ્તવ સાક્ષાત્ કરે છે. આથી મુનિને ભાવસ્તવ પ્રધાન છે અને શ્રાવકને દ્રવ્યસ્તવ પ્રધાન છે, એમ ફલિત થાય. ll૧૨૨૩/ ગાથા : एएहितो अण्णे धम्महिगारीह जे उ तेसिं त । सक्खं चिअ विणणेओ भावंगतया जओ भणियं ॥१२२४॥ અન્વયાર્થ: રૂદતુ વળી અહીં=જગતમાં, પર્રિતો મળે ને ઘHદારી આમનાથી=મુનિઓથી, અન્ય જે ધર્મના અધિકારીઓ છે, તેહિ તેઓને માવંતિયા=ભાવનું અંગપણું હોવાથી (દ્રવ્યસ્તવ) સë વિસાક્ષાત્ જ વિઘો =જાણવો; નો જે કારણથી મર્થ કહેવાયું છે. * ગાથાના પૂર્વાર્ધમાં રહેલ “' પાદપૂર્તિમાં છે. 'ગાથાર્થ : વળી જગતમાં મુનિઓથી અન્ય જે ધર્મના અધિકારીઓ છે, તેઓને ભાવનું અંગપણું હોવાથી દ્રવ્યસ્તવ સાક્ષાત્ જ જાણવો; જે કારણથી કહેવાયું છે. ટીકા? एतेभ्यो-मुनिभ्योऽन्ये धर्माधिकारिण इह ये श्रावकास्तेषां तु साक्षादेव विज्ञेयः स्वरूपेणैव भावाङ्गतया हेतुभूतया, यतो भणितं वक्ष्यमाणमिति गाथार्थः ॥१२२४॥ ટીકાર્ય : વળી અહીં=જગતમાં, આમનાથી=મુનિઓથી, અન્યને ધર્મના અધિકારવાળા શ્રાવકો છે, તેઓને હેતુભૂત એવી ભાવની અંગતા હોવાથી દ્રવ્યસ્તવનું ભાવસ્તિવના કારણભૂત એવા ભાવનું કારણ પણું હોવાથી, સાક્ષાત્ જ=સ્વરૂપથી જ, વિશેય છે=દ્રવ્યસ્તવ કર્તવ્યરૂપે વિશેય છે; જે કારણથી વણ્યમાણ=આગળની ગાથામાં કહેવાશે એ, કહેવાયું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ભાવપ્રધાન મુનિઓથી અન્ય એવા ધર્મના અધિકારી શ્રાવકોને સર્વવિરતિની પ્રાપ્તિના કારણભૂત એવા ભાવનું કારણ હોવાથી સાક્ષાત્ દ્રવ્યસ્તવ ઈષ્ટ છે. આશય એ છે કે મુનિઓ સાક્ષાત્ સર્વવિરતિનું પાલન કરીને મોક્ષને અનુકૂળ ભાવોમાં યત્ન કરી શકે છે; જ્યારે શ્રાવકો સર્વવિરતિનું પાલન કરવા માટે અસમર્થ છે, તોપણ તેઓ મોક્ષના અર્થી હોવાથી ઇચ્છતા હોય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy