SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક“અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૯૩ ૧૦૯ ગાથાર્થ : વિષઘાતી, રસાયણ, મંગલાઈ, વિનય, પ્રદક્ષિણાવર્ત, ગુરુક, અદાહ્ય અને અકુથનીચઃ સુવર્ણમાં આ આઠ ગુણો હોય છે. ટીકાઃ विषघाति सुवर्णं, तथा रसायनं वयःस्तम्भनं, मङ्गलार्थ मङ्गलप्रयोजनं, विनीतं कटकादियोग्यतया, प्रदक्षिणावर्त्तमग्नितप्तं प्रकृत्या, गुरु सारतया, अदाह्यं सारतयैव, अकुथनीयमत एव । एवमष्टौ सुवर्णे गुणाः भवन्त्यसाधारणा इति गाथार्थः ॥११९३॥ ટીકાર્ય : સુવર્ણ વિષનું ઘાતી છે વિષનું હરણ કરનાર છે, તથા રસાયણ છે=વયનું સ્તંભન છે–વૃદ્ધાવસ્થાને અટકાવનાર છે, મંગલના અર્થવાળું છે=મંગલના પ્રયોજનવાળું છે, કટકાદિની યોગ્યતાથી વિનીત છેઃસુવર્ણમાં કડું વગેરે બની શકે તેવી યોગ્યતા હોવાને કારણે સુવર્ણ વાળી શકાય તેવું છે. અગ્નિથી તપ્ત પ્રકૃતિથી પ્રદક્ષિણાવર્તવાળું છે=સુવર્ણ અગ્નિથી તપેલું હોય ત્યારે બનેલું સુવર્ણનું પ્રવાહી સ્વભાવથી જમણા આવર્તવાળું છે. સારપણું હોવાને કારણે ગુરુ છે, સારપણું હોવાને કારણે જ અદાહ્ય છે, આથી જ અકુથનીય છે=સુવર્ણમાં સારપણું છે એથી જ કોહવાય નહીં એવું છે : આ રીતે સુવર્ણમાં અસાધારણ એવા આઠ ગુણો હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ૧. સુવર્ણ ઝેરનો ઘાત કરનાર છે. ૨. સુવર્ણનો આહારમાં ઉપયોગ કરવામાં આવે તો ઘડપણ જલદી આવતું નથી. માટે સુવર્ણ રસાયણ છે. ૩. સુવર્ણના અલંકારો મંગલરૂપ બને છે. આથી જ માંગલિક કાર્યોમાં સુવર્ણના આભૂષણો પહેરવાની વિધિ વ્યવહારમાં પ્રચલિત છે. ૪. સુવર્ણ વાળી શકાય તેવું હોય છે. આથી તેમાં કડું વગેરે આભૂષણો બનવાની યોગ્યતા રહેલી છે. ૫. સુવર્ણને અગ્નિથી તપાવીને ઓગાળવામાં આવે ત્યારે સ્વાભાવિક રીતે તે સુવર્ણનું પ્રવાહી જમણી તરફથી ગોળ ગોળ ફરે છે. ૬. સુવર્ણ શ્રેષ્ઠ હોવાને કારણે ભારે હોય છે. ૭. સુવર્ણ શ્રેષ્ઠ હોવાને કારણે કોઈ દ્રવ્યથી બળતું નથી. ૮. સુવર્ણ શ્રેષ્ઠ હોવાને કારણે જ ક્યારેય બગડતું નથી. આ પ્રકારના સુવર્ણના આઠ ગુણો સુવર્ણ સિવાય અન્ય કોઈ ધાતુમાં નહીં રહેતા હોવાથી અસાધારણ છે. અહીં “સારપણું હોવાને કારણે જ” એમ કહેવા દ્વારા એ જણાવવું છે કે સુવર્ણ શ્રેષ્ઠ પુદ્ગલોમાંથી બનેલું હોય છે, આથી તે અન્ય ધાતુઓ કરતાં કીમતી ધાતુ ગણાય છે. અન્ય પદાર્થોની જેમ અગ્નિથી બળી જતું નથી અને સારભૂત પુદ્ગલોમાંથી બનેલું હોવાથી જ જેમ લોખંડને કાટ લાગે છે, ચાંદી કાળી પડી જાય છે, તેમ સુવર્ણ ક્યારેય વિકૃતિને પામતું નથી. ૧૧૯૩|| Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy