SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક, “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૧૯-૧૦૨૦ ૧૧૧ અવતરણિકા: व्याख्येयमाह - અવતરણિકાર્ય : વ્યાખ્યયને=વ્યાખ્યાન કરવા યોગ્ય વસ્તુને, કહે છે – ભાવાર્થ : - ગાથા ૧૦૦૧માં વ્યાખ્યાનકરણની વિધિનો ઉપસંહાર કરતાં કહ્યું કે આ દુઃષમારૂપ કાળમાં પણ ગુરુએ અમૂઢલક્ષ્યવાળા થઈને ઉપસંપદાદિ વિષયક સૂત્રવિધિના સંપાદનમાં શક્તિથી યત્ન કરવો જોઈએ. ત્યારપછી ગાથા ૧૦૦૦થી વ્યાખ્યાનશ્રવણની વિધિ બતાવતાં અંતે ગાથા ૧૦૧૦માં અનુભાષક સાધુને વંદન કરવાનું કહ્યું, ત્યાં કોઈને પ્રશ્ન થયો કે સંયમપર્યાયથી નાના અનુભાષક સાધુને પર્યાયથી મોટા સાધુ કઈ રીતે વંદન કરી શકે? તેવી શંકાનું ગાથા ૧૦૧૧-૧૦૧૨માં ઉદ્ભાવન કરીને અત્યાર સુધી તેનો ઉચિત ખુલાસો કર્યો. આ રીતે વ્યાખ્યાનશ્રવણની વિધિ સંપૂર્ણ થઈ. હવે અર્થમાંડલીમાં અનુયોગી આચાર્યએ શેનું વ્યાખ્યાન કરવું જોઈએ? તે વ્યાખ્યય પદાર્થને બતાવે છે – ગાથા : वक्खाणेअव्वं पुण जिणवयणं णंदिमाइ सुपसत्थं । जं जम्मि जम्मि काले जावइअं भावसंजुत्तं ॥१०१९॥ અન્વયાર્થ : પુf=વળી ગઈમ નમિ ત્રેિ જે જે કાળમાં નાવ જેટલું વિમાફ = નિપાવથdi=નંદી આદિ જે જિનવચન છે, (તેનું) ભાવસંગુત્ત ભાવથી સંયુક્ત સુપત્યં-સુપ્રશસ્ત વઘાડોમથં વ્યાખ્યાન કરવું જોઈએ. ગાથાર્થ : વળી જે જે કાળમાં જેટલું નંદીસૂત્ર વગેરે જે જિનવચન છે, તે જિનવચનનું ભાવથી યુક્ત અને સુપ્રશસ્ત વ્યાખ્યાન કરવું જોઈએ. ટીકા : ___ व्याख्यानयितव्यं पुनस्तेन जिनवचनं, नाऽन्यत्, नन्द्यादि सुप्रशस्तं-संवेगकारि यत् यस्मिन् यस्मिन् काले यावत् प्रचरति भावसंयुक्तं भावार्थसारमिति गाथार्थः ॥१०१९॥ ટીકાઈ: તેન પુન: નિનવને વ્યાધ્યાયિતવ્યું, અત્ વળી તેમણે=આચાર્યએ, જિનવચન વ્યાખ્યાન કરવું જોઈએ, અન્ય નહીં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005512
Book TitlePanchvastuk Prakaran Part 05
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy