SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૪-૧૦૬૫ પ્રકારની શ્રદ્ધા પ્રગટે છે, અને તે શ્રદ્ધાથી પરિશુદ્ધ એવું સ્વકાર્ય કરનારું ભાવસભ્યત્ત્વ પ્રગટે છે, અર્થાત્ પ્રશમાદિ લિંગને કરનારું નૈક્ષયિક સમ્યક્ત પ્રગટે છે. વળી, નિશ્ચયનય, જે કારણ કાર્ય કરતું હોય તે કારણને જ કારણ તરીકે સ્વીકારે છે. તેથી જિનવચનના યથાર્થ બોધપૂર્વકની જે જિનવચનની રુચિ જીવને સંયમની ઉચિત પ્રવૃત્તિ કરાવતી હોય તે રુચિને નિશ્ચયનય સમ્યક્ત કહે છે. આથી જે સાધુની સંયમની આચરણા સ્વ-પરદર્શનના યથાર્થ બોધપૂર્વક પ્રશમાદિ ભાવો પેદા કરાવે એવી હોય, તે સાધુમાં ભાવસભ્યત્ત્વ છે એમ નિશ્ચયનય કહે છે. આનાથી એ ફલિત થાય કે જે જીવોએ ગ્રંથિનો ભેદ કરીને સમ્યક્તાદિ ગુણો પ્રાપ્ત કર્યા છે, તોપણ જેમણે શાસ્ત્રોનો વિશદ અભ્યાસ કર્યો નથી, છતાં જેઓમાં ભગવાનના વચનની ઓઘથી રુચિ વર્તે છે, તે જીવોમાં દ્રવ્યસમ્યક્ત છે; અને જે જીવોએ શાસ્ત્રોનો વિશદ બોધ કરીને ભગવાનના વચનાનુસાર ઉચિત ક્રિયાઓ કરીને પ્રશમાદિ ભાવો પ્રાપ્ત કર્યા છે, તે જીવોમાં ભાવસભ્યત્ત્વ છે. I/૧૦૬૪ અવતરણિકા: एतदेव भावयति - અવતરણિયાર્થ: * આને જ ભાવન કરે છે, અર્થાત્ દ્રવ્યસમ્યક્ત કરતાં ભાવસમ્યક્તમાં અતિશયિત શ્રદ્ધા હોય છે, એનું જ ભાવન કરે છે – ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે જિનવચન જ તત્ત્વ છે, એ પ્રકારની અનાભોગવાળી રુચિમાત્ર અર્થાત્ અજ્ઞાનયુક્ત સામાન્ય રુચિ, દ્રવ્યસમ્યક્ત છે, અને યથાભાવવાળા જ્ઞાનથી થયેલી શ્રદ્ધાથી પરિશુદ્ધ એવું ભાવસમ્યક્ત છે. તેથી એ પ્રાપ્ત થાય કે દ્રવ્યસમ્યક્તમાં જિનવચન પ્રત્યે પારમાર્થિક શ્રદ્ધા હોવા છતાં ભગવાને કહેલ તત્ત્વનો વિશદ બોધ હોતો નથી, અને ભાવસભ્યત્વમાં સ્વદર્શન અને પરદર્શનનો અભ્યાસ હોવાને કારણે ભગવાને કહેલ તત્ત્વનો વિશદ બોધ હોય છે. તેથી દ્રવ્યસમ્યક્ત કરતાં ભાવસમ્યક્તમાં અનંતગુણી તીવ્ર શ્રદ્ધા હોય છે. એનું જ ભાવન કરે છે – ગાથા : सम्म अन्नायगुणे सुंदररयणम्मि होइ जा सद्धा । तत्तोऽणंतगुणा खलु विनायगुणम्मि बोद्धव्वा ॥१०६५॥ અન્વચાઈ: સખ્ત મન્નીયમુને સુંદર સિમ્યગુ અજ્ઞાતગુણવાળા સુંદર રત્નમાં ના સાંજે શ્રદ્ધા રોટ્ટ હોય છે, તો તેનાથી મતપુ તુ અનંતગુણવાળી જ (શ્રદ્ધા) વિન્નાથ મિ-વિજ્ઞાતગુણમાં=જણાયેલા ગુણવાળા સુંદર રત્નમાં, વોદ્ધિથ્વી=જાણવી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005512
Book TitlePanchvastuk Prakaran Part 05
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy