SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક| ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૧૩ અન્યથાર્થ : રૂદ અહીં=પ્રવચનમાં, મફર્દિ માલ્યાદિ વડે પૂમ-પૂજા થાય છે, પવરસ્થમાર્દિ સારો પ્રવર વસ્ત્રાદિ વડે સત્કાર થાય છે. તેમને વિવMો અન્ય વિપર્યય (કહે છે :) કુફા વિદ્વિધા પણ પ્રસ્થ અહીં વંદનાવિષયક સૂત્રમાં, વ્યત્વો દ્રવ્યસ્તવ (અભિધેય) છે. ગાથાર્થ : પ્રવચનમાં માલ્યાદિ વડે પૂજા થાય છે, શ્રેષ્ઠ વસ્ત્રાદિ વડે સત્કાર થાય છે. અન્ય વિપર્યય કહે છે અર્થાત્ અન્ય આચાર્ય માલ્યાદિ વડે સત્કાર થાય છે, શ્રેષ્ઠ વસ્ત્રાદિ વડે પૂજા થાય છે, એમ કહે છે. બંને પ્રકારે પણ અહીં દ્રવ્યસ્તવ અભિધેય છે. ટીકા : __ माल्यादिभिः पूजा, तथा सत्कारः प्रवरवस्त्रालङ्कारादिभिः, अन्ये विपर्ययः, इह-प्रवचने, वस्त्रादिभिः पूजा माल्यादिभिः सत्कार इति व्याचक्षते, सर्वथा द्विधाऽपि, यथाऽस्तु तथाऽस्तु, द्रव्यस्तवोऽत्राऽभिधेय રૂતિ થાર્થઃ ૨૨૨૩ ટીકાર્ય : અહીં=પ્રવચનમાં, માલ્યાદિ વડે=માળા આદિ વડે, પૂજા થાય છે, તથા પ્રવર વસ્ત્ર-અલંકાર આદિ વડે સત્કાર થાય છે. અન્ય વિપર્યય અર્થાત્ વસ્ત્રાદિ વડે શ્રેષ્ઠ વસ્ત્ર-અલંકાર આદિ વડે, પૂજા થાય છે, માળા આદિ વડે સત્કાર થાય છે, એ પ્રકારે કહે છે. જેમ હો તેમ હો=પૂજા માલ્યાદિ વડે કહો કે પ્રવર વસ્ત્રાદિ વડે કહો અને સત્કાર પ્રવર વસ્ત્રાદિ વડે કહો કે માલ્યાદિ વડે કહો, સર્વથા=બધી રીતે, બંને પ્રકારે પણ અહીં દ્રવ્યસ્તવ અભિધેય છે=અરિહંત ચેઈઆણં સૂત્રમાં પૂજા' અને “સત્કાર' શબ્દથી દ્રવ્યસ્તવ અભિધેય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ભગવાનની પૂજા ફૂલની માળા વગેરેથી થાય છે અને સત્કાર શ્રેષ્ઠ વસ્ત્ર, અલંકાર આદિથી થાય છે. વળી કેટલાક આચાર્યો કહે છે કે ભગવાનની પૂજા શ્રેષ્ઠ વસ્ત્રાદિ વડે થાય છે અને સત્કાર ફૂલની માળા વગેરેથી થાય છે. આ બંને પ્રકારોમાંથી બને અર્થ ગ્રહણ કરીએ તોપણ, અરિહંત ચેઈઆણં સૂત્રમાં પૂજન અને સત્કાર દ્વારા દ્રવ્યસ્તવ અભિધેય છે, અને તે દ્રવ્યસ્તવનું ફળ મેળવવા અર્થે સાધુ પણ કાયોત્સર્ગ કરે છે. તેથી નક્કી થાય કે સાધુને પણ અનુમોદનરૂપે દ્રવ્યસ્તવ છે; કેમ કે “અનુમોદના તેના ફળની આશંસાથી કરાય છે” એવો નિયમ છે. આથી જ શ્રાવકોના વ્યાપાર-વાણિજયાદિના ફળની સાધુ આશંસા કરતા નથી, માટે સાધુને શ્રાવકોના વ્યાપારાદિની અનુમોદના નથી, પરંતુ શ્રાવકો વડે કરાતા ભગવાનના પૂજન-સત્કારના ફળની સાધુ આશંસા કરે છે, માટે સાધુને શ્રાવકોના પૂજન-સત્કારની અનુમોદના છે. ૧૨૧૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy