SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ અનુયોગગણાનુજ્ઞાવતુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૨૩ तन्त्रस्थित्या, पूर्वापरनिरूपणेन गर्भार्थमाह-भावप्रधाना हि मुनय इति कृत्वोपसजनमयमिति गाथार्थः ૨૨૨૩ ટીકાર્ય : સાક્ષાત્ સ્થિત્યા કૃત્ન સંયમ અને દ્રવ્યના અભાવરૂપ કારણથી=સાધુ સંપૂર્ણ સંયમવાળા હોવાથી અને સાધુ પાસે પૈસા વગેરે દ્રવ્ય નહીં હોવાથી, આ દ્રવ્યસ્તવ, મુનિને સાક્ષાત્ સ્વરૂપથી જ=આચરણાથી જ, ઈષ્ટ નથી. એ પ્રમાણે તંત્રની સ્થિતિથીકશાસ્ત્રની મર્યાદાથી, જણાય છે. પૂર્વાપર....મદિ – પૂર્વ-અપરના નિરૂપણ દ્વારા ગર્ભાર્થને કહે છે અર્થાત્ ગાથા ૧૨૧૨માં કહ્યું કે સિદ્ધાંતમાં દ્રવ્યસ્તવસ્વરૂપ પૂજન-સત્કાર હેતુક કાયોત્સર્ગ યતિને પણ નિર્દિષ્ટ છે, ગાથા ૧૨૧૪માં કહ્યું કે સમવસરણમાં દ્રવ્યસ્તવના અંગરૂપ બલિ આદિ ભગવાન વડે પણ પ્રતિષિદ્ધ નથી, ગાથા ૧૨૨૦માં કહ્યું કે ચાર પ્રકારના વિનયમાંથી તીર્થંકરવિષયક જે ઔપચારિક વિનય છે તે દ્રવ્યસ્તવથી અન્ય નથીઃ આ સર્વરૂપ પૂર્વકથનોની અને પ્રસ્તુત ગાથામાં કહ્યું કે કૃત્ન સંયમાદિને કારણે મુનિને સાક્ષાત્ જ દ્રવ્યસ્તવ ઈષ્ટ નથી એ રૂપ અપરકથનની, વિચારણા દ્વારા જે ગર્ભમાં રહેલો અર્થ પ્રાપ્ત થાય છે, તેને ગ્રંથકાર કહે છે – ભાવપ્રધાન...મમ્ મુનિઓ ભાવપ્રધાન જ હોય છે, જેથી કરીને આ ઉપસર્જન છે=મુનિઓને દ્રવ્યસ્તવ ગૌણ છે. રૂતિ થાઈ એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: મુનિઓ સંપૂર્ણ સંયમવાળા છે, માટે સ્નાનાદિ કરતા નથી અને તેમની પાસે પૈસા વગેરે દ્રવ્ય હોતું નથી, માટે ઉત્તમ દ્રવ્યોથી જિનભવનકારાદિરૂપ દ્રવ્યસ્તવ સાક્ષાત્ કરતા નથી. આથી સિદ્ધાંતની મર્યાદાથી તેઓને સાક્ષાત્ દ્રવ્યસ્તવ ઈષ્ટ નથી એમ જણાય છે. વળી, પ્રસ્તુત ગાથામાં પૂર્વ-અપર કથનના નિરૂપણ દ્વારા તાત્પર્ય બતાવ્યું કે મુનિઓ ભાવપ્રધાન જ હોય છે. તેનો આશય એ છે કે મુનિઓને દ્રવ્યસ્તવ, માત્ર અરિહંત ચેઈયાણ સૂત્ર બોલવા દ્વારા કરાતી ચૈત્યવંદનામાં પૂજન-સત્કારના નિમિત્તે કરાતા કાયોત્સર્ગ દ્વારા પૂજન-સત્કારના ફળના સંપાદનરૂપે, અથવા શ્રાવકોને દ્રવ્યસ્તવ કરવાનો ઉપદેશ આપવારૂપે, કે ઉપચાર વિનયરૂપે ઇષ્ટ હોય છે. આથી મુનિઓનો દ્રવ્યસ્તવ કૃત્યરૂપે નથી, પરંતુ અનુમોદનાદિના ભાવરૂપે છે. માટે મુનિને દ્રવ્યસ્તવ ગૌણરૂપ છે અને ભાવસ્તવ મુખ્યરૂપે છે; કેમકે જે વિશેષણરૂપ હોય તેને ગૌણ કહેવાય અને વિશેષ્યરૂપ હોય તેને મુખ્ય કહેવાય. એ નિયમ અનુસાર પ્રસ્તુતમાં મુનિને ‘દ્રવ્યસ્તવવિષયક અનુમોદનાદિનો ભાવ” હોય છે, તેથી ‘દ્રવ્યસ્તવ' વિશેષણ બને છે અને “ભાવ” વિશેષ્ય બને છે. મુનિને આશ્રયીને | વિશેષણ (ગૌણ) | વિશેષ્ય (મુખ્ય) | દ્રવ્યસ્તવ વિષયક | અનુમોદનાદિનો ભાવ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy