________________
૧૭૦
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૨૬-૧૦૫૦ દ્વારા અભવ્યના પણ અભવ્ય સ્વભાવનું ઉપક્રમણાદિ થઈ શકે. તેથી અભવ્ય જીવોને પણ મોક્ષની પ્રાપ્તિનો પ્રસંગ આવે.
અહીં વિશેષ એ છે કે જીવના પ્રયત્નથી કર્મનો નાશ થાય છે, માટે જીવના પ્રયત્નથી તે કર્મમાં ઉપક્રમણનો સ્વભાવ છે, એમ જે રીતે સ્વીકારાય છે, તે રીતે જીવ મોક્ષે જાય છે ત્યારે તેના ભવ્યત્વનો નાશ થાય છે, માટે મોક્ષે જનારા જીવના ભવ્યત્વમાં ઉપક્રમણનો સ્વભાવ છે, એમ સ્વીકારાય છે; અને ભવ્યત્વના ઉપક્રમણાદિમાં રહેલા 'મા' શબ્દથી ભવ્યત્વના પરિપાકનું ગ્રહણ કરવાનું છે. ભવ્યત્વનો પરિપાક એટલે જીવમાં પ્રગટ થતી મોક્ષને અનુકૂળ ભૂમિકા. આનાથી એ અર્થ પ્રાપ્ત થાય કે જો જીવના ભવ્યત્વનો તે પ્રકારનો ઉપક્રમણનો અર્થાત્ નાશનો કે પરિપાક પામવાનો સ્વભાવ ન હોય, તો કર્મ, કાળ અને પુરુષકાર દ્વારા પણ ભવ્યત્વનો નાશ કે ભવ્યત્વનો પરિપાક ન થાય; પરંતુ જીવનું ભવ્યત્વ તે પ્રકારના નાશના અને પરિપાકના સ્વભાવવાળું છે, માટે કર્માદિ દ્વારા જીવના ભવ્યત્વનો નાશ કે પરિપાક થાય છે, અને કાળ, લિંગાદિના ભેદથી જીવનું ભવ્યત્વ મોક્ષસાધક બની શકે છે, એ પ્રકારનો ગ્રંથકારનો આશય છે. ૧૦પદી.
અવતરણિકા : - પૂર્વગાથામાં પૂર્વપક્ષીને ગ્રંથકારે કહ્યું કે કર્માદિ દ્વારા તે તે પ્રકારે ઉપક્રમણાદિ પામવાનો ભવ્યત્વનો સ્વભાવ નહીં હોતે છતે, કલ્પના કરાતું કર્યાદિનું ભવ્યત્વના ઉપક્રમણાદિનું સ્વભાવપણું પણ ફળભેદનું સાધક થતું નથી, અને જો સર્વ જીવોનું ભવ્યત્વ સમાન હોવા છતાં કર્યાદિનો ભવ્યત્વના ઉપક્રમણાદિનો સ્વભાવ ફળભેદનો સાધક થતો હોય, તો અભવ્યોને પણ દેશનાદિ દ્વારા મોક્ષપ્રાપ્તિનો પ્રસંગ આવે.
હવે દેશનાદિ દ્વારા અભવ્યોને મોક્ષપ્રાપ્તિનો પ્રસંગ આવશે નહીં, એ પ્રકારનો પૂર્વપક્ષ સ્થાપીને તેનું નિરાકરણ કરવા ગ્રંથકાર ગાથા ૧૦૫૭-૧૦૫૮માં કહે છે –
ગાથા :
अह देसणाइ णेवं सहाव मो जं तओ अभव्वाणं ।
नो खलु मोक्खपसंगो कहण्णु अन्नत्थ तं एवं? ॥१०५७॥ અન્વયાર્થ :
મદદ થી પૂર્વપક્ષી કહે છે – પંકજે કારણથી રેલ પર્વ હોવ -દેશનાદિ આવા પ્રકારના સ્વભાવવાળા નથી=મોક્ષ પેદા કરવાના સ્વભાવવાળા નથી, તો તે કારણથી મધ્યાપ અભવ્યોને મોરવપક્ષનો મોક્ષનો પ્રસંગ નો નથી. (તેને ગ્રંથકાર કહે છે –) મન્નત્થ અન્યત્ર=ભવ્ય જીવોમાં, તે તે= દેશનાદિ, પુર્વ આવા પ્રકારના=મોક્ષ પેદા કરવાના સ્વભાવવાળા, કેવી રીતે થાય? * ગાથામાં ' પાદપૂર્તિ અર્થે છે. * “હાપુ'માં “y' વિતર્ક અર્થમાં છે. * “હનુ' વાક્યાલંકારમાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org