SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૪૨ ૧૪૦ વા=અથવા આ જ=ધૃતધર્મ જ, ત્રણUT=કાળભેદથી પ૩રૂ દે=આનો સમ્યક્તનો, હેતુ વદ-કેવી રીતે થાય ? * “વસુ' વાક્યાલંકારમાં છે. » ‘ત્તિ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : ઉપરમાં બતાવ્યું એ રીતે શ્રુતધર્મ પ્રાપ્ત થયો અને સભ્યત્વ ન થયું. તેથી શ્રુતધર્મથી સમ્યક્ત કેવી રીતે થાય? અથવા કૃતધર્મ જ કાળભેદથી સભ્યત્વનો હેતુ કેવી રીતે બને? અર્થાત્ ન જ બને. ટીકા : ___ एवम्-उक्तेन प्रकारेण प्राप्तोऽयं खलु श्रुतधर्मः, न च सम्यक्त्वम् इयता कालेन, सिद्धिप्रसङ्गात्, तत् कथं केन प्रकारेण ततः श्रुतधर्माद् एतत् सम्यक्त्वं ?, कथं वा एष एव-श्रुतधर्मः एतस्य सम्यक्त्वस्य कालभेदेन भवतः सतो हेतुः ? नैव, तद्भावभावित्वाभावादिति गाथार्थः ॥१०४२॥ ટીકાર્ય : આ રીતે કહેવાયેલ પ્રકારથી=ગાથા ૧૦૩૮ના ચોથા પાદથી ગાથા ૧૦૪૧ સુધી પૂર્વપક્ષી વડે જે પ્રકારે કહેવાયું એ પ્રકારથી, આ કૃતધર્મ, પ્રાપ્ત કરાયો, અને આટલા કાલ વડે સમ્યક્ત ન થયું; કેમ કે સિદ્ધિનો પ્રસંગ છે અર્થાતુ જો મૃતધર્મની પ્રાપ્તિથી આટલા કાળમાં જીવને સમ્યક્ત થયું હોત તો અત્યાર સુધીમાં જીવને મોક્ષની પ્રાપ્તિ થઈ હોત, એમ માનવાનો પ્રસંગ આવે. તે કારણથી તેનાથી=સ્કૃતધર્મથી, આ=સમ્યક્ત, કઈ રીતે=કયા પ્રકારથી, થાય? અર્થાત્ ન થાય. અથવા આ જ મૃતધર્મ જ, કાળભેદથી થતા છતા આનો= સમ્યક્તનો, હેતુ કઈ રીતે થાય? અર્થાત્ ન જ થાય; કેમ કે તેના ભાવ સાથે ભાવિત્વનો અભાવ છેઃ શ્રુતધર્મના સદ્ભાવ સાથે સમ્યક્તના થનારપણાનો અભાવ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૦૩૩થી ૧૦૩૭ના પૂર્વપક્ષીના કથનનો ઉત્તર આપતાં ગાથા ૧૦૩૮માં ગ્રંથકારે કહ્યું કે શ્રતધર્મથી જ સમ્યક્ત થાય છે, અને કાળભેદથી સમ્યક્ત થવામાં પણ શ્રુતધર્મ જ હેતુ છે. તે બંને કથનનું નિરાકરણ કરતાં પૂર્વપક્ષીએ ગાથા ૧૦૮ના ચોથા પાદથી માંડીને ગાથા ૧૦૪૧માં સ્થાપન કર્યું કે જીવને પૂર્વે શ્રતધર્મ અનંતીવાર પ્રાપ્ત થયેલો છે. આ રીતે જીવ વડે મૃતધર્મ અનંતીવાર પ્રાપ્ત કરાયો અને આટલા કાળમાં જીવને સમ્યક્ત ન થયું, ત્યાં પ્રશ્ન થાય કે જીવ વડે આટલીવાર શ્રતધર્મ પ્રાપ્ત કરાવા છતાં આટલા કાળમાં જીવને સમ્યક્ત નથી થયું, એમ કઈ રીતે કહી શકાય? એથી કહે છે કે શ્રતધર્મથી સમ્યક્ત થયું હોત તો શ્રતધર્મની અનંતીવાર પ્રાપ્તિ થાત નહીં, પરંતુ પ્રથમવાર પ્રાપ્ત થયેલ શ્રતધર્મથી જ જીવને સમ્યક્ત થઈ જાત, જેથી અત્યાર સુધીમાં તે સમ્યક્તના બળથી જીવને મોક્ષની પણ પ્રાપ્તિ થઈ ગઈ હોત; પરંતુ જીવને મોક્ષની પ્રાપ્તિ નથી થઈ, તેથી નક્કી થાય છે કે આટલીવાર શ્રુતધર્મ પ્રાપ્ત થવા છતાં આટલા કાળથી જીવને સમ્યક્ત થયું નથી. માટે શ્રતધર્મથી જ સમ્યક્ત થાય છે એમ કઈ રીતે કહી શકાય ? અર્થાત્ ન જ કહી શકાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005512
Book TitlePanchvastuk Prakaran Part 05
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy