SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૮૫-૯૮૬ આમ છતાં, કોઈ શ્રોતાવિશેષની મતિ નિર્મળ હોય અને તે મિથ્યાભિનિવેશથી ભાવિતમતિવાળા અતિપરિણામકાદિ વક્તા પાસેથી પણ છેદસૂત્રાદિના અર્થો સાંભળીને શાબ્દબોધની ઉચિત મર્યાદા દ્વારા અર્થોને યથાર્થ જ જોડે, તો તેવા જીવવિશેષને આવા વક્તા પાસેથી પણ સર્વજ્ઞકથિત સત્ય અર્થોનો બોધ થઈ શકે છે; અથવા તો કોઈક શ્રોતાવિશેષને આવા અપરિણામકાદિ વક્તાનો ઉપદેશ સાંભળતી વખતે વિપરીત બોધ થયેલો હોય, તોપણ તેની રુચિ એકાંતે જિનવચનાનુસાર બોધ કરવાને અભિમુખ હોય, તો તેને મિથ્યાભિનિવેશનો ભાવ થતો નથી; અને પાછળથી સ્વયં ઊહાપોહ કરવાથી કે અન્ય કોઈ પાસેથી ઉપદેશશ્રવણાદિ સામગ્રીથી તેને સ્વયં અર્થો સમ્યફ પરિણમન પામે છે. આ પ્રકારે મિથ્યાભિનિવેશવાળા ગુરુ પાસેથી પણ વ્યાખ્યાન સાંભળીને મિથ્યાભિનિવેશનો ભાવ નહીં પામનારા શ્રોતાવિશેષોની વ્યાવૃત્તિ કરવા માટે “પ્રાયઃ' શબ્દનું ગ્રહણ કરેલ છે. ll૯૮પી અવતરણિકા : પૂર્વગાથાના અંતે કહ્યું કે શિષ્યના હિત માટે જ ગુરુએ યોગ્ય શિષ્યોને વ્યાખ્યાન કરવું જોઈએ. વળી જે રીતે પોતાના યોગ્ય શિષ્યોને વ્યાખ્યાન કરવાનું છે તે રીતે ઉપસંપદા સામાચારી સ્વીકારીને પોતાની પાસે ભણવા આવેલા અન્ય આચાર્યના શિષ્યોને પણ વ્યાખ્યાન કરવાનું છે. તેથી તેઓને ક્યારે અને કયા ક્રમથી વ્યાખ્યાન કરવું જોઈએ? તે બતાવે છે – ગાથા : उवसंपण्णाण जहाविहाणओ एव गुणजुआणं पि । सुत्तत्थाइकमेणं सुविणिच्छिअमप्पणा सम्मं ॥९८६॥ અન્વચાઈ: a TWITvi fપ આ પ્રકારના ગુણયુક્ત પણ નહાવિહાગ ૩વસંપUTI Tયથાવિધાનથી ઉપસંપન્ન એવા સાધુઓને સુત્થારૂપેvi સૂત્રાર્યાદિના ક્રમથી સMUT સુવિછિદં આત્મા વડે સુવિનિશ્ચિત એવું સÍસમ્યગ્ (વ્યાખ્યાન કરવું જોઈએ.) * “વવરવા રન્ન' શબ્દની પૂર્વગાથામાંથી અનુવૃત્તિ કરવાની છે. ગાથાર્થ : આવા ગુણોથી યુક્ત પણ યથાવિધાનથી ઉપસંપન્ન સાધુઓને, સૂત્ર-અદિના ક્રમથી ગુરએ પોતાના વડે સુવિનિશ્ચિત એવું સમ્યમ્ વ્યાખ્યાન કરવું જોઈએ, એમ પૂર્વગાથા સાથે સંબંધ છે. ટીકા : ___ उपसम्पन्नानां सतां यथाविधानतः सूत्रनीत्या एवं गुणयुक्तानामपि, नाऽन्यथा, तदपरिणत्यादिदोषात्, कथं कर्त्तव्यमित्याह-सूत्रार्थादिक्रमेण यथाबोधं सुविनिश्चितमात्मना सम्यग्, न शुकप्रलापप्रायमिति મથાર્થ: ૧૮દ્દા. * “તપરિત્યારિ''માં ‘માર' પદથી વ્યાખ્યાનની વિપરીત પરિણતિનો સંગ્રહ છે. * “સૂત્રાથરિ''માં ‘મર' પદથી નિર્યુક્તિયુક્ત અર્થ અને સર્વ નયોની દૃષ્ટિથી અર્થ કરવાનો સંગ્રહ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005512
Book TitlePanchvastuk Prakaran Part 05
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy